સુશાંત સિંહની આત્મહત્યા બાદ લોકો ઘણીબધી બાબતે તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અમુક સેલેબ્સનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદે સુશાંતને આવું અંતિમ પગલું ભરવા મજબૂર કર્યો. સુશાંતના ફેન્સ આને આત્મહત્યા નહીં પણ મર્ડર ગણાવી રહ્યા છે. 34 વર્ષના એક્ટરના મૃત્યુ બાદ લોકો ઘણા નારાજ થયા છે. પટનામાં રોષે ભરાયેલ સુશાંતના ફેન્સે તો સલમાન ખાન અને કરણ જોહર સહિત અન્ય સેલેબ્સના પૂતળા સળગાવ્યા છે.
સુશાંત સિંહના મૃત્યુ બાદ તેના ફેન્સે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં તેમણે કરણ જોહર, આલિયા ભટ્ટ, સલમાન ખાન સહિત અન્ય સેલેબ્સના ફોટા લગાવેલ પૂતળું સળગાવ્યું હતું. તેઓ લોકોને આવા સેલેબ્સને બોયકોટ કરવા કહ્યું હતું. તેમણે બોલિવૂડમાં નિપોટિઝમને પ્રોત્સાહિત કરતા સેલેબ્સને બોયકોટ કરવા અપીલ કરી. ફેન્સે તો સુશાંતની આત્મહત્યાને મર્ડર ગણાવ્યું છે અને ન્યાયની માગ કરી છે.
સુશાંત સિંહે રવિવારે મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. કંગના રનૌત, ડિરેક્ટર અભિનવ કશ્યપ, પ્રકાશ રાજ, શેખર કપૂર, અનુભવ સિન્હા સહિત ઘણા સેલેબ્સે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા સગાવાદ પર પ્રહાર કર્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા આ પાછળ જવાબદાર છે તેવું આ લોકોનું કહેવું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30LjNdE
https://ift.tt/2zCMQVs