Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/07/wajid1591451490_1591506563.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/07/wajid1591451490_1591506563.jpg. Show all posts

Sunday, June 7, 2020

6 દિવસ બાદ પરિવારે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું, કહ્યું- કાર્ડિયાક અરેસ્ટને કારણે વાજિદનું નિધન, કોરોના સંક્રમણનો ઉલ્લેખ ન કર્યો

મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનના પરિવારે સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું છે. આ સ્ટેટમેન્ટ તેના ભાઈ સાજિદ ખાને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે જેમાં વાજિદ ખાનના મૃત્યુનું કારણ જણાવાયું છે.

સ્ટેટમેન્ટમાં પરિવારે લખ્યું છે કે, અમારા પ્યારા વાજિદનું નિધન 47 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટને કારણે 1 જૂનના રાત્રે સાડા બાર વાગ્યે સુરાણા સેઠિયા હોસ્પિટલમાં થયું. તેનું ગયા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તે થ્રોટ ઇન્ફેક્શનની સારવાર લઇ રહ્યો હતો. સ્ટેટમેન્ટમાં તેમણે ડોક્ટર્સ અને હોસ્પિટલના પૂરા સ્ટાફનો આભાર માન્યો કે તેમણે સારવાર દરમ્યાન વાજિદનું પરિવારની જેમ ધ્યાન રાખ્યું.

સ્ટેટમેન્ટમાં પરિવારે આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે વાજિદનું મૃત્યુ કોરોના વાઇરસને કારણે થયું હતું. અગાઉ ન્યૂઝ એવા હતા કે વાજિદ કોરોના સંક્રમિત હતા અને વેન્ટિલેટર પર હતા. કોરોનાના કારણે મલ્ટિ ઓર્ગન ફેલ્યોર થયું અને તેનું મૃત્યુ થયું.

પરિવારે ખંડન કર્યું હતું
વાજિદના કઝીન ભાઈ અને સંગીતકાર અમજદ નદીમ ખાને વાજિદના મૃત્યુના દિવસે દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીતમાં કોરોના હોવાની વાત પર કહ્યું હતું કે, ભાઈનું મૃત્યુ રવિવારે રાત્રે 1:30 વાગ્યે થયું. તે બે ત્રણ દિવસ વેન્ટિલેટર પર હતા. અમને નથી ખબર તેમને શું તકલીફ હતી પરંતુ હોસ્પિટલે જેને જે કહ્યું તે સાચું. હવે આના પર શું કહેવું. ડોક્ટર સાથે કોઈ ડિબેટ ન કરી શકાય. જો તે કહી રહ્યા છે કે કોવિડ છે તો ઠીક છે, વાત પૂરી થઇ ગઈ.

સૌથી પહેલા રણવીર શૌરીએ દાવો કર્યો હતો
એક્ટર રણવીર શૌરીએ વાજિદને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તેમનું મૃત્યુ કોવિડ-19થી થયું છે. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, હું મારા બાળપણના મિત્રના નિધનના સમાચારથી દુઃખી છું. વાજિદે કોવિડ-19 સામે હાર માની લીધી. આ ઘણું દુઃખદાયક છે.

મમતા શર્માએ પણ પુષ્ટિ કરી હતી
સાજિદ વાજિદ સાથે દબંગ 2માં ફેવિકોલ જેવા સોન્ગમાં અવાજ આપી ચૂકેલ મમતા શર્માએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી કે વાજિદ કોરોના સંક્રમિત હતા. તેમણે એક વાતચીતમાં કહ્યું કે વાજિદની માતા પણ કોરોના પોઝિટિવ છે એટલે જ તો તેઓ દીકરાની અંતિમ વિદાયમાં પણ ન જઈ શક્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Wajid Khan died of cardiac arrest, says family statement; doesn’t mention coronavirus


from Divya Bhaskar https://ift.tt/30mLLwd
https://ift.tt/2UkaFZn

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...