Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/6_1588849536.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/07/6_1588849536.jpg. Show all posts

Thursday, May 7, 2020

પાઉલો કોએલોએ સંજય મિશ્રાની ‘કામયાબ’ના વખાણ કર્યાં, એક્ટરે કહ્યું- આજે મારા પિતા જીવિત હોત તો ઘણાં ખુશ થાત

હિંદી સિનેમાના કલાકાર સંજય મિશ્રા હાલમાં ઘણાં જ ખુશ છે. હાલમાં જ તેમની ફિલ્મ ‘કામયાબ’ને લઈ જાણીતા ઓથર પાઉલો કોએલોએ સંજય મિશ્રાના વખાણ કર્યાં હતાં. સંજય મિશ્રાની આ ફિલ્મ જોતા સમયે પાઉલો કોએલોની આંખમાંથી આંસુ આવી ગયા હતાં.

શું ટ્વીટ કરી?
પાઉલો કોએલોએ ટ્વીટ કરી હતી કે સંજય મિશ્રાએ ‘કામયાબ’માં અફલાતૂન પર્ફોમન્સ આપ્યું છે. તેમનું પર્ફોમન્સ જોઈને તેમની આંખમાંથી પાણી આવી ગયું.

સંજય મિશ્રાએ આ જવાબ આપ્યો
પાઉલો કોએલોની ટ્વીટ પર સંજય મિશ્રાએ જવાબ આપ્યો હતો, આજે મારા પિતા જીવિત હોત તો તેઓ ઘણાં જ ખુશ થાત. મેં મારી માતાને, ફિલ્મના યુનિટ તથા ફિલ્મના સ્ક્રીનરાઈટર, ડિરેક્ટર હાર્દિક મહેતાને આ વાત કહી હતી. તે તમામ ઘણાં જ ખુશ થયા. આભાર. હેલ્થનું ધ્યાન રાખો. સલામત રહો.

શું છે ફિલ્મની સ્ટોરી?
હાર્દિક મહેતાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સંજય મિશ્રાએ કેરેક્ટર આર્ટિસ્ટનો રોલ પ્લે કર્યો છે. તે પોતાના કરિયરની 500મી ફિલ્મ કરવા જાય છે. આ ફિલ્મ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં ચરિત્ર કલાકારોની હાલત દર્શાવવામાં આવી છે.

નેટફ્લિક્સ પર ટોપ 10માં સામેલ
‘કામયાબ’ થિયેટરમાં છ માર્ચના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મને ખાસ રિસ્પોન્સ મળ્યો નહોતો. જોકે, આ ફિલ્મ નેટફ્લિક્સ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ટોપ 10માં ચાલે છે. ફિલ્મમાં સંજય મિશ્રા ઉપરાંત દીપક ડોબરિયાલ, નાસિર ખાન, ઈશા તલવાર હતાં. આ ફિલ્મને શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝે પ્રોડ્યૂસ કરી હતી.

આ પહેલાં શાહરુખ ખાનના વખાણ કર્યાં હતાં

આ પહેલાં પાઉલો કોએલોએ શાહરુખ ખાનના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું, ફિલ્મે પહેલી જ ફ્રેમમાં શાહરુખ ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો. હું પણ કંઈક એવું જ કરી રહ્યો છું. બે દિવસ પહેલાં એક બ્રાઝિલિયન એક્ટર ફ્લાવીઓએ આત્મહત્યા કરી લીધી હતી. તેમણે સુસાઈડ નોટમાં કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રી સ્ટાર્સ સાથે કેવો વ્યવહાર કરતી હતી. જે ફિલ્મને કોમેડી કહેવામાં આવી છે, તે રિયલમાં ટ્રેજડી ઓફ આર્ટ છે. પાઉલોની ટ્વીટ પર શાહરુખે જવાબ આપ્યો હતો, ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ જોઈ હતી અને રેડ ચિલીઝની આખી ટીમને આ ફિલ્મ સ્પર્શી ગઈ હતી. આ કડવું સત્ય છે કે કેરેક્ટર એક્ટર ભૂલાઈ ગયા છે. મારા મિત્ર તમારું ધ્યાન રાખજો, સલામત રહો, સ્વસ્થ રહો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Paulo Coelho praises Sanjay Mishra's Kaamyaab, actor says- If my father would have been alive today, he would have felt very happy


from Divya Bhaskar https://ift.tt/2YGsCUV
https://ift.tt/2L4LHIB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...