દૂરદર્શન પર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ હવે ‘રામાયણ’ સ્ટારપ્લસ પર ટેલીકાસ્ટ થશે. 16 એપ્રિલના રોજ પ્રસારિત થયેલો એપિસોડ વિશ્વભરના સાત કરોડથી પણ વધુ લોકોએ જોયો હતો. ‘ગેમ્સ ઓફ થ્રોન’ કરતાં પણ ‘રામાયણ’ સિરિયલ વધુ જોવાઈ હતી. હવે, આ સફળતા જોયા બાદ ખાનગી ચેનલ પર પણ શો પ્રસારિત થશે.
રામાનંદ સાગરની ‘રામાયણ’ આજથી એટલે કે ચાર મેથી સાંજે સાડા સાત વાગે સ્ટાર પ્લસ પર શરૂ થશે. ચેનલ તરફથી ટ્વીટ કરવામાં આવી હતી, અયોધ્યાવાસી, પુરુષોમાં સર્વોત્તમ, સૌથી પ્રિય મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની વાત ‘રામાયણ’, ચાર મેથી સોમવારથી રવિવાર રોજ રાત્રે સાડા સાતવાગે સ્ટાર પ્લસ પર.
Ayodhya ke vaasi, purusho mein sarvotam, sabke priy maryada purushottam Shri Ram ki kahaani #Ramayan..
— StarPlus (@StarPlus) May 3, 2020
4 May se, Somvaar se Ravivaar shaam 7:30 baje StarPlus par. #RamayanOnStarPlus@arungovil12 @LahriSunil @ChikhliaDipika pic.twitter.com/Hpg38bVxpw
‘મહાભારત’ પણ આવશે
બી આર ચોપરાનોશો ‘મહાભારત’ પણ દૂરદર્શન બાદ હવે કલર્સ ચેનલ પર આજથી એટલે કે ચાર મેથી રોજ સાંજે સાત વાગે ટેલીકાસ્ટ કરવામાં આવશે.
Shuru ho raha hai Bharat ka sabse etihasik mahayudh, #Mahabharat. Dekhiye #MahabhartOnColors har din shaam 7 baje, sirf #Colors par. pic.twitter.com/KZvcCArgu8
— COLORS (@ColorsTV) May 4, 2020
ઉલ્લેખનીય છે કે 24 માર્ચના રોજ પહેલું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે ‘રામાયણ’ તથા ‘મહાભારત’નું પુનઃપ્રસારણ કરવાની જાહેરાત કરી હતી. 28 માર્ચથી ‘રામાયણ’ ડીડી નેશનલ પર સવારે 9 વાગે અને રાત્રે 9 વાગે ટેલીકાસ્ટ થતું હતું. જ્યારે ‘મહાભારત’ ડીડી ભારતી પર 28 માર્ચથી બપોરે 12 વાગે અને સાંજે સાત વાગે આવતું હતું.
દૂરદર્શન નંબર વન ચેનલ બની હતી
આ બંને શોને કારણે દૂરદર્શનની વ્યૂઅરશિપમાં વધારો થયો હતો અને તેને કારણે દૂરદર્શન નંબર વન ચેનલ બની ગઈ હતી. હાલમાં ‘મહાભારત’ ડીડી મેટ્રો પર પણ આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YxaA7M
https://ift.tt/3fcTvFU