ટીવી અને ફિલ્મ એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની વયે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. યંગ એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત, બ્રાઇટ યંગ એક્ટર જલ્દી ચાલ્યો હતો. તેણે ટીવી અને ફિલ્મ્સમાં નામ કમાયું. એન્ટરટેનમેન્ટ દુનિયામાં તે જે રીતે આગળ આવ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને તેણે ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે. તેના મૃત્યુની આઘાતમાં છું. તેના પરિવાર અને ફેન્સને મારી સહાનુભૂતિ. ઓમ શાંતિ.
Sushant Singh Rajput...a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 14, 2020
સુશાંત સિંહે પંખે લટકીને આત્મહત્યા કરી છે. હાલ પોલીસને કોઈ ચિઠ્ઠી કે કઈ મળ્યું નથી. પોસ્ટમોર્ટમ માટે સુશાંતના પાર્થિવ દેહને લઇ જવાયો છે. સુશાંતના આમ અચાનક મૃત્યુથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુઃખમાં છે. 34 વર્ષીય સુશાંતે ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલથી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, સુશાંતને ખરી ઓળખ એકતા કપૂરની ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’થી મળી હતી. સુશાંતે ફિલ્મ ‘કાઈ પો છે’થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XXNNkI
https://ift.tt/3d7G201