ગીતકાર જાવેદ અખ્તરને ‘રિચર્ડ ડૉકિન્સ અવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2003થી આ અવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જાવેદ અખ્તર પ્રથમ ભારતીય છે, જેમને આ અવોર્ડ આપવામાં આવ્યો છે.
અવોર્ડ જીત્યા બાદ જાવેદ અખ્તરે ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને ક્યારેય આશા નહોતી કે તેમને આ અવોર્ડ મળશે. આયોજકોએ તેમની પસંદગી કરી તે તેમના માટે સરપ્રાઈઝ છે. તેમને ખ્યાલ નથી કે આ લોકોને તેમના અંગે કોઈ માહિતી છે કે તે નહીં. જોકે, તેઓ આ અવોર્ડને લઈ ખૂબ આભારી છે.
આ અવોર્ડ વર્ષ 2003થી એવા વ્યક્તિઓને આપવામાં આવે છે, જે ધર્મ નિરપેક્ષતા, રેશનાલિઝમ અંગે પોતાની વાત રજૂ કરે છે. ભૂતકાળમાં આ અવોર્ડ બિલ મહેર, સ્ટેફિન, રિકીને આપવામાં આવ્યા હતાં. રિચાર્ડ એક અંગ્રેજી વૈજ્ઞાનિક, બાયોલોજિસ્ટ તથા લેખક છે.
અનિલ કપૂરે ગીતકાર જાવેદ અખ્તરને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે તમે જ્યારથી ‘ધ સેલ્ફીશ જીન’ પુસ્તક વાંચ્યું ત્યારથી જ રિચર્ડ ડૉકિન્સ તમારા હીરો બની ગયા છે. આ અવોર્ડ તમારા માટે એક્સ્ટ્રા સ્પેશિયલ છે. આ ખરેખર અવિશ્વસનીય સન્માન છે.
Knowing that Richard Dawkins has been your hero since you read 'The Selfish Gene', the prestigious Richard Dawkins Award must be extra special for you @Javedakhtarjadu Saab! It's a truly incredible honour! Congratulations! pic.twitter.com/J5EXqP2I8g
— Anil Kapoor (@AnilKapoor) June 7, 2020
શબાના આઝમીએ ટ્વીટ કરીને કહ્યું હતું, ખરેખર સારા ન્યૂઝ. આભાર. તમારા હીરો તરફથી તમને અવોર્ડ
@Javedakhtarjadu wins Richard Dawkins Award 2020 for critical thinking , holding religious dogma upto scrutiny,advancing human progress and humanist values. Awesome ❤️ https://t.co/tJy9CBDOzI
— Azmi Shabana (@AzmiShabana) June 7, 2020
દિયા મિર્ઝાએ કહ્યું હતું કે જાવેદ અખ્તર સાબ રિચર્ડ ડૉકિન્સ અવોર્ડ 2020 જીત્યાં. તેઓ પહેલા ભારતીય છે, જેમણે આ અવોર્ડ જીત્યો છે.
Javed Akhtar Saab has won the the prestigious Richard Dawkins Award 2020 for critical thinking, holding religious dogma upto scrutiny, advancing human progress and humanist values. He is the only Indian to have won this award! @Javedakhtarjadu Congratulations! You make us proud.
— Dia Mirza (@deespeak) June 7, 2020
ફિલ્મમેકર નિખીલ અડવાણીએ કહ્યું હતું, અન્યાય તથા પ્રતિકૂળતાની સામે હંમેશાં ઊભા રહ્યાં. કોન્ગ્રેચ્યુલેશન. તમે અમારા માટે એક ઉદાહરણરૂપ છો.
ઉલ્લેખનીય છે કે જાવેદ અખ્તર હંમેશાં રાજકારણ, ધર્મનિરપેક્ષતા, કમ્યૂનિઝમ તથા સમાજના અન્ય મુદ્દાઓ પર વાત કરે છે. તેઓ ટ્વિટર પર રાજકારણના મુદ્દા પર પણ વાત કરતાં હોય છે. તેમણે હાલમાં જ લૉકડાઉનમાં દારૂની દુકાનો ખોલવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે લૉકડાઉનમાં દારૂની દુકાન ખોલવાની જરૂર નથી. આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યુઝર્સે તેમને સપોર્ટ પણ કર્યો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eZz3HM
https://ift.tt/3eTtwSM