ઈરફાન ખાનની પત્ની સુતપા સિકંદરે સોશિયલ મીડિયામાં ઈમોશનલ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સુતપાએ સ્વર્ગીય પતિ ઈરફાન ખાન તથા વરસાદ વચ્ચેના કનેક્શનને યાદ કર્યું હતું.
સુતપાએ વરસાદનો વીડિયો શૅર કર્યો
સુતપા સિકંદરે વરસાદનો વીડિયો તથા ઈરફાનની તસવીર શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘બહુ જ બધો આભાર. હું તમને સાંભળી શકું છું. હા... મને ખ્યાલ છે કે આ તમારા તરફથી મારા માટે છે. આ મારા શરીર તથા આત્માને સ્પર્શી રહ્યું છે. બે દુનિયાની વચ્ચે, આ વરસાદ થઈ રહ્યો છે, જે આપણને એકબીજા સાથે સાંકળે છે.’
આ પહેલાં સુતપાએ પતિના નિધનને એક મહિનો થતાં પોસ્ટ શૅર કરી હતી
સુતપાએ પતિના નિધનને એક મહિનો થતાં સોશિયલ મીડિયામાં પોતાની તથા ઈરફાનની તસવીર શૅર કરીને ભાવુક પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, સાચા અને ખોટાથી દૂર એક જગ્યા હોય છે, હું તમને ત્યાં મળીશ. જ્યારે આત્મા આ ઘાસમાં સમાઈ જાય છે ત્યારે દુનિયા વિશે ઘણી બધી વાત કરવાની હોય છે. આ બસ સમયની વાત છે, મળીશું, વાતો કરીશું... આપણે ફરી મળીએ ત્યાં સુધી. પતિના નિધન પછી સુતપાએ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મેં કઈ ગુમાવ્યું નથી, મેં દરેક રીતે બધું મેળવ્યું જ છે.’ ઈરફાન-સુતપાનો મોટો દીકરો બાબીલ ખાન પણ પિતાની થ્રોબેક મેમરીઝ શેર કરતો રહે છે.
ઈરફાનનું 29 એપ્રિલે નિધન થયું હતું
વર્ષ 2018માં ઈરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર થયું હતું. ઈરફાને આની સારવાર લંડનમાં કરાવી હતી. ત્યારબાદ ઈરફાન ભારત પરત ફર્યાં હતાં. તેમની છેલ્લે માર્ચ, 2020માં ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ રિલીઝ થઈ હતી. ઈરફાન ખાનને છેલ્લે કોલન ઈન્ફેક્શન (એક જાતનો પાચનનો રોગ) થયું હતું. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. અહીંયા તેમણે 29 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતાં. તેમને વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં 20 લોકોની હાજરીમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતાં.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Mw6cP9
https://ift.tt/2Y83wMM