34 વર્ષીય એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ લોકો તેના યાદગાર કિસ્સા શેર કરી રહ્યા છે. આવો જ એક કિસ્સો 2018નો છે જ્યારે કેરળમાં ભયાનક પૂર આવ્યું હતું. પૂરથી લાખો લોકો પ્રભાવિતથયા હતા. સુશાંતના એક ફેને ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે, મારી પાસે પૈસા નથી પણ હું અમુક ખાવાનો સામાન દાન કરવા ઇચ્છુ છું. કઈ રીતે કરું.
સુશાંતે ફેનને જવાબ આપ્યો કે, હું તારા નામથી 1 કરોડ રૂપિયા દાન કરી દઉં છું. ત્યારબાદ સુશાંતે ડોનેશન કરીને સ્ક્રીનશોટ શેર કરી તે ફેનને આ મોકો આપવા બદલ આભાર માન્યો અને લખ્યું, મારા મિત્ર જેવું તું ઈચ્છતો હતો એવું મેં કરી દીધું.
As promised my friend, @subhamranjan66, what you wanted to do has been done. You made me do this, so be extremely proud of yourself. You delivered exactly when it was needed.
— Sushant Singh Rajput (@itsSSR) August 21, 2018
Lots and lots of love. FLY🦋
Cheers 🦋🌪🌏✊🙏🏻❤️#MyKerala 🌳☀️💪🙏🏻❤️#KeralaReliefFunds pic.twitter.com/fqrFpmKNhK
1 વર્ષમાં 3.5 કરોડ રૂપિયા દાન કર્યા
ફેનના નામ પર 1 કરોડ દાન કર્યા સિવાય તેણે 2018-19 વચ્ચે વધુ 2.5 કરોડ રૂપિયા દાન કર્યા હતા. તેણે 2018માં આસામમાં પૂરગ્રસ્ત લોકોની મદદ માટે 1.25 કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. સુશાંતને યાદ કરીને રાઇટર- ડિરેક્ટર ચારુદત્ત આચાર્યે આ વાત ફેસબુક પર કરી હતી. ચારુદત્તના પિતા પીબી આચાર્ય 2014-19 સુધી આસામના ગવર્નર હતા.
કેરળને પૂર સમયે આર્થિક સહાય કરનાર એક્ટરના મૃત્યુ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ તેને યાદ કર્યો હતો. તેમણે લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ થયું. તેમના નિધનથી ઇન્ડસ્ટ્રીને નુકસાન થયું છે. હું દુઃખની આ સ્થિતિમાં તેમના પરિવાર, મિત્રો અને ફેન્સની સાથે છું. સાથે જ કેરળમાં આવેલ પૂરના સમયની તેમની મદદને યાદ પણ કરું છું.
We are deeply saddened to hear of the death of Sushant Singh Rajput. His early demise is a great loss to the Indian Film industry. Our heartfelt condolences to his family, friends & supporters.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) June 14, 2020
We take a moment to remember his support during the time of Kerala floods. pic.twitter.com/OKampA9w05
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BbKopr
https://ift.tt/3dbfHhB