બોલિવૂડના મહાન ફિલ્મમેકર બાસુ ચેટર્જી હવે આપણી વચ્ચે નથી રહ્યા. બાસુ ચેટર્જી મધ્યમ વર્ગ પર બનેલ અને હસાવનારી ફિલ્મો માટે ઘણા પ્રિય હતા. તેમના મૃત્યુ બાદ એક્ટર અન્નુ કપૂરે દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીતમાં તેમની સાથે જોડાયેલ અમુક ખાસ સવાલના જવાબ આપ્યા છે.
બાસુ દાની ફિલ્મમાં વૃદ્ધનો રોલ કઈ રીતે મળ્યો હતો
તમે વૃદ્ધના રોલ વિશે પૂછ્યું, મેં આ જ રોલ મારા ભાઈ શ્રી રંજીત કપૂરના નિર્દેશનમાં બનેલ નાટકમાં પણ કર્યો હતો અને એ નાટક જોઈને જ બાસુ દાએ ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો અને નાટકના જ કલાકારને ફિલ્મની કાસ્ટમાં સામેલ કર્યા.
તેમની સાથે જોડાયેલ કોઈ ખાસ યાદો?
આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે એમની યાદો જ આપણી મૂળી છે. વધુ તો નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે બાસુ દાએ દેશની માટી સાથે જોડાયેલ પાત્રો પર ફિલ્મો બનાવી અને આર્થિક સફળતા પણ પ્રાપ્ત થઇ.
સામાન્ય લોકોની સ્ટોરી જ તેમને કેમ આકર્ષિત કરતી હતી?
ભારત અને ભારતીયતાને તેમણે તેમના પાત્રોમાં ઢાળીને દેશનું ગૌરવ વધાર્યું અને અમારા જેવા નવા કલાકારોને પણ તેમની સાથે કામ કરવા અને શીખવાનો મોકો મળ્યો.
એમના વિશેની એવી વાત જે ઓછા લોકો જાણે છે?
એવી વાત તો કોઈ નથી પણ એક ખાસ વાત જરૂર કહીશ દાદા વિશે, તેમને ફેર પે માસ્ટર કહેતા હતા. કલાકારો સાથેનો હિસાબ હંમેશાં ચોખ્ખો રાખતા હતા. જો કોઈને 5000 રૂપિયા આપવાના છે તો એ પછી ફિલ્મની શરૂઆતમાં લે કે અંતમાં લે, તેમના પૈસા બેંકમાં જમા હોય છે. જેવી સાફ સુથરી ફિલ્મસ તે બનાવતા હતા એવું જ એમનું વ્યક્તિત્વ હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી હું એમને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ઓમ શાંતિ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2z5GCND
https://ift.tt/2XxhnNK