Showing posts with label Divya Bhaskar. Show all posts
Showing posts with label Divya Bhaskar. Show all posts

Tuesday, August 18, 2020

8 મહિનામાં 14 બોલિવૂડ સ્ટાર્સનું નિધન થયું, સુશાંત, રિશી, ઈરફાનથી લઈને કુમકુમ, સરોજ ખાને દુનિયાને અલવિદા કહ્યું

મદારી, રોકી હેન્ડસમ અને દ્રશ્યમ જેવી ફિલ્મો ડિરેક્ટ કરનારા નિશિકાંત કામતનું નિધન થઇ ગયું છે. સોમવારે સાંજે તેમણે હૈદરાબાદમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. નિશિકાંતના મૃત્યુથી બોલિવૂડને મોટી ખોટ પડી છે.

2020 બોલિવૂડ માટે ઘણું ખરાબ સાબિત થઇ રહ્યું છે કારણકે નિશિકાંત આ વર્ષે મૃત્યુ પામનાર 14મા બોલિવૂડ સેલેબ છે. નિશિકાંત અગાઉ છેલ્લા 8 મહિનામાં 13 સ્ટાર્સે દુનિયાને અલવિદા કહ્યું. એક નજર તે સેલેબ્સ પર....

1. કુમકુમ

કુમકુમનું 86 વર્ષની ઉંમરે નિધન થયું

28 જુલાઈએ વીતેલા જમાનાના ફેમસ એક્ટ્રેસ કુમકુમનું 86 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. તેમણે મધર ઇન્ડિયા, આરપાર, CID જેવી ઘણી ફેમસ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અંદાજે 20 વર્ષના તેમના કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે 50થી 60ના દશક દરમ્યાન સૌથી વધુ ફિલ્મો કરી. આ સમયે ગુરુદત્ત, કિશોર કુમાર, દિલીપ કુમાર, દેવાનંદ સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું.

2. પરવેઝ ખાન

એક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું હાર્ટ અટેકને કારણે નિધન થયું

27 જુલાઈએ એક્શન ડિરેક્ટર પરવેઝ ખાનનું મુંબઈમાં હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. તેઓ 55 વર્ષના હતા. છાતીમાં દુખાવો થયા બાદ તેમને બચાવી શકાયા ન હતા. તેમણે અંધાધૂંધ, બદલાપૂર, બુલેટ રાજા જેવી ફિલ્મોમાં યોગદાન આપ્યું હતું.

3. જગદીપ

2020 શોલેના સૂરમા ભોપાલીને ભરખી ગયો

8 જુલાઈએ મુંબઈ સ્થિત ઘરમાં જગદીપનું નિધન થયું. તેઓ એક્ટર જાવેદ જાફરી અને નાવેદ જાફરીના પિતા હતા. તેમની મુસ્કાન નામની એક દીકરી પણ છે. 81 વર્ષીય જગદીપ ઘણા સમયથી બીમાર હતા. જગદીપ રમેશ સિપ્પીની ફિલ્મ શોલે (1975)ના રોલ સૂરમા ભોપાલીથી ઘણા ફેમસ થયા હતા.

4. હરીશ શાહ

કેન્સર પર ફિલ્મ બનાવવાર હરીશ શાહ પર જ કેન્સર ભારે પડ્યું

7 જુલાઈએ છેલ્લા 40 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ફેમસ પ્રોડ્યુસર ડિરેક્ટર હરીશ શાહનું સવારે 6 વાગ્યે નિધન થયું હતું. તેઓ 76 વર્ષના હતા અને કેન્સર સામે લડી રહ્યા હતા. આ બીમારી સામે જંગ લડતા લોકોની સ્ટોરી દુનિયા સામે લાવવા માટે તેમણે શોર્ટ ફિલ્મ Why me બનાવી હતી, જેને પ્રેસિડેન્ટ અવોર્ડ મળ્યો હતો.

5. સરોજ ખાન

ડાન્સિંગ ક્વીન સરોજ ખાનનું હાર્ટ અટેકને કારણે મૃત્યુ

બોલિવૂડમાં ડાન્સિંગ ક્વીન તરીકે ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાને 71 વર્ષની ઉંમરે 3 જુલાઈના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેમને ઘણા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. બાંદ્રા હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. 40 વર્ષના કરિયરમાં 2000થી વધુ સોન્ગ કોરિયોગ્રાફ કર્યા હતા.

તેમને ત્રણ વખત નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો. તેમણે નચ બલિયે, ઉસ્તાદો કે ઉસ્તાદ, નચલે વે વિથ સરોજ ખાન, બૂગી વૂગી, ઝલક દિખલા જા જેવા ઘણા રિયાલિટી શોમાં જજ તરીકે કામ કર્યું હતું.

6. સુશાંત સિંહ રાજપૂત

65 દિવસથી વધુ સમય થવા છતાં સુશાંતના મૃત્યુનો કેસ સોલ્વ નથી થયો

14 જૂને સુશાંત સિંહે મુંબઈ સ્થિત તેના ફ્લેટમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. અગાઉ એમ જ વાત હતી કે 34 વર્ષીય એક્ટરે આત્મહત્યા કરી છે પણ હવે કેસમાં નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે.

મુંબઈ પોલીસની તપાસથી અસંતુષ્ટ સુશાંતના પરિવારે બિહારમાં દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લગાવી કેસ ફાઈલ કરાવ્યો. ત્યારબાદ તપાસ CBIને સોંપવાની વાત થઇ. સુશાંતના મૃત્યુનું કારણ શું હતું તે હજુ તપાસનો વિષય છે.

7. દિશા સલિયન

અત્યાર સુધી દિશા સલિયનનું મોત રહસ્ય બનીને રહ્યું છે

14 જૂનના રોજ સુશાંતનું મોત થયું હતું એ પહેલાં 8 જૂનના રોજ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનના મોતના સમાચાર આવ્યા હતા. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. જોકે, આ દિશા તથા સુશાંતના મોતને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે દિશાનું મર્ડર કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસ આ કેસની નવેસરથી તપાસ કરી રહી છે.

8. બાસુ ચેટર્જી

4 જૂનના રોજ બાસુ ચેટર્જીનું નિધન થયું

ઈન્ડસ્ટ્રીમાં તેઓ બાસુદા તરીકે લોકપ્રિય હતા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, બાતોં બાતોં મેં, એક રૂકા હુઆ ફૈંસલા, ચમેલી કી શાદી જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તેમને સાત વાર ફિલ્મફેર અવોર્ડ તથા દુર્ગા માટે 1992માં નેશનલ ફિલ્મ અવોર્ડ પણ મળ્યો હતો. 2007માં તેમને IIFAમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 1969-2001 સુધી બાસુ ચેટર્જી ડિરેક્ટર તરીકે સક્રિય હતા.

9. વાજિદ ખાન

2020માં સાજિદ-વાજિદની જોડી તૂટી

પહેલી જૂનના રોજ બોલિવૂડના જાણીતા કમ્પોઝર વાજિદ ખાનનું અવસાન થયું હતું. તેઓ 42 વર્ષના હતા. સાજિદ-વાજિદની જોડીથી તેઓ લોકપ્રિય હતા. વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેમની સારવાર મુંબઈની હોસ્પિટલમાં થતી હતી. અચાનક તબિયત લથડતાં તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.

10. મોહિત બઘેલ

27 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે અવસાન

22 મે, 2020ના રોજ ટીવી તથા ફિલ્મ એક્ટર મોહિત બઘેલનું માત્ર 27 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે અવસાન થયું હતું. મોહિતે સલમાન ખાનની ફિલ્મ રેડીમાં કામ કર્યું હતું. છેલ્લે તે સિદ્ધાર્થ મલ્હોત્રા તથા પરિણીતી ચોપરાની ફિલ્મ જબરિયા જોડીમાં જોવા મળ્યો હતો.

11. રિશી કપૂર

67 વર્ષીય રિશી કપૂરનું લ્યુકેમિયાને કારણે નિધન થયું હતું

67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેઓ લ્યુકેમિયા સામે લડતા હતા. આ એક બ્લડ કેન્સર છે. એમરિકામાં તેમણે સારવાર કરાવી હતી. જોકે, એપ્રિલ, 2020માં તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

12. ઈરફાન ખાન

ઈરફાનને ન્યૂરો એન્ડોક્રાઈન ટ્યૂમરની બીમારી હતી

53 વર્ષીય ઈરફાનનું 29 એપ્રિલના રોજ કોલન ઈન્ફેક્શનને કારણે અવસાન થયું હતું. તેમને ન્યૂરો એન્ડોક્રાઈમ ટ્યૂમર હતું. 2018માં તેમણે આ બીમારીનો ખુલાસો કર્યો હતો અને લંડનમાં સારવાર કરાવી હતી. આ દરમિયાન તેમણે છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કર્યું હતું. માર્ચમાં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. માર્ચમાં ઈરફાનની તબિયત ખરાબ થઈ હતી.

13. રિતુ નંદા

રિતુ નંદાનું 71 વર્ષની ઉંમરમાં કેન્સરને કારણે નિધન થયું હતું

શોમેન રાજકપૂરની દીકરી તથા રિશી-રણધીરની બહેન રિતુ નંદાનું 14 જાન્યુઆરી, 2020ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું. તેઓ 71 વર્ષના હતા. અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનના તેઓ સાસુ હતા. રિતુના દીકરા નિખીલ નંદા સાથે શ્વેતાના લગ્ન થયા હતા. રિતુએ ઉદ્યોગપતિ રાજન નંદા સાથે લગ્ન કર્યા હતા. તેમનું ઓગસ્ટ, 2018માં નિધન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
14 Bollywood Stars Lost In 8 Months, Bollywood Celebrities Who Bid Us Goodbye In 2020


from Divya Bhaskar https://ift.tt/3gapiGG
https://ift.tt/2FsFdU8

સંરક્ષણ મંત્રાલયની અનુમતિ વગર જ્હોન અબ્રાહમ-નિખિલ અડવાણી ‘ગોરખા’નું શૂટિંગ શરૂ કરશે નહીં

બોલિવૂડમાં ડિફેન્સ અંગેની ફિલ્મ બનતી રહેતી હોય છે. હવે જ્હોન અબ્રાહમ ‘ગોરખા’ બનાવી રહ્યો છે. જોકે, આ ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં તે ઘણી બાબતોનું ધ્યાન રાખવા માગે છે, કારણ કે હાલમાં જ ‘ગુંજન સક્સેના’ અંગે જે વિવાદ થયો તે આવો કોઈ વિવાદ પોતાની ફિલ્મ માટે થાય તેમ ઈચ્છતો નથી.

જ્હોન હાલમાં ‘મુંબઈ સાગા’ તથા ‘સત્યમેવ જયતે 2’માં વ્યસ્ત છે. નિખિલ અડવાણીના બેનરની ‘ગોરખા’ સેનાના ગોરખા રેજિમેન્ટ પર આધારિત છે. પ્રોડક્શન હાઉસના સૂત્રો પાસેથી મળેલી માહિતીને આધારે ફિલ્મમાં કેરેક્ટર કેવું હશે અને ફિલ્મની વાર્તા શું છે તે અંગે ડિફેન્સ મિનિસ્ટ્રીને જાણ કરવામાં આવી છે.

પ્રોડક્શન હાઉસના એક અધિકારીએ કહ્યું હતું કે લૉકડાઉનમાં ડિફેન્સ મિનિસ્ટ્રીની પરવાનગી લેવા માટેની તમામ ઔપચારિકતા પૂર્ણ કરી લેવામાં આવી હતી. હવે ડિફેન્સ મિનિસ્ટ્રી ફિલ્મ અંગે ક્યારે હા પાડે તેની રાહ જોવાઈ રહી છે.

સંરક્ષણ મંત્રાલયની પરવાનગી મળ્યા બાદ ફિલ્મના શૂટિંગનું શિડયૂઅલ નક્કી કરવામાં આવશે. પ્રોડક્શન હાઉસ નથી ઈચ્છતું કે મંત્રાલય ફિલ્મ અંગે કોઈ આપત્તિ કે વિરોધ કરે.

હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના’ તથા 2016માં રિલીઝ થયેલી ‘એરલિફ્ટ’ને સંબંધિત મંત્રાલયની નારાજગી સહન કરવી પડી હતી. ‘એરલિફ્ટ’ રિલીઝ થઈ ત્યારે વિદેશ વિભાગના અનેક બ્યૂરોક્રેટે કહ્યું હતું કે ક્રિએટિવ લિબર્ટીના નામ પર ફિલ્મના તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ફિલ્મ અંગે ડિરેક્ટર રાજા કૃષ્ણ મેનને ઓન રેકોર્ડ કહ્યું હતું કે તે લોકોએ શૂટિંગ પર જતા પહેલાં વિદેશ મંત્રાલયને સ્ક્રિપ્ટ તથા પત્ર મોકલ્યો હતો. જોકે, અનેક અઠવાડિયા સુધી જવાબ ના આવતા તેમણે મજબૂરીમાં શૂટિંગ શરૂ કરવું પડ્યું હતું.

‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં જે રીતે એરફોર્સની ઈમેજ બતાવવામાં આવી છે તે અંગે એરફોર્સે નારાજગી વ્યક્ત કરી છે. વાયુસેનાના પૂર્વ મહિલા અધિકારીએ કહ્યું હતું કે ફિલ્મમાં ખોટી બાબતો બતાવવામાં આવી છે. ઈમરાન હાશ્મીની ફિલ્મ ‘કૅપ્ટન નવાબ’ સંરક્ષણ મંત્રાલય તરફથી જવાબ મોડો આવતા ફિલ્મ શરૂ જ થઈ શકી નહોતી.

જ્હોન તથા નિખિલ આ પ્રકારના વિવાદ ઈચ્છતા નથી. આથી જ ‘ગોરખા’નું શૂટિંગ શરૂ થાય તે પહેલા ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી તમામ પરવાનગી લેવા ઈચ્છે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
John Abraham-Nikhil Advani will not start shooting for 'Gorkha' without permission from Defence Ministry


from Divya Bhaskar https://ift.tt/324BjbA
https://ift.tt/328fgRI

એપ્રિલમાં પણ દિશા સુશાંતના ટચમાં હતી, બંને વચ્ચેની વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા

સુશાંત સિંહ રાજપૂત અને તેની એક્સ મેનેજર દિશા સલિયનનું જૂન મહિનામાં એક અઠવાડિયાની અંદર મૃત્યુ થયું હતું. સુશાંતે 14 જૂને તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર પંખે લટકીને આત્મહત્યા કરી હતી. દિશાએ 8 જૂને એક ફ્લેટના 14મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. હવે દિશા અને સુશાંતના વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા છે, જે સાબિત કરે છે કે બંને એપ્રિલમાં એકબીજાના સંપર્કમાં હતા.

દિશા અને સુશાંત વચ્ચે 2 અને 7 એપ્રિલ વચ્ચે વાત થઇ હતી

ચેટથી ખબર પડે છે કે દિશા સુશાંતનું PR હેન્ડલ કરી રહી હતી અને તે નવા પ્રોજેક્ટ્સ માટે સતત સંપર્કમાં હતા. આ સિવાય ચેટથી એમ પણ ખબર પડે છે કે સુશાંતને એપ્રિલમાં ટીવી એડ માટે ઓફર પણ મળી હતી.

7 અને 10 એપ્રિલ વચ્ચે દિશા અને સુશાંત વચ્ચે વાતચીત

10 દિવસમાં 4 વખત ચેટ થઇ
ચેટમાં દિશા અને સુશાંત એક બ્રાન્ડ સાથે જોડાવા અને તેના દ્વારા થતી ઓફર પર ચર્ચા કરી રહ્યા છે. દિશાએ તેના માટે એક ઓનલાઇન ઈન્ટરેક્શન સેશનનું પણ આયોજન કર્યું હતું. આ ચેટમાં સિદ્ધાર્થ પીઠાણીનું નામ પણ સિડ તરીકે સામે આવ્યું છે. દિશા અને સુશાંત વચ્ચે 2, 7, 10 અને 11 એપ્રિલે આ વાત થઇ છે.

10 એપ્રિલે દિશા અને સુશાંત વચ્ચે વાતચીત થઇ

અગાઉ દિશાને માત્ર એક વખત મળવાનો દાવો કરાયો હતો
આ પહેલાં દિશાના પરિવાર અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે અને સુશાંત માત્ર એક વાર મળ્યા હતા. વોટ્સએપ ચેટના આ સ્ક્રીનશોટ તે દાવાને ખોટા સાબિત કરે છે. તેમાં બંને પ્રોફેશનલ લાઈફને લઈને લાંબી વાતો કરી રહ્યા છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં દિશાની માતા વસંતી સલિયને કહ્યું હતું કે, દિશા અમને કામની બધી વાત શેર કરતી હતી. કોની સાથે કામ કરે છે, શું કામ કરી રહી છે તે બધું. મેં ક્યારેય સુશાંત વિશે નથી સાંભળ્યું. આ બધા પહેલાં હું સુશાંતને વધુ ઓળખતી પણ ન હતી.

ઘડિયાળના પ્રોજેક્ટમાં સુશાંત સાથે કામ કરતી હતી
દિશા સુશાંત સિંહ સાથે એક પ્રોજેક્ટ પર કામ કરતી હતી. તે શૂઝ અને વોચની એડમાં સુશાંત માટે કામ કરી રહી હતી. તે પ્રોજેક્ટ એકદમ વ્યવસ્થિત ચાલી રહ્યો હતો પરંતુ લોકડાઉનને કારણે તે ક્યારેય શરૂ ન થઇ શક્યો.

દિશા સલિયનનું કરિયર
દિશા સલિયન મુંબઈમાં જ તેના પરિવાર સાથે દાદરમાં ફ્લેટમાં રહેતી હતી. એક ન્યૂઝ પેપરથી તેણે તેના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ દિશા વર્ષ 2013માં IPAN નામની કંપની સાથે જોડાઈ. દિશાએ 2015માં એક ફિલ્મ માટે ઐશ્વર્યા રાયનું કામ મેનેજ કર્યું હતું. ત્યારે તે સ્મિથ PR કંપની સાથે કામ કરતી હતી. છિછોરે ફિલ્મ સમયે તેણે એક્ટર વરુણ શર્માનું કામ મેનેજ કર્યું હતું. ત્યારે તે કાન એન્ટરટેનમેન્ટ એન્ડ માર્કેટિંગ સોલ્યુશન સાથે કામ કરતી હતી. એવું જણાવાઈ રહ્યું છે કે ત્યારે જ તેની સુશાંત સાથે મુલાકાત થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિશા સલિયનનું મૃત્યુ 8 જૂને મુંબઈના મલાડ વિસ્તારની એક બિલ્ડિંગના 14મા માળેથી નીચે પડવાને કારણે થયું. તેની પાસેથી કોઈ સુસાઇડ લેટર મળ્યો ન હતો.


from Divya Bhaskar https://ift.tt/321x2Wr
https://ift.tt/3aAOcyk

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રાકેશ બેદીની એન્ટ્રી, કહ્યું- 12 વર્ષ પહેલાં જે રોલ ઓફર થયો હતો તે જ રોલ હવે ભજવીશ

વરિષ્ઠ એક્ટર રાકેશ બેદી ટૂંક સમયમાં કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળશે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે આ પાત્ર તેમને 12 વર્ષ પહેલાં પણ ઓફર થયું હતું. જોકે, તે સમયે વાત આગળ વધી શકી નહોતી. હવે જ્યારે આ ઓફર બીજીવાર આવી તો તે ઈચ્છે છે કે તેમનો રોલ લાંબા સમય સુધી સિરિયલમાં રહે.

રાકેશ બેદીએ કહ્યું હતું, અસિત મોદી મારા ઘણાં જ સારા મિત્ર છે. મેં તેમની સાથે ભૂતકાળમાં કામ કરેલું છે. આમ તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તારક મહેતા પર આધારિત વાર્તા હતી. જોકે, મેકર્સે પછી આ સિરિયલમાં જેઠાલાલ પર ફોકસ કર્યું હતું.

વધુમાં રાકેશ બેદીએ કહ્યું હતું, મને યાદ છે કે 12 વર્ષ પહેલા જ્યારે આ શોની શરૂઆત થઈ ત્યારે મને તારક મહેતા (શૈલેષ લોઢા)ના બોસનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. જોકે, પછી વાત આગળ વધી નહોતી. હવે આટલા વર્ષો બાદ મેકર્સ ઈચ્છે છે કે સિરિયલમાં તારક મહેતાની વાર્તાને એક્સપ્લોર કરવામાં આવે અને મને ફરી વાર બોસનો રોલ ઓફર કરવામાં આવ્યો છે.

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું, મેં શૂટિંગ શરૂ કરી દીધું છે અને હાલમાં મેકર્સ આ પાત્રને એક્સપ્લોર કરવા માગે છે અને તેના પર દર્શકોનું રિએક્શન જોવા ઈચ્છે છે. હવે તે આ કેવી રીતે કરે છે તે હાલમાં મને પણ ખબર નથી. જોકે, આશા છે કે આ રોલ ચાહકોને પસંદ આવે. હવે આ કેમિયો હશે કે ફૂલ ફ્લેજ્ડ રોલ હશે તે તો ભવિષ્યમાં જ ખબર પડશે.

આ શો તેઓ જુએ છે કે નહીં તે સવાલના જવાબમાં રાકેશ બેદીએ કહ્યું હતું, સાચું કહું તો હું આ સિરિયલ એટલી જોતો નથી. આ શો ઘણો જ લોકપ્રિય છે પરંતુ હું આ શોને નિયમિત રીતે જોતો નથી. હું અને દિલીપ જોષી (જેઠાલાલ) જૂના મિત્રો છીએ. અમે અનેક શોમાં સાથે કામ કર્યું છે અને તેની સાથે ફરી એકવાર કામ કરવાની તક મળી છે.

‘તારક મહેતા’ ઉપરાંત રાકેશ બેદી સિરિયલ ‘ભાબીજી ઘર પર હૈં’માં ભૂરેલાલ (અંગૂરી ભાભીના પિતા)ના રોલમાં ક્યારેક ક્યારેક જોવા મળે છે.

‘તારક મહેતા’ સિરિયલ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારે જેઠાલાલના રોલ માટે દિલીપ જોષી પહેલી પસંદ નહોતા. આ રોલ માટે દિવંગત જતિન કણકિયાની પસંદગી કરવામાં આવી હતી. જોકે, આ સિરિયલનું શૂટિંગ શરૂ થાય તે પહેલા જ કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. રાકેશ બેદી તથા જતિન સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં સાથે જોવા મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rakesh Bedi's entry in taarak mehta ka ooltah chashmah said- I will now play the same role that was offered 12 years ago


from Divya Bhaskar https://ift.tt/2FpNxnB
https://ift.tt/2Y8Kir6

Monday, August 17, 2020

જીવન-મરણની લડાઈ લડતાં ડિરેક્ટર નિશિકાંત કામત માટે ચાહકોએ દુઆ માગી, શ્રદ્ધાંજલિ આપનાર સેલેબ્સે ભૂલ સુધારી

‘ફોર્સ’ તથા ‘દૃશ્યમ’ જેવી ફિલ્મ બનાવનાર ડિરેક્ટર નિશિકાંત કામતની તબિયત ઘણી જ નાજુક છે અને તેઓ હૈદરાબાદની એક હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. આજ સવારે (17 ઓગસ્ટ) તેમના અવસાનના ખોટા ન્યૂઝ આવ્યા બાદ કેટલાક સેલેબ્સે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે, ભૂલનો ખ્યાલ આવતા જ તેઓ કામત માટે પ્રાર્થના કરવા લાગ્યા છે. ચાહકોએ પણ નિશિકાંત કામત માટે ભગવાન પાસે દુઆ માગી હતી.

રિતેશ દેશમુખે નિશિકાંત પર બે ટ્વીટ કરી હતી. પહેલી ટ્વીટમાં કહ્યું હતું, નિશિકાંત કામત વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેઓ હજી પણ જીવિત છે અને લડી રહ્યા છે. ચાલો, તેમના માટે પ્રાર્થના કરીએ. ત્યારબાદ બીજી એક ટ્વીટમાં તેણે કહ્યું હતું, તમામ સન્માનિત મીડિયા સંસ્થાઓએ નિશિકાંત કામત અંગે જે સમાચાર બતાવ્યા, તે તમામને નિવેદન છે કે તેઓ એક સ્પષ્ટીકરણ પણ આપી દે.

રેણુકા શહાણેએ ભૂલ સુધારી, લાંબી ઉંમર માટે દુઆ માગી

સ્વરા ભાસ્કરે માફી માગીને રિતેશનો આભાર વ્યક્ત કર્યો

અબ્બાસ-મસ્તાને પ્રાર્થના કરી

સુચિત્રા કૃષ્ણામૂર્તિએ કહ્યું, સાંભળીને રાહત થઈ

મિલાપ ઝવેરીએ કહ્યું, તેઓ ગંભીર પરંતુ જીવે છે

શ્રુતિ સેઠે પ્રેમ અને દુઆઓ મોકલી

કાસ્ટિંગ ડિરેક્ટર તથા ફિલ્મમેકર મુકેશ છાબરાએ પ્રાર્થના કરી

એક્ટર શરદ કેલકરે પણ દુઆ માગી

ફિલ્મમેકર અશોક પંડિતે હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલું બુલેટિન શૅર કર્યું

જ્હોને કહ્યું, કામત જીવે છે અને તેના માટે પ્રાર્થના કરો

ચાહકોએ પણ કામત માટે પ્રાર્થના કરી
ઘણાં યુઝર્સે નિશિકાંત કામતના નિધનના ખોટા સમાચાર ચલાવનારા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એક યુઝરે નિશિકાંત કામતના સ્વાસ્થ્ય અંગેનું હેલ્થ બુલેટિન પોસ્ટ કર્યું હતું.

લિવર સિરૉસિસની બીમારી
નિશિકાંતની તબિયત છેલ્લાં થોડાં દિવસથી નાજુક છે અને તેઓ હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ છે. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને લિવર સિરૉસિસની બીમારી છે. સૂત્રોના મતે, નિશિકાંત કામત લિવર સિરૉસિસની બીમારીમાંથી ઠીક થઈ ગયા હતા પરંતુ તેમને બીજીવાર આ બીમારીનો ઊથલો માર્યો અને તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

​​​​​​​2005માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
નિશિકાંતે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષે હિટ મરાઠી ફિલ્મમાંથી એક હતી. આ ફિલ્મને મરાઠી બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.

‘દૃશ્યમ’થી લોકપ્રિયતા મળી
17 જૂન, 1970માં મુંબઈના દાદરમાં જન્મેલા નિશિકાંતે 2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2006માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ આધારિત ફિલ્મ ‘મુંબઈ મેરી જાન’ બનાવી હતી. જોકે, 2015માં આવેલી અજય દેવગન-તબ્બુ સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’ને કારણે તેમને વધુ લોકપ્રિયતા મળી. ઈરફાન ખાનની ફિલ્મ ‘મદારી’, જ્હોન અબ્રાહમ સ્ટારર‘ફોર્સ’ તથા ‘રૉકી હેન્ડસમ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. ડિરેક્ટર હોવાની સાથે સાથે તેઓ એક સારા એક્ટર પણ છે.

અનેક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે
‘હાથ આને દે’, ‘સતચ્યા આત ઘરાત’, ‘404 એરર નોટ ફાઉન્ડ’, ‘રૉકી હેન્ડસમ’, ‘ડેડી’, ‘જૂલી 2’, ‘ભાવેશ જોષી’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. ‘રૉકી હેન્ડસમ’માં તેઓ નેગેટિવ રોલ કર્યો હતો. છેલ્લે તેઓ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘ભાવેશ જોષી’માં જોવા મળ્યા હતા. તેઓ ‘દરબદર’ નામની ફિલ્મ પર કામ કરે છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Fans pray for director Nishikant Kamat,


from Divya Bhaskar https://ift.tt/2Y8Vc0m
https://ift.tt/345Oeg6

બિલ્ડિંગનો ગાર્ડ માસ્કને કારણે છોકરીને ઓળખી ન શક્યો, કહ્યું- મને લાગ્યું તે સુશાંતની કોઈ સંબંધી હતી

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના દિવસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે જેમાં એક્ટરની ડેડ બોડી પાસે બ્લેક ડ્રેસમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાઈ રહ્યો છે. ત્યાં જ બિલ્ડિંગ પરિસરમાં બ્લૂ અને વ્હાઇટ કલરની સ્ટ્રિપ્ડ ટીશર્ટ પહેરીને એક મિસ્ટ્રી ગર્લ પણ દોડતી દેખાઈ રહી છે. શંકાસ્પદ વ્યક્તિ સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત હોવાનું જણાવાઈ રહ્યું છે પરંતુ મિસ્ટ્રી ગર્લને લઈને હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે તે છોકરી કા તો રિયા ચક્રવર્તી હતી કા તો તેની ફ્રેન્ડ જમીલા કલકત્તાવાલા. આ બાબતે એક ન્યૂઝ ચેનલે તે બિલ્ડિંગના ગાર્ડ સાથે વાત કરી એ જાણવાની ટ્રાય કરી કે આ છોકરી પરિસર સુધી કઈ રીતે પહોંચી.

ગાર્ડ છોકરીને ઓળખી ન શક્યો
રિપબ્લિક ભારત સાથેની વાતચીતમાં ગાર્ડે કહ્યું કે તે છોકરીને ઓળખી ન શક્યા કારણે તેણે માસ્ક પહેર્યો હતો. જોકે, ગાર્ડના જણાવ્યા મુજબ તે છોકરી કોમ્પ્લેક્સમાં રહેનારા લોકોમાંની ન હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે છોકરીને બેરિકેડ્સ વચ્ચે કોમ્પ્લેક્સમાં જવાની મંજૂરી કેવી રીતે મળી તો તેણે કહ્યું કે, તેને લાગ્યું કે તે છોકરી સુશાંતની કોઈ જાણીતી હશે અથવા પછી કોઈ સંબંધી હોય.

કોણ છે જમીલા કલકત્તાવાલા
જમીલા કલકત્તાવાલા એક મોડલ છે અને રીયાનો ભાઈ શોવિક તેને ડેટ કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સુશાંત અને રિયાનો એક જૂનો ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો. આ ફોટોમાં શોવિક જમીલા સાથે દેખાયો હતો.

શનિવારે સામે આવી મિસ્ટ્રી ગર્લની થિયરી
શનિવારે ઘણા રિપોર્ટ્સમાં આ મિસ્ટ્રી ગર્લની થિયરી સામે આવી હતી. વાઇરલ વીડિયોમાં આ છોકરી પોલીસની હાજરીમાં બિલ્ડિંગ પરિસરમાં દોડતી દેખાઈ હતી. તે અમુક સેકન્ડ્સ પછી બ્લેક ડ્રેસમાં રહેલ શંકાસ્પદ વ્યક્તિ (જેને સુશાંતનો હાઉસ મેનેજર દીપેશ સાવંત ગણાવવામાં આવી રહ્યો છે)ને મળી. તે વ્યક્તિના હાથમાં એક બ્લેક બેગ હતી જે છોકરીને મળ્યા પછી ગાયબ થઇ ગઈ હતી. આ બાબતે એક્ટરના પરિવારે શંકા વ્યક્ત કરી છે કે શું આ બધું પુરાવા નષ્ટ કરવા માટે તો કરવામાં આવતું ન હતું ને?

સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, જો કોઈ માણસ ઘરમાંથી કંઈક લઈને જઈ રહ્યો છે તો તે શંકાસ્પદ છે. જો તે કોઈ છોકરી સાથે વાત કરે છે અને ત્યારબાદ ગાયબ થઇ જાય છે તો આ એનાથી પણ વધુ શંકાસ્પદ છે. તે છોકરીની ઓળખ થવી જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શનિવારે ઘણા રિપોર્ટ્સમાં આ મિસ્ટ્રી ગર્લની થિયરી સામે આવી હતી.


from Divya Bhaskar https://ift.tt/2Q5Lw1T
https://ift.tt/348RYxE

નિકટના મિત્ર કુશલ ઝવેરીનો ખુલાસો, સુશાંત ડિપ્રેશનમાં નહોતો, છેલ્લીવાર થયેલી વાતચીતના સ્ક્રીનશોટ શૅર કર્યા

એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે સુશાંતના નિકટના મિત્ર તથા સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના ડિરેક્ટર કુશલ ઝવેરીએ એક વ્હોટ્સએપ ચેટ રિલીઝ કરીને દાવો કર્યો છે કે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. આ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. સુશાંત તથા કુશલની આ છેલ્લી વાતચીત હોવાનું કહેવાઈ રહ્યું છે.

કુશલે જે સ્ક્રીનશોટ શૅર કર્યો છે, તેમાં સુશાંતે કહ્યું હતું કે તેની તબિયત એકદમ ઠીક છે. પછી તે કુશલને સમજાવે છે કે જીવનમાં ક્યારેય સંઘર્ષથી ડરવું જોઈએ નહીં. આ જ જીવનનો ગોલ્ડન પીરિયડ છે.

કુશલ ઝવેરીએ શૅર કરેલો સ્ક્રીનશોટ

MeToo પર કુશલે ખુલાસો કર્યો હતો
આ પહેલા કુશલ ઝવેરીએ ખુલાસો કર્યો હતો કે MeTooના આક્ષેપો બાદ સુશાંત સિંહ રાજપૂત ચાર રાત સુધી સૂઈ શક્યો નહોતો. તે રાહ જોતો હતો કે એક્ટ્રેસ સંજના સાંઘી ક્યારેય આ આક્ષેપોની સાચી વાત કહેશે. 2018માં અફવા ઉડી હતી કે ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન સુશાંતે પોતાની કો-સ્ટાર સંજના સાંઘી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, એક્ટ્રેસે પછી આ આક્ષેપોને ખોટો ગણાવ્યાં હતાં.

સુશાંતના સમર્થનમાં મીડિયા પોસ્ટ લખી હતી
આ પહેલા કુશલે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, હું જુલાઈ 2018થી ફેબ્રુઆરી 2019 સુધી સુશાંતની સાથે હતો. આ દરમિયાન જ્યારે તેની પર MeToo મૂવમેન્ટ હેઠળ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ત્યારે તેની સ્થિતિ ઘણી જ ખરાબ હતી. ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ પુરાવા વગર તેને ટાર્ગેટ કરતા હતા. તે સમયે અમે સંજના સાંઘીનો સંપર્ક કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અમેરિકામાં હતી અને કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવામાં સક્ષમ નહોતી. (વિચિત્ર સંયોગ હતો)

સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો
34 વર્ષીય સુશાંતનો પાર્થિવ દેહ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અત્યાર સુધી 56 જેટલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલમાં આ કેસની તપાસ CBI પાસે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Close friend Kushal Zaveri's revelation, Sushant was not depressed, shared screenshots of the last conversation


from Divya Bhaskar https://ift.tt/348NwPs
https://ift.tt/3iRImeP

બહેન શ્વેતાએ કહ્યું, પ્રેયર મીટમાં વિશ્વભરના 10 લાખથી વધુ લોકો સામેલ થયા, અંકિતાએ લખ્યું- પ્રાર્થનાઓ કંઈ પણ બદલી શકે છે

સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હાલમાં જ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે એક ગ્લોબલ પ્રેયર મીટનું આયોજન કર્યું હતું. આ પ્રેયર મીટમાં વિશ્વભરના લોકોએ ઓનલાઈન ભાગ લીધો હતો. શ્વેતાએ કહ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ યોજાયેલ આ પ્રેયર મીટમાં વિશ્વભરના 10 લાખથી વધુ લોકો સામેલ થયા હતા.

સોશિયલ મીડિયામાં પ્રેયર મીટની તસવીરો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, સુશાંત માટે પ્રાર્થના કરવા માટે વિશ્વભરના એક મિલિયન (10 લાખ)થી વધુ લોકો સામેલ થયા હતા. આ એક આધ્યાત્મિક ક્રાંતિ છે અને આ વિશ્વભરમાં ઝડપથી આગળ વધી રહી છે. અમારી પ્રાર્થના અનુત્તર રહેશે નહીં. હેશટેગ સાથે GlobalPrayers4SSR, CBIForSSR, Godiswithus, JusticeForSushant લખ્યું હતું.

અંકિતા લોખંડેએ કમેન્ટ કરી


શ્વેતાની પોસ્ટ પર સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેએ કમેન્ટ કરતાં કહ્યું હતું, પ્રાર્થનાઓ કંઈ પણ બદલી શકે છે.

14 ઓગસ્ટે પોસ્ટ શૅર કરીને માહિતી આપી હતી
શ્વેતાએ 14 ઓગસ્ટે સોશિયલ મીડિયામાં ગ્લોબલ પ્રેયર મીટનું પોસ્ટર શૅર કરીને કહ્યું હતું, સુશાંત સિંહ રાજપૂત માટે 24 કલાક ગ્લોબલ સ્પ્રિચ્યુઅલ તથા પ્રેયર ઓબ્ઝર્વેશન યોજવામાં આવ્યું છે અને હું તમામને અપીલ કરું છું કે તમે અમારી સાથે સામેલ થાવ, જેથી સત્ય સામે આવી શકે અને આપણાં પ્રેમાળ સુશાંત માટે અમને ન્યાય મળી શકે.

કાળ ભૈરવની ઉપાસના કરી
શ્વેતાએ 17 ઓગસ્ટના રોજ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે પૂજા કરતી જોવા મળી હતી. વીડિયો શૅર કરીને શ્વેતાએ કહ્યું હતું, આજે કાળ ભૈરવની પ્રાર્થના કરી અને તેમને સત્ય તથા અમારું માર્ગદર્શન કરવાનું કહ્યું.

ફેમિલી વીડિયો શૅર કર્યો હતો
આ પહેલા શ્વેતાએ સોશિયલ મીડિયામાં સુશાંત સાથેનો એક ફેમિલી વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ચારેય ભાઈ-બહેન મસ્તી કરતા જોવા મળ્યા હતા.

સુશાંતના મોતને બે મહિના થયા
સુશાંત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી છે. જોકે, 25 જુલાઈના રોજ સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની પ્રેમિકા સહિત છ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારબાદ બિહાર સરકારની ભલામણ પર આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો. સુશાંતના પરિવારે રિયા પર 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો આક્ષેપ મૂક્યો છે. ED પણ આ કેસની તપાસ કરી રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sushant global prayer meet Sister Shweta says Prayer Meet was attended by more than 1 million people from around the world, Ankita wrote - Prayers can change anything


from Divya Bhaskar https://ift.tt/312dF05
https://ift.tt/2Czwv5B

સૈફના બર્થડે પર સારાએ પિતા સાથેની યાદગાર તસવીરો શેર કરી

વીડિયો ડેસ્ક:બોલિવુડમાં છોટે નવાબના નામે પોપ્યુલર એવા સૈફ અલી ખાને ગઈકાલે એટલે કે 16 ઓગષ્ટે પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. પરિવારની સાથે સૌ ફેન્સ તરફથી સૈફને શુભકામનાઓ આપવામાં આવી. ત્યારે સારા અલી ખાને સોશિયલ મીડિયા પર પિતા સૈફ સાથે પોતાની કેટલીક યાદગાર તસ્વીરો શેર કરી છે. આ ફોટોઝમાં સારા અને સૈફનું બોન્ડીંગ જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો હાલ વાયરલ થઈ રહી છે. સારાએ લખ્યુ કે હેપી બર્થ ડે મારા અબ્બા. સૈફ અલી ખાને બોલિવુડમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે.. જેમાં દિલ ચાહતા હૈ, સલામ નમસ્તે, કલ હો ના હો તથા હમ તુમ જેવી પોપ્યુલર ફિલ્મોનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sara shared memorable pics with her father on Saif's birthday


from Divya Bhaskar https://ift.tt/3g5kr9V
https://ift.tt/2DQ7UtZ

આધ્યાત્મિક ગુરુનો ખુલાસો- ગૂગલ પર સર્ચ કરીને રિયા ચક્રવર્તીએ મને સુશાંતની સારવાર માટે બોલાવ્યો હતો, એક્ટર સાથે વધુ વાતચીત થઇ ન હતી

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે. થાણે બેઝ્ડ આધ્યાત્મિક ગુરુ મોહન સદાશિવ જોશીનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ 2019માં રિયા ચક્રવર્તીએ તેને કહ્યું હતું કે સુશાંત ડિપ્રેશનમાં હતો. ત્યારબાદ સતત બે દિવસ તેમની એક્ટર સાથે મીટિંગ થઇ હતી પણ ખાસ વાત એ છે કે સુશાંત સાથે તેમની વધુ વાત થઈ ન હતી.

ટાઈમ્સ નાઉ સાથે કરેલી વાતચીતમાં મોહન જોશીએ કહ્યું કે સુશાંતને તેના કોર્નર સ્ટોર રેસિડન્સમાં બે વખત મળ્યો હતો. જોશીએ કહ્યું, 22 અને 23 નવેમ્બરના રોજ તેને મળ્યો હતો. 22 નવેમ્બરે મેં તેને બ્લેસિંગ આપ્યા હતા. પછી 23 નવેમ્બરે મને રિયાનો ફોન આવ્યો અને કહ્યું સુશાંતને ઘણું સારું છે. તે જ દિવસે હું તેમને ફરી મળ્યો અને અમે ત્રણ લોકોએ સાથે લંચ પણ કર્યો હતો.

રિયાએ ગૂગલ પર સર્ચ કરીને બોલાવ્યા હતા
જ્યારે જોશીને પૂછવામાં આવ્યું કે તેમને રિયાએ બોલાવ્યા હતા કે કોઈ અન્ય રીતે તે તેના સુધી પહોંચ્યા હતા? જવાબમાં જોશીએ કહ્યું, રિયાએ મને બોલાવ્યો હતો. હું મારી જાહેરાત નથી કરતો. ડિપ્રેશનના શિકાર થયેલા લોકો મને ગૂગલ પર સર્ચ કરે છે અને પછી મારો સંપર્ક સાધે છે. રિયાએ મને કહ્યું કે સુશાંત ડિપ્રેશનમાં છે. જોશીના જણાવ્યા અનુસાર, સુશાંતને મળ્યા ત્યારે તે ડિપ્રેશનમાં હતો. તેમણે તેની સારવાર કરી અને બીજે દિવસે તેને જણાવ્યું કે તે 90% સરખો થઇ ગયો છે.

મોહન જોશી કઈ રીતે હીલ કરે છે
જોશીએ કહ્યું, તે તેના હાથ મારફતે પીડિત વ્યક્તિની અંદર એનર્જી મોકલે છે. મારા હાથ ગરમ રહે છે. આ એનર્જી માણસના શરીરની અંદર જાય છે. આ એનર્જી તેને ઠીક કરે છે. હું નથી કરતો. તેમણે આગળ જણાવ્યું કે, તે આ કામ માટે કોઈ ફી નથી લેતા પરંતુ કોઈ પોતાની મરજીથી કઈ આપવા ઈચ્છે તો સ્વીકારી લે છે. તે કોઈ પ્રકારની પૂજા પણ નથી કરતા અને તેમનું માનવું છે કે તે નાસ્તિક છે.

બાંદ્રા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા
જોશીના જણાવ્યા મુજબ બાંદ્રા પોલીસે તેમને ફોન કરીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું, મેં તેમને કહ્યું કે હું 70 વર્ષનો છું અને મારી એંજિયોગ્રાફી થઇ છે. હું એટલે દૂર ન આવી શકું. મેં જે કંઈપણ કહ્યું તે રેકોર્ડમાં છે. હું તમને મોકલી શકું છું.

આ દરમ્યાન જોશી ને એવો સવાલ પણ કરવામાં આવ્યો કે તે જે કરે છે એ બ્લેક મેજિકથી કેટલું અલગ છે? તેમણે કહ્યું તમે આને વ્હાઇટ મેજિક કહી શકો છો. હું બસ લોકોને બ્લેસ કરું છું. તેમને મળું છું અને તેમની સારવાર કરું છું. તેમણે એવું પણ જણાવ્યું કે સુશાંત પહેલાં તેમણે દિવંગત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એન. ધરમ સિંહ અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ બલરામ જાખડ સહિત ઘણા લોકોની સારવાર કરી છે.

સુશાંતના ઘરે તંત્ર વિદ્યા થતી હોવાના સમાચાર આવ્યા હતા
આ પહેલાં એવા સમાચાર હતા કે કોઈ તાંત્રિક સુશાંતના ઘરમાં પૂજા પાઠ કરતા હતા. રિપોર્ટ્સ અનુસાર, સુશાંતના જૂના સ્ટાફે પટના પોલીસની SITની પૂછપરછમાં આ વાત સ્વીકારી હતી. તેના જણાવ્યા મુજબ, રિયા સુશાંતને એવું કહીને તાંત્રિક બોલાવતી હતી કે તેઓ પૂજા પાઠ કરીને બધી મુશ્કેલીઓથી મુક્ત કરાવશે. એવું જણાવાઈ રહ્યું છે કે આ તાંત્રિક મહિનામાં બેથી ત્રણ વખત સુશાંતના ઘરે આવતો રહેતો હતો.

રિયા સુશાંતના બધા નિર્ણય લેતી હતી
થોડા દિવસ પહેલાં EDએ સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી અને મેનેજર અખિલેશની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુશાંતના દરેક પ્રકારના ફાઇનાન્શિયલ ડિસિઝન રિયા લેતી હતી. 17 ઓગસ્ટે રિયાના CA રિતેશ શાહને બીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. અગાઉ રિયા, તેના પિતા ઇન્દ્રજીત, ભાઈ શોવિક, સુશાંતની બહેન મિતુ સહિત ઘણાની EDએ પૂછપરછ કરી લીધી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંતને આધ્યાત્મિક હીલિંગ આપી ચૂકેલા મોહન સદાશિવના જણાવ્યા મુજબ, તેણે સુશાંત અને રિયા સાથે તેના ઘરે લંચ પણ કર્યો હતો


from Divya Bhaskar https://ift.tt/2CBSqsQ
https://ift.tt/3l1Nuim

‘દૃશ્યમ’ ફૅમ ડિરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન, કમળો થવાથી 17 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા

50 વર્ષીય ફિલ્મ ડિરેક્ટર નિશિકાંત કામતનું હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં આજે એટલે કે 17 ઓગસ્ટના રોજ સવારે અવસાન થયું હતું. નિશિકાંત કામતને 31 જુલાઈના રોજ હૈદરાબાદ સ્થિત ગચીબોવલી સ્થિત AIG હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને કમળો તથા પેટમાં દુખાવાની તકલીફ હતી. 13 ઓગસ્ટના રોજ હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે હવે નિશિકાંત કામત આઉટ ઓફ ડેન્જર છે. જોકે, તે સમયે તેઓ ICUમાં જ એડમિટ હતા.

ઈન્ડસ્ટ્રીએ સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી

છેલ્લાં કેટલાક દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતા
નિશિકાંતની તબિયત છેલ્લાં થોડાં દિવસથી નાજુક હતી અને તેઓ હૈદરાબાદની હોસ્પિટલમાં એડમિટ હતા. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમને લીવર સિરૉસિસની બીમારી હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા પરંતુ અચાનક જ તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

બીજીવાર બીમારીએ ઊથલો માર્યો હતો
સૂત્રોના મતે, નિશિકાંત કામત લીવર સિરૉસિસની બીમારીમાંથી ઠીક થઈ ગયા હતા પરંતુ તેમને બીજીવાર આ બીમારીનો ઊથલો માર્યો હતો અને તેમની હાલત ગંભીર બની ગઈ હતી.

2005માં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું
નિશિકાંતે મરાઠી ફિલ્મ ‘ડોંબિવલી ફાસ્ટ’થી મરાઠી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષે હિટ મરાઠી ફિલ્મમાંથી એક હતી. આ ફિલ્મને મરાઠી બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.

‘દૃશ્યમ’થી લોકપ્રિયતા મળી
17 જૂન, 1970માં મુંબઈના દાદરમાં જન્મેલા નિશિકાંતે 2008માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 2006માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ આધારિત ફિલ્મ ‘મુંબઈ મેરી જાન’ બનાવી હતી. જોકે, 2015માં આવેલી અજય દેવગન-તબ્બુ સ્ટારર ફિલ્મ ‘દૃશ્યમ’ને કારણે તેમને વધુ લોકપ્રિયતા મળી હતી. ઈરફાન ખાનની ફિલ્મ ‘મદારી’, જ્હોન અબ્રાહમ સ્ટારર‘ફોર્સ’ તથા ‘રૉકી હેન્ડસમ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. ડિરેક્ટર હોવાની સાથે સાથે તેઓ એક સારા એક્ટર પણ હતા.

અનેક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી હતી
‘હાથ આને દે’, ‘સતચ્યા આત ઘરાત’, ‘404 એરર નોટ ફાઉન્ડ’, ‘રૉકી હેન્ડસમ’, ‘ડેડી’, ‘જૂલી 2’, ‘ભાવેશ જોષી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. ‘રૉકી હેન્ડસમ’માં તેઓ નેગેટિવ રોલમાં જોવા મળ્યા હતા. છેલ્લે તેઓ હર્ષવર્ધન કપૂરની ફિલ્મ ‘ભાવેશ જોષી’માં જોવા મળ્યા હતા. તેઓ ‘દરબદર’ નામની ફિલ્મ પર કામ કરતા હતા અને માનવામાં આવતું હતું કે આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Drishyam' fame director Nishikant Kamat dies at Hyderabad hospital


from Divya Bhaskar https://ift.tt/31W2SUJ
https://ift.tt/34dBrrY

સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમના દીકરા ચરણે વીડિયો રિલીઝ કરીને કહ્યું, પિતા ડૉક્ટર્સને ઓળખવા લાગ્યા છે પરંતુ હજી પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર

સિંગર એસ પી બાલા સુબ્રમણ્યમ છેલ્લા 11 દિવસથી કોરોનાને કારણે હોસ્પિટલમાં એડમિટ છે. હાલમાં જ તેમના દીકરાએ પિતાની તબિયત અંગે વીડિયો રિલીઝ કર્યો હતો. ચરણ એસપીએ ફેસબુક પર વીડિયો શૅર કરીને કહ્યું હતું કે પિતાની રિકવરી અંગે ડૉક્ટર્સ આશાસ્પદ છે. જોકે, આમાં કેટલાંક મહિનાઓ થઈ શકે છે. ચરણે કહ્યું હતું કે તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. સારી વાત એ છે કે હવે પિતા ડૉક્ટર્સને ઓળખવા લાગ્યા છે અને થમ્સ-અપ સાઈન પણ બતાવી રહ્યા છે. તેમને શ્વાસ લેવામાં થોડી રાહત થઈ છે પરંતુ હજી પણ તે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.

એસપીની પત્ની સાવિત્રીને પણ કોરોના થયો હતો
વીડિયોના અંતે ચરણે પોતાની માતા સાવિત્રી અંગે વાત કરી હતી. એસપી બાલાસુબ્રમણ્યમની પત્નીને પણ કોરોના થયો હતો. ચરણે કહ્યું હતું કે તેની માતાની તબિયત પહેલા કરતાં સારી છે. તેમને 18 કે 19 ઓગસ્ટે રજા આપવામાં આવશે. આ સારી બાબત છે. તેને વિશ્વાસ છે કે પિતા પણ ટૂંક સમયમાં સાજા થઈ જશે. તમારા પ્રેમ માટે આભાર.

પાંચ ઓગસ્ટે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
પાંચ ઓગસ્ટના રોજ એસપીને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 13 ઓગસ્ટના રોજ તેમને મેડિકલ ટીમની સલાહના આધારે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. એસપીએ વીડિયો રિલીઝ કરીને કહ્યું હતું કે તેમને કોરોના થયો છે અને હળવા લક્ષણો છે. શરૂઆતમાં ડૉક્ટર્સે તેમને હોમ ક્વૉરન્ટીનમાં રહેવાની સલાહ આપી હતી. જોકે, તેઓ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં એડમિટ થયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Singer SP Balasubramaniam son Charan released the video, saying the father has started recognizing doctors but is still on the life support system.


from Divya Bhaskar https://ift.tt/317eOUx
https://ift.tt/2Q13F18

આદિત્ય ચોપરા પિતા યશ ચોપરાની બર્થ એનિવર્સરી ખાસ અંદાજમાં મનાવશે, સાતથી નવ ફિલ્મની જાહેરાત કરશે

યશરાજ ફિલ્મ યશ ચોપરાની બર્થ એનિવર્સરીને ખાસ બનાવવા માટે અલગ તૈયારી કરી રહ્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ યશ ચોપરાની 88મી બર્થ એનિવર્સરી છે. આ પ્રસંગે તેમનો દીકરો આદિત્ય ચોપરા સાતથી નવ ફિલ્મની જાહેરાત કરશે. સ્વર્ગીય પિતાની યાદમાં આદિત્ય ‘પ્રોજેક્ટ 50’ના નામથી આ ફિલ્મની જાહેરાત કરશે.

આદિત્ય 27 સપ્ટેમ્બરે તમામ ફિલ્મના નામ, કલાકારો તથા ડિરેક્ટરના નામનો ખુલાસો કરશે. તે પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઈચ્છે છે. ટ્રેડ પંડિતોના મતે, આ દિવસે સાતથી નવ ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. આ તમામ ફિલ્મ આગામી મહિનાઓથી ફ્લોર પર જશે, આમાંથી ચાર ફિલ્મમાં શાહરુખ ખાન, અજય દેવગન, વિકી કૌશલ તથા સલમાન ખાન હશે.

શાહરુખ ખાનની ફિલ્મનું નામ ‘પઠાન’ હોઈ શકે છે
માનવામાં આવે છે કે શાહરુખ ખાનની ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદ કરશે. આ ફિલ્મનું નામ ‘પઠાન’ હોઈ શકે છે. જોકે, આ ટાઈટલ સિવાય અન્ય બે-ત્રણ ટાઈટલ પણ રાખવામાં આવ્યા છે. હાલમાં ‘પઠાન’ વર્કિંગ ટાઇટલ છે. બની શકે કે ફિલ્મની જાહેરાત થાય ત્યારે ‘પઠાન’ને બદલે અન્ય કોઈ ટાઇટલની જાહેરાત કરવામાં આવે. જોકે, એ વાત નક્કી છે કે આ ફિલ્મ એક્શન ફિલ્મ હશે. સિદ્ધાર્થ આનંદની ‘વૉર’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

સલમાન ખાન પહેલી જ વાર મનિષ શર્મા સાથે કામ કરશે
સલમાન ખાનની ફિલ્મનું ડિરેક્શન મનિષ શર્મા કરશે. સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈં’ની સિક્વલ હશે. સલમાન તથા મનિષ પહેલી જ વાર સાથે કામ કરશે.

વિકી કૌશલની ફિલ્મને વિજય કૃષ્ણ ડિરેક્ટ કરશે
વિકી કૌશલે પોતાની કોમેડી ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. હાલમાં જ તે ફિલ્મ સંદર્ભે આદિત્ય ચોપરાને મળ્યો પણ હતો. એક્શન ફિલ્મ બનાવનારા વિજય કૃષ્ણ આચાર્ય આ કોમેડી ફિલ્મને ડિરેક્ટ કરશે.

અજય દેવગન પહેલી જ વાર યશરાજ સાથે કામ કરશે
અજય દેવગનની ફિલ્મનું ડિરેક્શન શિવ રવૈલ કરશે. બંને પહેલી જ વાર યશરાજ બેનર હેઠળ કામ કરશે.

બાકીની ત્રણથી પાંચ ફિલ્મમાં આ કલાકારો હોઈ શકે છે
આ ચાર ફિલ્મ ઉપરાંત અન્ય પાંચ ફિલ્મ કઈ હશે તેના પર હજી સુધી સસ્પેન્સ છે. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણ ફિલ્મમાં રણવીર સિંહ, રાની મુખર્જી તથા આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. બાકીની બે ફિલ્મ અંગે હજી સુધી કોઈ માહિતી મળી શકી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Aditya Chopra to celebrate Yash Chopra's birth anniversary in a special way, to announce seven to nine films


from Divya Bhaskar https://ift.tt/3kQfAg9
https://ift.tt/2EcB461

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...