એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે સુશાંતના નિકટના મિત્ર તથા સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ના ડિરેક્ટર કુશલ ઝવેરીએ એક વ્હોટ્સએપ ચેટ રિલીઝ કરીને દાવો કર્યો છે કે સુશાંત ડિપ્રેશનમાં નહોતો. આ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે. સુશાંત તથા કુશલની આ છેલ્લી વાતચીત હોવાનું કહેવાઈ રહ્યું છે.
કુશલે જે સ્ક્રીનશોટ શૅર કર્યો છે, તેમાં સુશાંતે કહ્યું હતું કે તેની તબિયત એકદમ ઠીક છે. પછી તે કુશલને સમજાવે છે કે જીવનમાં ક્યારેય સંઘર્ષથી ડરવું જોઈએ નહીં. આ જ જીવનનો ગોલ્ડન પીરિયડ છે.
MeToo પર કુશલે ખુલાસો કર્યો હતો
આ પહેલા કુશલ ઝવેરીએ ખુલાસો કર્યો હતો કે MeTooના આક્ષેપો બાદ સુશાંત સિંહ રાજપૂત ચાર રાત સુધી સૂઈ શક્યો નહોતો. તે રાહ જોતો હતો કે એક્ટ્રેસ સંજના સાંઘી ક્યારેય આ આક્ષેપોની સાચી વાત કહેશે. 2018માં અફવા ઉડી હતી કે ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન સુશાંતે પોતાની કો-સ્ટાર સંજના સાંઘી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જોકે, એક્ટ્રેસે પછી આ આક્ષેપોને ખોટો ગણાવ્યાં હતાં.
View this post on InstagramA post shared by Kushal Zaveri (@kushalz) on Aug 5, 2020 at 11:00pm PDT
સુશાંતના સમર્થનમાં મીડિયા પોસ્ટ લખી હતી
આ પહેલા કુશલે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, હું જુલાઈ 2018થી ફેબ્રુઆરી 2019 સુધી સુશાંતની સાથે હતો. આ દરમિયાન જ્યારે તેની પર MeToo મૂવમેન્ટ હેઠળ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા ત્યારે તેની સ્થિતિ ઘણી જ ખરાબ હતી. ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈ પણ પુરાવા વગર તેને ટાર્ગેટ કરતા હતા. તે સમયે અમે સંજના સાંઘીનો સંપર્ક કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તે અમેરિકામાં હતી અને કોઈ પણ પ્રકારની કમેન્ટ કરવામાં સક્ષમ નહોતી. (વિચિત્ર સંયોગ હતો)
સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળ્યો હતો
34 વર્ષીય સુશાંતનો પાર્થિવ દેહ મુંબઈના બાંદ્રા સ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અત્યાર સુધી 56 જેટલા વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા છે. હાલમાં આ કેસની તપાસ CBI પાસે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/348NwPs
https://ift.tt/3iRImeP
No comments:
Post a Comment
If you have any doubts please let me know!