અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે અવસાનથી સમગ્ર દેશના ચાહકોમાં આઘાત અને શોકનો માહોલ છે. આ શોક રાજકીય વર્તુળોમાં પણ વ્યાપ્યો છે. કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે શુક્રવારે સુશાંત સિંહ રાજપૂતના પટનાસ્થિત ઘરની મુલાકાત લઈને તેના પિતા કે. કે. સિંહને સાંત્વના પાઠવી હતી. આ મુલાકાતની તસવીરો રવિશંકર પ્રસાદે ટ્વિટર પર શૅર કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.
રવિશંકર પ્રસાદે બે તસવીરો શૅર કરી છે, જેમાંની એકમાં તેઓ સુશાંતની તસવીરને નમન કરી રહેલા દેખાય છે અને બીજી તસવીરમાં તેઓ પરિવાર સાથે બેઠેલા દેખાય છે.
Visited Patna home of #SushantSinghRajput. Met his family members. Paid my condolences.
— Ravi Shankar Prasad (@rsprasad) June 19, 2020
A super talented actor with great promise had to meet such an unfortunate end.Creative acting in films is left poorer with his sad demise.He had to achieve great heights.He deserved more. pic.twitter.com/JoZnFJ0sTN
પોતાની ટ્વીટમાં રવિશંકર પ્રસાદ લખે છે, ‘મેં સુશાંત સિંહ રાજપૂતના પટના ખાતે આવેલા ઘરની મુલાકાત લીધી. તેમના પરિવારજનોને મળ્યો. મારી દિલસોજી વ્યક્ત કરી. અનેક શક્યતાઓથી ભરેલા એક સુપર ટેલેન્ટેડ એક્ટરનો આવો કમનસીબ અંત આવ્યો. તેના અવસાનથી ફિલ્મોમાં ક્રિએટિવ એક્ટિંગ ગરીબ બની છે. તેને અનેક ઉંચાઈઓ આંબવાની હતી. એ અનેક સિદ્ધિઓ હાંસલ કરવાને પાત્રતા ધરાવતો હતો...’
સુશાંતની આત્મહત્યાની પોલીસ તપાસ ચાલુ
14 જૂનના રોજ પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળેફાંસો ખાઈને સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. 15 જૂનના રોજ તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા અને 18 જૂનના રોજ તેના પરિવારે આ અભિનેતાનાં અસ્થિને પટના ખાતે ગંગા નદીમાં વિસર્જિત કરી દીધાં. સુશાંતે આવું આત્યંતિક પગલું શા માટે ભર્યું તે હજી જાણવા મળ્યું નથી. આ મુદ્દે પોલીસે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, તેની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, તેના પિતા કે. કે. સિંહ અને અન્ય લોકો સાથે પૂછપરછ કરી રહી છે અને સૌનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YecwkI
https://ift.tt/3fF5oDR