સેલિબ્રિટી મેનેજર દિશા સલિયનના મૃત્યુને માલવણી પોલીસે એક્સિડેન્ટલ ડેથ તરીકે રજિસ્ટર કર્યું છે. દિશાનું મૃત્યુ સોમવારે રાત્રે મલાડ સ્થિત જનકલ્યાણ બિલ્ડીંગના 14મા માળ પરથી પડવાને કારણે થયું હતું. મૃત્યુના કારણની તપાસ કરી રહેલ પોલીસ સામે આ તથ્ય આવ્યું ન હતું કે દિશા નશામાં હતી, જેને કારણે તે બારીથી લપસી ગઈ.
કોઈપણ નિર્ણય પર પહોંચવું ઉતાવળ ગણાશે
કેસની તપાસ કરી રહેલ એસઆઈ જગદેવ કલાપદે કહ્યું કે અમે પાર્ટીમાં હાજર રહેલ દિશાના કહેવાતા બોયફ્રેન્ડ રોહન રાય સહિત 7 લોકોના સ્ટેટમેન્ટ લઇ રહ્યા છીએ. જે રૂમમાં પાર્ટી થઇ હતી ત્યાંથી અમને ઘણી બધી દારૂની બોટલ અને ડ્રગ્સ મળ્યા છે. આ કેસ હત્યા, આત્મહત્યા અથવા દુર્ઘટનાનો છે, અત્યારે ઉતાવળે કોઈ નિર્ણય પર પહોંચી શકાય નથી.
પોલીસ પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે
કોરોના વાઇરસના સંક્રમણને કારણે મુંબઈમાં પહેલા ડેડબોડીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલના પ્રોટોકોલ મુજબ આગળની તપાસ અને પોસ્ટમોર્ટમ ત્યારે થશે જ્યારે કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવશે. હાલ કોઈપણ શંકાસ્પદને ક્લીન ચિટ આપવામાં આવી નથી. પોલીસ રોહનના બદલાતા સ્ટેટમેન્ટ પર પણ સવાલ ઉઠાવી રહી છે. દિશાના પેરેન્ટ્સે પણ કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cMSBNP
https://ift.tt/2BPp2yo