Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/all-thumb730-x-5480394_1592217831.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/15/all-thumb730-x-5480394_1592217831.jpg. Show all posts

Monday, June 15, 2020

લેખિકા સુહૃતા સેનગુપ્તાએ કહ્યું- સુશાંતને વિચિત્ર અવાજો સંભળાતા હતાં, મહેશ ભટ્ટે રિયાને તેનો સાથ છોડવાનું કહ્યું હતું

ફિલ્મમેકર મહેશ ભટ્ટ સાથે કામ કરનાર રાઈટર સુહૃતા સેનગુપ્તાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે મહેશ ભટ્ટે સુશાંતની સતત બગડતી જતી માનસિક સ્થિતિ જોઈને કહ્યું હતું કે તે બીજો પરવીન બાબી છે. મહેશ ભટ્ટે જ રિયા ચક્રવર્તીને સલાહ આપી હતી કે તે સુશાંત સિંહનો સાથ છોડી દે. સુહૃતાએ કહ્યું હતું કે મહેશની કંપનીમાં જ તે છેલ્લે સુશાંતને મળી હતી.

iwmbuzz ના એક આર્ટિકલ પ્રમાણે, સુહૃતાએ કહ્યું હતું, સુશાંત, ભટ્ટસાહેબની પાસે ‘સડક 2’માં રોલ મળે તેવી શક્યતા લઈને મળવા આવ્યો હતો. સુશાંત બહુ જ બોલકો હતો અને તેઓ ટૂંક સમયમાં મિત્રો બની ગયા. તેની સૂર્ય સાથે જોડાયેલી તમામ વાતો પર સારી પકડ હતી. સુશાંત સિનેમાની સાથે સાથે ક્વૉન્ટમ ફિઝિક્સ પર પણ બોલી શકતો હતો.

સુહૃતાએ આગળ કહ્યું હતું, ભટ્ટસાહેબે સુશાંતની સતત મહેનતની પાછળ છુપાયેલી ઉદાસીને ઓળખી લીધી હતી. બિલકુલ એ રીતે જે રીતે તેમણે પરવીન બાબીમાં જોયું હતું. તેમને ખ્યાલ હતો કે દવા વગર આની કોઈ સારવાર નથી. સુશાંત બહુ જલ્દી ડિપ્રેશનમાં જતો રહ્યો અને રિયા ફસાઈ ગઈ હતી. તેણે પૂરો પ્રયાસ કર્યો કે સુશાંત દવા લે પરંતુ તે ના પાડી દેતો હતો. દવા વગર સુશાંતની હાલત વધારે ખરાબ થતી ગઈ.

સુહૃતાએ કહ્યું હતું. છેલ્લા એક વર્ષથી સુશાંતે પોતાની બહાર વિશ્વ સાથેના સંપર્કો કાપી નાખ્યા હતાં. રિયા ત્યાં સુધી સાથે રહી, જ્યાં સુધી તે આ સંબંધો નિભાવી શકતી હતી. એક સમય એવો આવ્યો કે સુશાંતને અવાજો સંભળાવવા લાગ્યા હતાં. તેને લાગ્યું કે લોકો તેને મારવાનો પ્રયાસ કરે છે. એક દિવસ અનુરાગ કશ્યપની એક ફિલ્મ સુશાંતના ઘરમાં ચાલતી હતી. તેણે રિયાને કહ્યું હતું કે તેણે કશ્યપની એક ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી અને હવે તે તેને મારવા આવશે. ત્યારબાદ રિયાને સુશાંત સાથે રહેવામાં ડર લાગવા લાગ્યો અને તેણે સંબંધો તોડી નાખ્યા.

તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ભટ્ટ સાહેબે તેને કહ્યું હતું કે તે હવે કંઈ જ કરી શકે તેમ નથી. જો તે આ સંબંધમાં રહે છે તો તે તારી માનસિક સ્થિતિ ખરાબ કરી નાખશે. રિયાએ સુશાંતની બહેન મુંબઈ આવી ત્યાં સુધી તેની કાળજી રાખી. સુશાંતની બહેનોએ પણ તેની મદદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કોઈનું સાંભળવા તૈયાર નહોતો. તેણે દવા પણ લેવાનું બંધ કરી દીધું હતું.

છેલ્લાં કેટલાંક મહિનાથી સુશાંતે પોતાને પોતાના જ મગજમાં બંધ કરી દીધો હતો. તે અંધકારમાં કોઈ પહોંચી ના શક્યું અને તે એના ઊંડાણ સુધી ડૂબી ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Writer Suhrita Sengupta says- Sushant hear strange noises,


from Divya Bhaskar https://ift.tt/3frsqOI
https://ift.tt/30HpkSj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...