Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/5_1589451928.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/14/5_1589451928.jpg. Show all posts

Thursday, May 14, 2020

‘રામાયણ’ ફૅમ સુનીલ લહરીએ સેટ પર કેવી મસ્તી કરતાં તેને લઈ ખુલાસો કર્યો

‘રામાયણ’ ફૅમ સુનીલ લહરી સિરિયલને લગતી રસપ્રદ માહિતી સોશિયલ મીડિયામાં શૅર કરે છે. તેઓ આ સિરિયલના શૂટિંગ દરમિયાનના કોઈ પણ બે ઈન્ટરસ્ટિંગ કિસ્સા શૅર કરે છે. હાલમાં જ સુનીલે સિરિયલના શૂટિંગ દરમિયાન તેઓ કેવી મસ્તી કરતા હતાં, તે વાતનો ખુલાસો કર્યો હતો.

સુનીલ લહરીને બે દિવસનો બ્રેક મળ્યો
સુનીલ લહરીએ કહ્યું હતું કે સિરિયલના શૂટિંગ દરમિયાન એકવાર તેમને બે દિવસનો બ્રેક મળ્યો હતો. તેમને મુંબઈ જવું નહોતું. તેથી જ તેમણે સેટ પર જ રહેવાનો નિર્ણય કર્યો હતો. બે દિવસ કામ ના હોવાથી તેમણે સેટ પરના કલાકારોની મજાક ઉડાવી હતી. સિરિયલની વેડિંગ સીક્વન્સ શૂટ કરવામાં આવી હતી. સેટ પર લગ્નમાં વપરાયેલીપાલકીઓ એમ જ પડીહતી. સવારમાં આવી જ એક જ પાલકીમાં લલિતા પવાર (સિરિયલમાં મંથરાનો રોલ પ્લે કર્યો હતો) તથા રામાનંદ સાગરના આસિસ્ટન્ટ ચાંદેકર ચા પીતા હતાં. આ જોઈને સુનીલ લહરીને ચાંદેકરની મજાક કરવાનો વિચાર આવ્યો હતો. ઉંમરમાં લલિતા પવાર તથા ચાંદેકર સરખા હતાં. તે સમયે લલિતા પવારની ઉંમર 70 વર્ષની હતી.

View this post on Instagram

shooting Ke Piche ki Kuch Ankahi chatpati baten

A post shared by Sunil Lahri (@sunil_lahri) on May 14, 2020 at 2:27am PDT

ચાંદેકરની મજાક ઉડાવી
સુનીલે કહ્યું હતુ કે ચા પીધા બાદ ચાંદેકર તેમને મળવા આવ્યા તો તેમણે ચાંદેકરને એમ કહ્યું કે તેઓ લલિતાજી સાથે ઘણાં જ સારા દેખાતા હતાં અને તેમના ચહેરા પર પ્રેમ પણ દેખાય છે. આટલું જ નહીં સુનીલે ચાંદેકરને એમ પણ કહ્યુ કે લલિતાજી પણ તેમના વિશે પૂછતા હતાં. આ સાંભળીને ચાંદેકર શરમાઈ જાય છે અને ત્યાંથી જતા રહે છે. થોડીવાર બાદ તે એકદમ ફ્રેશ થઈને નવા કપડાં પહેરીને સુનીલ લહરીને મળવા આવે છે અને કહે છે કે તે લલિતાજીને મળવા જાય છે. આ સાંભળીને સુનિલે એવો જવાબ આપ્યો હતો કે હા મળી આવો ખબર નહીં તમારી વાત બની પણ જાય.

ઉર્મિલા-માંડવીની મસ્તી કરતા
સેટ પર સુનીલ લહરી (લક્ષ્મણ), સંજય જોગ (ભરત) તથા સમીર રાજડા (શત્રુધ્ન) સિરિયલમાં ઉર્મિલા તથા માંડવીનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસિસની હંમેશાં મજાક ઉડાવતા હતાં. સિરિયલમાં ઉર્મિલાનો રોલ અંજલી વ્યાસ તથા માંડવીનો રોલ સુલક્ષણા ખત્રીએ પ્લે કર્યો હતો. આ ત્રણેય હંમેશાં ઉર્મિલાને એમ કહેતા કે માંડવી વધુ સારી દેખાય છે અને માંડવીને એમ કહેતા કે ઉર્મિલા વધુ સારી દેખાય છે. આ સાંભળીને ઉર્મિલા તથા માંડવી મેકઅપ મેનને હેરાન કરતાં. ઉર્મિલા તથા માંડવીની ફરિયાદોથી થાકીને મેકઅપ મેન પણ સુનીલ, સંજય તથા સમીરને કહેતા કે તમે આ રીતે બંનેની મજાક ના ઉડાવો. તેઓ તેમને હેરાન કરી નાખે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુનીલ લહરી, સિરિયલમાં ઉર્મિલાનું પાત્ર ભજવનાર અંજલી વ્યાસ


from Divya Bhaskar https://ift.tt/35XOD3f
https://ift.tt/2WTeANj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...