Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/10_1589810226.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/05/18/10_1589810226.jpg. Show all posts

Monday, May 18, 2020

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી, કહ્યું- નવાઝ સામે એક નહીં ઘણાં વાંધાઓ છે

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ ડિવોર્સ માટે અરજી કરી છે. આલિયાએ ભરણપોષણની માગણી સાથે એક્ટર પર કેટલાંક ગંભીર આક્ષેપો કર્યાં છે.

એક્ટરે હજી સુધી નોટિસનો જવાબ આપ્યો નથી
આલિયાના વકીલ અભય સહાયેઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે વ્હોટ્સ એપતથા ઈમેઈલ દ્વારા નવાઝને સાત મેના રોજ નોટિસ મોકલી હતી પરંતુ હજી સુધી એક્ટરે જવાબ આપ્યો નથી. આ વાત સાચી છે કે તેમણે નવાઝને લીગલ નોટિસ મોકલી છે. આ નોટિસ સાત મે, 2020ના રોજ મિસિસ સિદ્દીકી દ્વારા મોકલવામાં આવી હતી. કોવિડ 19ના સમયમાં સ્પીડ પોસ્ટ થઈ શકે તેમ નથી. આથી જ નોટિસ ઈમેલ તથા વ્હોટ્સએપ પર મોકલવામાં આવી હતી. આટલું જ નહીં મિસિસ સિદ્દિકીએ તેમની રીતે પણ નવાઝને વ્હોટ્સએપ પર નોટિસ મોકલી હતી. જોકે, હજી સુધી એક્ટરે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમને લાગે છે કે એક્ટર નોટિસ મુદ્દે શાંત રહેવા માગે છે અને તેની અવગણના કરે છે. નોટિસમાં ડિવોર્સ તથા ભરણપોષણની માગણી કરવામાં આવી છે. તેઓ હાલમાં આ અંગે વધુ માહિતી આપી શકે તેમ નથી. જોકે, મિસિસ સિદ્દીકીએ નવાઝ તથા તેના પરિવાર પર ગંભીર પ્રકારના આક્ષેપો મૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે નવાઝ તથા આલિયાના લગ્નને 11 વર્ષ થયા છે અને તેમને બે બાળકો છે. વર્ષ 2017માં નવાઝ તથા આલિયાના લગ્નમાં ખટાશ આવી હોવાની ચર્ચા થતી હતી પરંતુ કપલે ડિવોર્સની વાતને નકારી હતી.

નવાઝની પત્નીએ નામ બદલ્યું
આલિયાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે નવાઝ સામે તેમને એક નહીં પણ ઘણાં વાંધાઓ છે. આ તમામ વાંધા ઘણાં જ ગંભીર છે. તેમણે બે મહિના પહેલાં જ પોતાનું નામ આલિયામાંથી બદલીને અંજના આનંદ કિશોર પાંડે કર્યું છે. હવે તે અંજલીના નામથી ઓળખાવવું પસંદ કરે છે. આલિયાએ દાવો કર્યો હતો કે લગ્નના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2010થી જ તેમની વચ્ચે પ્રોબ્લેમ્સ થયા હતાં. તેમણે લગ્નને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પરંતુ હવે વાત હાથની બહાર છે.

નવાઝ પરિવાર સાથે મુંબઈથી યુપી ગયો
નવાઝ ટ્રાવેલ પાસ લઈને 11 મેના રોજ પોતાના ઉત્તર પ્રદેશના મુઝ્ફફરનગરના બુધના પોતાના ઘરે ગયો હતો. એક્ટરની સાથે તેની માતા, ભાઈ તથા ભાભી પણ હતાં. નવાઝે ટ્વીટ કરીને કહ્યું હતું કે બહેનનું કેન્સરને કારણે નિધન થયું હતું અને ત્યારબાદથી 71 વર્ષીય માતાની તબિયત સારી રહેતી નહોતી અને તેથી જ તેમને લઈ બુધના જવું જરૂરી હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bollywood actor Nawazuddin Siddiqui’s wife Aaliya files for divorce


from Divya Bhaskar https://ift.tt/3fWG7pM
https://ift.tt/2AzqUe0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...