બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સંકટના આ સમયમાં મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને તેમના વતન મોકલી રહ્યો છે. હાલમાં શ્રમિકો માટે સોનુ સૂદ દેવદૂત બની ગયો છે.સોશિયલ મીડિયામાં સોનુ સૂદના ઘણાં જ વખાણ થઈ રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બાદ હવે અજય દેવગન, રવિ કિશન તથા ક્રિકેટર શિખર ધવને સોનુ સૂદની પ્રશંસા કરી હતી.
અજયે ટ્વીટ કરી હતી
અજયે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તમે શ્રમિકોને સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલવાનું સંવેદનશીલ કામ કરો છો. આ ઘણું જ પ્રશંસનીય છે. ભગવાન તમને ખૂબ જ તાકાત આપે.’અજયની આ ટ્વીટ પર સોનુ સૂદે કહ્યું હતું, ‘આભાર ભાઈ, તમારા લોકોના શબ્દોથી મને વધુ તાકાત મળી અને અન્ય લોકોને તેમના પરિવાર સુધી મોકલવાનો ઉત્સાહ મળ્યો. ખૂબ પ્રેમ.’
Thank you so much bhai. Words from you give me more power and encourages me to work harder on reuniting them with their loved ones❣️Love u loads ❤️ https://t.co/QEHn4BSLPq
— sonu sood (@SonuSood) May 26, 2020
શિખર ધવને શું કહ્યું?
ઈન્ડિયન ક્રિકેટર શિખર ધવને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘સોનુ સૂદને સલામ. તમારા પ્રયાસોને કારણે શ્રમિકો તેમના વતન પહોંચી રહ્યાં છે.’ આ ટ્વીટના જવાબ પર સોનુ સૂદે કહ્યું હતું, ભાઈ, તમારો ખૂબ આભાર. હું વચન આપું છું કે છેલ્લે સુધી ક્રીઝ પર રહીશ અને એ ધ્યાન રાખીશ કે તમામ શ્રમિકો કહે, ‘અમે ઘરે છીએ.’
Thank u so much my brother.❣️India knows when @SDhawan25 is at cease “WE ARE HOME”. I promise, I will stay at this crease till the end and make sure that every migrant will say “ WE ARE HOME “ ❤️ https://t.co/WhRNkjg7cb
— sonu sood (@SonuSood) May 26, 2020
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરી હતી
સોનુની એક ટ્વીટ શૅર કરીને સ્મૃતિએ કહ્યું હતું, ‘પોતાના સાથી કલાકાર તરીકે હું તને છેલ્લાં બે દાયકાથી ઓળખું છું. એક એક્ટર તરીકે તારી સફળતા સેલિબ્રેટ કરી છે પરંતુ આજે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જે દયા તે દાખવી છે, તેને લઈ મને ગર્વ છે. જરૂરિયાતમંદોની મદદ માટે આભાર.’ આ ટ્વીટ પર રવિ કિશને પણ રિપ્લાય આપતા કહ્યું હતું, દુનિયામાં આ બધું જ યાદ રાખવામાં આવે છે.
यही सब याद रहता हैं दुनिया मैं 🙏
— Ravi Kishan (@ravikishann) May 24, 2020
સોનુ સતત મદદ કરી રહ્યો છે
સોનુ સૂદ પોતાની મિત્ર નીતિ ગોયલની સાથે સતત મુંબઈમાં ફસાયેલા લોકોને તેમના વતન મોકલી રહ્યો છે. અત્યાર સુધી તેણે 20થી વધુ બસોમાં કર્ણાટક, યુપી, ઝારખંડ તથા બિહારના શ્રમિકોને તેમના ઘરે મોકલ્યા છે. શ્રમિકોને ઘરે મોકલવાનો તમામ ખર્ચ સોનુ સૂદ ભોગવી રહ્યો છે. આટલું જ નહીં સોનુ સૂદ રોજ મુંબઈના અંધેરી, જોગેશ્વરી, બ્રાંદ્રા તથા જુહૂમાં 45 હજાર જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડી રહ્યો છે. સોનુ સૂદ પિતાના નામ પરથી ‘શક્તિ અન્નદાનમ’ હેઠળ જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા કરિયાણું આપે છે. સોનુએ પોતાની મુંબઈમાં આવેલી હોટલ પણ મેડિકલ સ્ટાફને રહેવા માટે આપી દીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3d6VHgA
https://ift.tt/36xw1HF