બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે મુંબઈ સ્થિત તેના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના મૃત્યુ વિશે જેવી પરિવારને ખબર પડી કે બધા આઘાતમાં સરી પડ્યા. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પિતા બેભાન થઈ ગયા. ઘરના લોકો તેમને હેન્ડલ કરી રહ્યા છે. તેઓ ભાનમાં આવે છે અને ફરી થોડી વાર પછી બેભાન થઇ જાય છે. નજીકના લોકો તેમને સમજવાના પ્રયત્ન કરી રહ્યા છે. પરિવારના સભ્યો રડી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ડોક્ટરને ઘરે બોલાવવામાં આવ્યા છે. સુશાંતના પિતા રાજીવ નગર સ્થિત રોડ નંબર 6 પર રહે છે.
સુશાંતના મૃત્યુના સમાચાર મળતા તરત જ આસપાસના ઘણા લોકો તેમના ઘરની પાસે આવી ગયા. ઘરની બહાર મીડિયા કર્મી ભેગા થઇ ગયા છે. અમુક એવા લોકો છે જે ઘણીવાર સુશાંતને મળ્યા હતા. તેમનું કહેવું છે કે, તેઓને વિશ્વાશ નથી આવતો. સુશાંત એક જિંદાદિલ માણસ હતો, તે કઈ રીતે આત્મહત્યા કરી શકે.
પટનાના રાજીવ નગર રોડ સ્થિત સુશાંતના ઘર બહાર લોકોની ભીડ
સુશાંત સિંહ મૂળ બિહારના પૂર્ણિયા જિલ્લાનો રહેવાસી હતો. 90ના દશકમાં તેનો આખો પરિવાર પટના આવી ગયો. પિતા કેકે સિંહ સરકારી અધિકારી હતા. સુશાંત પટનાની સેન્ટ કેરેન્સ સ્કૂલમાં ભણ્યો હતો. ત્યારબાદ તે દિલ્હી જતો રહ્યો. ખગડિયામાં સુશાંતનું મોસાળ છે. ગયા વર્ષે ત્યાં તેના મુંડન સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XXKslI
https://ift.tt/3foo3Ui