‘છોટી સી બાત’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ આપનાર વરિષ્ઠ ફિલ્મ ડિરેક્ટર તથા રાઈટર બાસુ ચેટર્જીનું આજે (ચાર જૂન) નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતાં. એક્ટર રઝા મુરાદે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં બાસુ ચેટર્જીને યાદ કર્યાં હતાં.
રઝા મુરાદે કહ્યું હતું, ‘હું બાસુ ચેટર્જીને ત્યારથી ઓળખું છું, જ્યારથી તેઓ બ્લિટ્ઝમાં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરતા હતાં. તેઓ બહુ જ સારા કાર્ટૂન બનાવતા હતાં. તેમની સેન્સ ઓફ હ્યૂમર કમાલની હતી. પછી એકવાર હું જે ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવતો હતો ત્યાં તે આવ્યા હતાં. પોતાની ફિલ્મ ‘સારા આકાશ’ માટે જયા ભાદુરી (જયા બચ્ચન)ને લીડ રોલ ઓફર કર્યો હતો. જોકે, અમારા પ્રિન્સિપલે જયાને ફિલ્મ માટે 35 દિવસની રજા આપવાની ના પાડી હતી. ક્લાસ હજી પૂરા થયા નહોતાં. મેં પહેલી વાર જયા ભાદુરીના હાથમાં એક બાઈન્ડિંગ સ્ક્રિપ્ટ જોઈ હતી. આ અમારા બધા માટે નવું હતું. જયા પણ આ વાતથી થોડી અપસેટ હતી. જો જયાને આ ફિલ્મમાં કામ કરવાની પરવાનગી મળી ગઈ હોત તો ઋષિકેશ મુખર્જીને બદલે બાસુ ચેટર્જીને જયા ભાદુરીને લોન્ચ કરવાની ક્રેડિટ મળત.’
વધુમાં રઝા મુરાદે કહ્યું હતું, ‘જો તેમની ફિલ્મને જોવામાં આવે તો તેઓ બહુ જ સામાન્ય માણસ સાથે જોડાયેલી ફિલ્મ બનાવતા હતાં. તેમની ફિલ્મ એકદમ સિમ્પલ રહેતી. તે સમયે રાજેશ ખન્ના જેવા બિગ સ્ટાર હતાં. ચોકલેટી હીરોની શોધખોળ રહેતી, તેવા સમયે સાધારણ ચહેરાવાળા અમોલ પાલેકરને લોન્ચ કર્યો હતો. તેમની ફિલ્મમાં મધ્યમ વર્ગીય પરિવારને બહુ જ સુંદર તથા બારીકાઈથી બતાવવામાં આવતો. તેમની ફિલ્મમાં લોકલ ટ્રેન તથા બસ સ્ટોપના દૃશ્ય અવશ્ય જોવા મળતા.’
ફિલ્મમાં હંમેશાં સરપ્રાઈઝ આપતા
રઝા મુરાદના મતે, ‘સુભાષ ઘાઈ તથા અન્ય ડિરેક્ટર્સની જેમ બાસુ ચેટર્જી પણ ફિલ્મમાં એક સીનમાં જરૂરથી જોવા મળતા. ક્યારેક એક સીન માટે અમિતાભ બચ્ચનને બોલાવે કે પછી કોઈ ગીતમાં ધર્મેન્દ્ર તથા હેમા માલિનીને બતાવે, આવી સરપ્રાઈઝ તે પોતાની ફિલ્મમાં જરૂરથી આપતા.’
રઝા મુરાદે વધુમાં કહ્યું હતું, ‘મારું માનવું છે કે આજ સુધી બાસુ દાએ જેટલા પણ નાના કલાકારો સાથે ફિલ્મ બનાવી, તે તમામ હિટ ગઈ અને ચાહકોને પસંદ આવી. જોકે, તેમને જે પણ ફિલ્મ બિગ સ્ટાર્સ સાથે બનાવી, તે દર્શકોના મનને સ્પર્શી શકી નહીં અને દર્શકોને પ્રભાવિત કરી શકી નહીં. આ ઘણી જ વિચિત્ર વાત છે.’
‘અમિતાભ બચ્ચન સાથેની ‘મંઝિલ’, જીતેન્દ્ર-નીતુ સિંહ સાથે ‘પ્રિયતમા’, રાજેશ ખન્નાની સાથે ‘ચક્રવ્યૂહ’ કે પછી ધર્મેન્દ્ર-હેમા માલિનીની સાથે જ્યારે પણ કોઈ ફિલ્મ બનાવી, આ ફિલ્મની દર્શકો પર અસર થઈ નહીં.’
‘આ સાથે જ તેમની ફિલ્મને જોવામાં આવે તો ‘બાતો બાતો મૈં’ તથા ‘ખટ્ટા મીઠા’ એવી બે ફિલ્મ છે, જેમાં તેમણે દેશની લઘુમતી કોમ એટલે કે ક્રિશ્ચિયન તથા પારસીની વાત કરી હતી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/376XkZK
https://ift.tt/2BuG2tD