એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે. થાણે બેઝ્ડ આધ્યાત્મિક ગુરુ મોહન સદાશિવ જોશીનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ 2019માં રિયા ચક્રવર્તીએ તેને કહ્યું હતું કે સુશાંત ડિપ્રેશનમાં હતો. ત્યારબાદ સતત બે દિવસ તેમની એક્ટર સાથે મીટિંગ થઇ હતી પણ ખાસ વાત એ છે કે સુશાંત સાથે તેમની વધુ વાત થઈ ન હતી.
ટાઈમ્સ નાઉ સાથે કરેલી વાતચીતમાં મોહન જોશીએ કહ્યું કે સુશાંતને તેના કોર્નર સ્ટોર રેસિડન્સમાં બે વખત મળ્યો હતો. જોશીએ કહ્યું, 22 અને 23 નવેમ્બરના રોજ તેને મળ્યો હતો. 22 નવેમ્બરે મેં તેને બ્લેસિંગ આપ્યા હતા. પછી 23 નવેમ્બરે મને રિયાનો ફોન આવ્યો અને કહ્યું સુશાંતને ઘણું સારું છે. તે જ દિવસે હું તેમને ફરી મળ્યો અને અમે ત્રણ લોકોએ સાથે લંચ પણ કર્યો હતો.
રિયાએ ગૂગલ પર સર્ચ કરીને બોલાવ્યા હતા
જ્યારે જોશીને પૂછવામાં આવ્યું કે તેમને રિયાએ બોલાવ્યા હતા કે કોઈ અન્ય રીતે તે તેના સુધી પહોંચ્યા હતા? જવાબમાં જોશીએ કહ્યું, રિયાએ મને બોલાવ્યો હતો. હું મારી જાહેરાત નથી કરતો. ડિપ્રેશનના શિકાર થયેલા લોકો મને ગૂગલ પર સર્ચ કરે છે અને પછી મારો સંપર્ક સાધે છે. રિયાએ મને કહ્યું કે સુશાંત ડિપ્રેશનમાં છે. જોશીના જણાવ્યા અનુસાર, સુશાંતને મળ્યા ત્યારે તે ડિપ્રેશનમાં હતો. તેમણે તેની સારવાર કરી અને બીજે દિવસે તેને જણાવ્યું કે તે 90% સરખો થઇ ગયો છે.
મોહન જોશી કઈ રીતે હીલ કરે છે
જોશીએ કહ્યું, તે તેના હાથ મારફતે પીડિત વ્યક્તિની અંદર એનર્જી મોકલે છે. મારા હાથ ગરમ રહે છે. આ એનર્જી માણસના શરીરની અંદર જાય છે. આ એનર્જી તેને ઠીક કરે છે. હું નથી કરતો. તેમણે આગળ જણાવ્યું કે, તે આ કામ માટે કોઈ ફી નથી લેતા પરંતુ કોઈ પોતાની મરજીથી કઈ આપવા ઈચ્છે તો સ્વીકારી લે છે. તે કોઈ પ્રકારની પૂજા પણ નથી કરતા અને તેમનું માનવું છે કે તે નાસ્તિક છે.
બાંદ્રા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા
જોશીના જણાવ્યા મુજબ બાંદ્રા પોલીસે તેમને ફોન કરીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું, મેં તેમને કહ્યું કે હું 70 વર્ષનો છું અને મારી એંજિયોગ્રાફી થઇ છે. હું એટલે દૂર ન આવી શકું. મેં જે કંઈપણ કહ્યું તે રેકોર્ડમાં છે. હું તમને મોકલી શકું છું.
આ દરમ્યાન જોશી ને એવો સવાલ પણ કરવામાં આવ્યો કે તે જે કરે છે એ બ્લેક મેજિકથી કેટલું અલગ છે? તેમણે કહ્યું તમે આને વ્હાઇટ મેજિક કહી શકો છો. હું બસ લોકોને બ્લેસ કરું છું. તેમને મળું છું અને તેમની સારવાર કરું છું. તેમણે એવું પણ જણાવ્યું કે સુશાંત પહેલાં તેમણે દિવંગત બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એન. ધરમ સિંહ અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ બલરામ જાખડ સહિત ઘણા લોકોની સારવાર કરી છે.
સુશાંતના ઘરે તંત્ર વિદ્યા થતી હોવાના સમાચાર આવ્યા હતા
આ પહેલાં એવા સમાચાર હતા કે કોઈ તાંત્રિક સુશાંતના ઘરમાં પૂજા પાઠ કરતા હતા. રિપોર્ટ્સ અનુસાર, સુશાંતના જૂના સ્ટાફે પટના પોલીસની SITની પૂછપરછમાં આ વાત સ્વીકારી હતી. તેના જણાવ્યા મુજબ, રિયા સુશાંતને એવું કહીને તાંત્રિક બોલાવતી હતી કે તેઓ પૂજા પાઠ કરીને બધી મુશ્કેલીઓથી મુક્ત કરાવશે. એવું જણાવાઈ રહ્યું છે કે આ તાંત્રિક મહિનામાં બેથી ત્રણ વખત સુશાંતના ઘરે આવતો રહેતો હતો.
રિયા સુશાંતના બધા નિર્ણય લેતી હતી
થોડા દિવસ પહેલાં EDએ સુશાંતની એક્સ મેનેજર શ્રુતિ મોદી અને મેનેજર અખિલેશની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે સુશાંતના દરેક પ્રકારના ફાઇનાન્શિયલ ડિસિઝન રિયા લેતી હતી. 17 ઓગસ્ટે રિયાના CA રિતેશ શાહને બીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. અગાઉ રિયા, તેના પિતા ઇન્દ્રજીત, ભાઈ શોવિક, સુશાંતની બહેન મિતુ સહિત ઘણાની EDએ પૂછપરછ કરી લીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CBSqsQ
https://ift.tt/3l1Nuim
No comments:
Post a Comment
If you have any doubts please let me know!