મૈંને પ્યાર કિયા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર એક્ટ્રેસ ભાગ્યશ્રી 5 વર્ષ બાદ ફરીવાર મોટા પડદા પર જોવા મળશે. તેઓ કંગના રનૌત સ્ટારર થલાઈવી અને પ્રભાસ સ્ટારર પ્રભાસ 20 ફિલ્મમાં જોવા મળશે. આ વાતની જાણ ખુદ ભાગ્યશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ લાઈવમાં જણાવી હતી. ભાગ્યશ્રી આ પહેલાં 2015માં ટીવી શો લૌટ આઓ તૃષામાં જોવા મળ્યા હતા.
ભાગ્યશ્રીએ કહ્યું કે, મેં સપ્ટેમ્બર 2019માં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી લીધું હતું. હું આ ફિલ્મનો હિસ્સો છું તેનું અનાઉન્સમેન્ટ મેકર્સ એપ્રિલમાં કરવાના હતા પરંતુ લોકડાઉન થઇ ગયું. હવે આ કેટલું લાબું ચાલશે તે ખબર નથી. મેકર્સે મને મંજૂરી આપી દીધી કે હવે હું આ વાત મારા ફેન્સ સાથે શેર કરી શકું છું.
થલાઈવી ફિલ્મમાં પોતાના રોલ વિશે જણાવતા ભાગ્યશ્રીએ કહ્યું કે, હું એક સ્ટ્રોંગ કેરેક્ટર નિભાવી રહી છું. કંગના અને મારા ઘણા સીન સાથે જોવા મળશે. આ જોડી તમને ઘણી ગમશે. કંગના એક ઉમદા કલાકાર છે અને તેની સાથે કામ કરવામાં મજા આવી. લાંબા સમય બાદ ફિલ્મી પડદે કમબેક કરી રહી છું તો ઘણી ખુશી મળી રહી છે.
પ્રભાસ સાથે કામ કરવા બાબતે ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેઓ ઘણા વિનમ્ર છે. તેમણે મારા ઘરે 20 કિલો હૈદરાબાદી મીઠાઈ મોકલાવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dLaOw4
https://ift.tt/365yEjR