સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં હજી સુધી કોઈ મોટિવ જોવા મળી રહ્યો નથી. 15 જનૂના રોજ સુશાંતના અંતિમ સંસ્કાર બાદ બોલિવૂડમાં સેલેબ કિડ્સને લઈને નેપોટિઝ્મ (ભાઈ-ભત્રીજાવાદ) અને આઉટસાઈડર્સના કેમ્પને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે.
ઈન્ડસ્ટ્રીની બેચેની વધારે છે આ 3 વાતો
- કંગના રણોત સૌથી પહેલાં અવજ ઉઠાવ્યો અને સીધું કરણ જોહર પણ નિશાન સાધ્યું. ત્યારબાદ ઘણા લોકો એક સાથે આવીને ઉભા રહી ગયા. પ્રીતીશ નંદી કહે છે કે, બોલિવૂડમાં ક્રૂરતા માટે એક ગેમ નહીં એક ગેંગ જવાબદાર છે. આ એક એવી ગેંગ છે જે બધાને કંટ્રોલ કરવા માગે છે. દરરોજ આવી જ પ્રતિક્રિયાઓ આવી રહી છે.
- પોલીસે પણ પ્રોફેશનલ નેપોઝિટ્મ અને બોયકોટવાળા એંગલની તપાસ કરી રહી છે એટલા માટે તેમને સૌથી શક્તિશાળી ગણાતા યશરાજ ફિલ્મ્સ પાસેથી સુશાંતની સાથે કરવામાં આવેલા કરારના દસ્તાવેજ લઈ લીધા છે. પોલીસે રિયા ચક્રવર્તીની પણ તપાસ કરી રહી છે, કેમ કે, સુશાંતની સાથે ત્રણ કંપનીઓમાંથી બે કંપનીઓ રિયા પાર્ટનર હતી.
- જૂથવાદ, નેપોઝિટ્મ, બોયકોટ જેવા શબ્દો અટકો અને નવા પ્રોજેક્ટસ પર ભારે ન પડી જાય એટલા માટે ઘણી જગ્યાએ એવા મેસેજ મોકલામાં આવી રહ્યા છે કે સુશાંતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી, તેમની પાસે કોઈ કામ પણ નહોતું.
- 10 જાન્યુઆરી 2019 PM મોદીની બોલિવૂડ સ્ટાર્સ સાથેની સેલ્ફી અને કરણ જોહરનો મેસેજ
આજના રિપોર્ટમાં આપણે બોલીવુડમાં કેમ્પની તાકાત અને તેમની કાર્યપદ્ધતિ સમજીએ
• બોલિવૂડ એટલે એક મોટું ગામ અને ઘણા બધા ખેડૂતો
મુંબઈ સ્થિત ભારતનો સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખરેખર ગ્રૂપમાં વહેંચાયેલી છે. અહીં, કોઈ એકની સત્તા નથી ચાલતી પરંતુ ઘણા મોટા ગ્રૂપનું વર્ચસ્વ ચાલે છે. આને કેમ્પ કહેવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નજીકથી જાણતા આશુતોષ અગ્નિહોત્રી કહે છે કે, બોલિવૂડ એક એવું મોટું ગામ ગણી શકાય, જ્યાં શક્તિશાળી ખેડૂતો તેમના ખેતરોમાં પોતપોતાની રીતે પાક ઉગાડે છે.
ખરેખર બોલીવુડ કોઈ એક જગ્યાનું નામ નથી. ઘણા લોકો અંધેરીમાં યળરાજવાળા રસ્તે એટલે કે વીરા દેસાઈ રોડ એટલે કે વર્સોવાને જ બોલિવૂડ સમજે છે તો ઘણા લોકો લોખંડવાલા કોમ્પ્લેક્સન પરંતુ હકીકતમાં ઘણાં સ્ટુડિયો અને ઓફિસો આખા મુંબઈમાં જુદા જુદા વિસ્તારોમાં ફેલાયેલી છે, જે તેમની જગ્યા બદલતી પણ રહે છે.
ફિલ્મ સિટી (દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી) ગોરેગાંવમાં છે. કેટલીક ટૂંકી ફિલ્મો ગોરેગાંવ અને ઓશીવારામાં બને છે. ભોજપુરી ફિલ્મો આદર્શ નગરમાં બને છે, જેના માટે લોકો યુપી-બિહારથી આવે છે અને અહીંથી ફિલ્મો બનાવીને જતા રહે છે. જુહુ, ઓશિવારા અને મડ આઇલેન્ડના બંગલાવાળા વિસ્તારોની ઓળખ ટીવી શોના શૂટિંગ માટે છે.
- ટેલેન્ટની મહામારી, તેનાથી બને છે કિસ્મત અને થાય છે સારી કમાણી
ટ્રેડ એક્સપર્ટ કહે છે કે, 107 વર્ષની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા પ્રકારના કેમ્પ છે. એક સમય હતો જ્યારે રાજ કપૂર, દેવઆનંદ, રાજેન્દ્ર કુમાર અને દિલીપ કુમાપનો કેમ્પ રાખતા હતા. ત્યારબાદઅમિતાભ બચ્ચન, રાજેશ ખન્નાનો કેમ્પ હતો. ત્યારબાદ મિથુન અને અનિલ કપૂર અને પછી શાહરુખ અને સલમાન ખાનનો કેમ્પ શરૂ થયો.
હવે યશરાજ, ભણસાલી પ્રોડક્શન, નડિયાડવાલા, ટી-સીરિઝ, બાલાજી ટેલિફિલ્મ્સ, યુટીવી મોશન પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન જેવા મોટા કેમ્પ બની ગયા છે. આ કેમ્પોની તાકાનો અંદાજ તેમની પાસે રહેલા સ્ટાર્સની સંખ્યા દ્વારા અંદાજ લગાવી શકાય છે. તે પ્રોડ્યુસર્સની સાથે ફિલ્મોના કરાર થવા લાગ્યા, જેમની પાસે સ્ટાર અથવા સ્ટાર કિડ્સનો પૂલ હોય છે.
- આવી રીતે ટેલેન્ટ મેનેજમેન્ટ થાય છે
આ કેમ્પ્સે બોલિવુડમાં ટેલેન્ટ મેનેજમેન્ટ શરૂ કર્યુ હતું. તેઓ જે ટેલેન્ટને લોન્ચ કરતાં, તેમની સાથે 3 ફિલ્મનો કરાર કરવામાં આવતો હતો. તે અંતર્ગત કલાકાર કોઈ અન્ય બેનર સાથે કામ કરી શકતો નથી. આ કરાર લેખિત અને મૌખિક બંને રીતે થતો.
સુશાંત સિંહ રાજપૂત ઘણો ટેલેન્ટેડ હતો. તેને ખૂબ ઓછા સમયમાં નામ અને ફેમ મળી હતી. સુશાંતને અન્ય બેનર્સની ફિલ્મ પણ મળતી હતી, પરંતુ કરારને લીધે તે કરી શકતો ન હતો. જૂથવાદને લીધે તે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આરોપ લાગ્યા છે કે તેને 7 ફિલ્મમોમાંથી હાકી કઢાયો હતો અને તેની 2 ફિલ્મ રિલીઝ જ કરાઈ ન હતી.
સુશાંત પ્રકરણ બાદ એ વાત સ્પષ્ટ થઈ કે મોટાં પ્રોડક્શન હાઉસમાં ટેલેન્ટની મારામારી છે. જેની પાસે જેટલું મોટું ટેલેન્ટ તેના બેનરની ફિલ્મ અથવા શૉની એટલી મોટી કિંમત.
- 2019માં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ 4000 કરોડ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી, તેમાં ટોપ 10 બેનરોની ફિલ્મોની 50 ટકા ભાગીદારી હતી
- સ્માર્ટ અને કોર્પોરેટ રીતે કેમ્પ ચાલે છે
કોઈ કલાકારને સાઈન કરતી વખતે મોટા બેનર્સ કરાર કરે છે. નવાં ટેલેન્ટ માટે મોટા બેનર્સ હેઠળ કામ કરવાથી જલ્દી નામ અને ફેમ મળવાની સંભાવના હોય છે. જોકે કરાર વખતે આગળ શું થશે તે ખ્યાલ આવતો નથી.
ટ્રેડ પંડિતોના જણાવ્યા અનુસાર, કરણ જોહર અને સાજિદ નાડિયાદવાલા જૂના અને સ્માર્ટ પ્રોડ્યુસર છે. આ કોર્પોરેટ પ્રોડ્યુસર ફિલ્મોમા પોતાના ખિસ્સાંને બદલે કોર્પોરેટ સ્ટુડિયોના પૈસા રોકે છે. કોર્પોરેટ સ્ટુડિયો આ નિયમ પર કામ કરે છે અને જેની પાસે જૂના અથવા નવા કલાકાર છે, તેના ફિલ્મ પર પૈસા રોકે છે.
- ઈન્ડસ્ટ્રીના સૌથી સ્માર્ટ પ્લેયર કરણ જોહર
કરણ જોહરે માય નેમ ઈસ ખાનથી આ સિલસિલો શરૂ કર્યો હતો. તેની ફોક્સ સ્ટાર ઈન્ડિયા સાથે ડીલ થઈ હતી. ફોક્સ સ્ટાર ઈન્ડિયા હવે ડિઝની ઈન્ડિયા છે. ફોક્સ સ્ટાર અને કરણ વચ્ચે 200 કરોડની ડીલ થઈ હતી. તે ડીલમાં કરણ જોહરે ફોક્સને 6 ફિલ્મ બનાવી આપવાની હતી. બંને વચ્ચે સંબંધ મજબૂત બન્યા તો ડીલ 9 ફિલ્મની બની. આ ડીલમાં અંતિમ ફિલ્મ કલંક હતી.
ફ્લોપ રહેલા કલંક સુધી તેના રેટ વધી ગયા. ફોક્સથી કરણ જોહરને લગભગ 100 કરોડ રૂપિયા મળ્યા હતા. કરણ તેની ચૂકવણી કરવાનો હતો. 30 કરોડ ફોક્સને પરત આપવાના હતા. જોકે આમ થયું કે નહીં તે બહાર નથી આવ્યું. કરણ હવે વેબ શૉ બનાવી રહ્યા છે. શૉની ડીલ નેટફ્લિક્સ સાથે છે. કરણની અલગ કંપની ધર્માટિક વેબ શૉ બનાવે છે જોકે હાલ તે માત્ર નેટફ્લિક્સ માટે જ શૉ બનાવે છે.
- હોમવર્ક કરીને સ્ટાર કિડ્સ લોન્ચ કરે છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર કરણ જોહર કે અન્ય કોઈ બેનરની મોટી કમાણી ત્યારે થાય છે જ્યારે તેમની ફિલ્મ અથવા શૉમાં મોટા ચહેરાં હોય અથવા સોશિયલ મીડિયામાં જેની બોલબાલા હોય છે. આ જ કારણ છે કે કોઈ પણ સ્ટાર કિડ્સને લોન્ચ કરતાં પહેલાં તેનું ઈન્સ્ટાગ્રામ, ફેસબુક મજબૂત કરવામાં આવે છે. ફિલ્મ કાસ્ટ કરતાં પહેલાં તેની તસવીરો, વીડિયો અને ઈમોશનલ પોસ્ટ શેર કરાવવામાં આવે છે અને ફેન ફોલોઈંગ વધારે કરાય છે. માતા બનવા બાદ કરીના કપૂર ખાનની રીલોન્ચિંગ તેનું ઉહાહરણ છે.
- ટેલેન્ટ કેવી રીતે રિટેન કરવું તે યશરાજે શીખવ્યું
ટેલેન્ટ રિટેન કેવી રીતે કરવું તે ટ્રેન્ડ શરૂ યશરાજે શરૂ કર્યો. શાહરૂખ બાદ તેમની પાસે રણવીર સિંહ, રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા, ભૂમિ પેડનેકર, અર્જુન કપૂર જેવા ટેલેન્ટની લાંબી સૂચિ છે. ડાયરેક્ટર તરીકે શરદ કટારિયા, અલી અબ્બાસ ઝફર, કબીર ખાને તેમની સાથે કરાર કર્યા છે
યશરાજની ફિલ્મો અથવા વેબ શો બનાવવાની રીત કરણ જોહર કરતાં થોડી અલર છે. તેઓ બધુ પોતાના દમ પર કરે છે. તેઓ કોઈ સ્ટુડિયોની સાથે જલ્દી કોલેબરેટ નથી કરતાં, જાતે જ ફિલ્મો બનાવે છે. માર્કેટિંગ કરે છે અને અંતમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વેચે છે. યશરાજની ફિલ્મોના રાઈટ્સ સૌથી વધારે સેટેલાઈટ પર મજબૂતી સાથે વેચવામાં આવે છે.
- કોઈ નથી ટાળતું સાજિદ નડિયાદવાલાની વાત
સાજિદ નડિયાદવાલાની પાસે પોતાનું ઉભરતુ ટેલેન્ટ છે. ટાઈગર શ્રોફ, કૃતિ સેનન, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા નામ તેમની સાથે જોવા મળે છે. બાકી સાજિદ નડિયાડવાલાનું ઈન્ડસ્ટ્રીમાં કદ બહું મોટું છે કે તેઓ સલમાન, અક્ષય કુમાર જેવા લોકોને કહી દે તો તેઓ તેમની ફિલ્મને ના નથી પાડી શકતા.
એવા એક્ટર્સની સાથે લાવવામાં જ્યાં બાકી સુનીલ દર્શન, રતન જૈન, અબ્બાસ મસ્તાન, વીનસ, ટિપ્સ જેવા પ્રોડ્યુસર્સને ઘણી મહેનત કરવી પડે છે, જ્યારે સાજિદ નડિયાદવાલા જેવા પ્રોડ્યુસર માટે ડાબા હાથની રમત હોય છે. ટેલેન્ટ ન હોવાને કારણે જ ઈન્ડસ્ટ્રી જૂના સમયના ખેલાડીઓને ફિલ્મ બનાવવામાં મુશ્કેલી થાય છે.
- સંગીતથી ફિલ્મો સુધી ભૂષણ કુમારનું વર્ચસ્વ
ટી- સીરિઝની કામ કરવાની રીત યશરાજ જેવી છે. તે પણ કોઈ કોર્પોરેટ્સ સ્ટૂડિયોની સાથે કોલેબરેટ નથી કરતાં. પોતાના દમ પર ફિલ્મો બનાવે છે. કહેવામાં આવે છે કે, યુટ્યુબ પરથી 100 કરોડની આવક સતત થાય છે. તેઓ મ્યુઝિકના પૈસાને ફિલ્મોમાં લગાવે છે અને ત્યાંથી મ્યુઝિકની સાથે સારી કમાણી કરે છે.
એમેઝોન પ્રાઈમની સાથે તેમની ડીલ થતી રહે છે. મોટાભાગની ફિલ્મો તે પ્લેટફોર્મ આવી ગઈ છે. તે ઉપરાંત નેટફ્લિક્સ અને ઝી પણ તેની સાથે જોડાવા તૈયાર છે. કોર્પોરેટ સ્ટુડિયોની જગ્યાએ ટી-સિરીઝ અજય દેવગન જેવા મોટા સ્ટારની સાથે મળીને ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું વધારે પસંદ કરે છે કેમ કે, તેમાં પ્રોફિટ શેર વધારે હોય છે.
કહેવામાં આવે છે કે, સંગીતની દુનિયામાં જો પાંદડું પણ હલે છે તો ભૂષણ કુમારની મરજીથી . જેમ કે, સ્ટ્રીટ ડાન્સર શૂટ થતાં પહેલાં જ એમેઝોને 60 ખરોડમાં ખરીદી લીધી હતી. તેના સેટેલાઈટ રાઈટ્સ 40 કરોડમાં વેચવામાં આવ્યા. આવી સ્થિતિમાં, થિયેટરોમાં ઓછા પૈસા આવવા પર ફ્લોપ હોવા છતાં ફિલ્મ હિટ રહી હતી કમાણી કરી આપી હતી.
હવે સમજો ટેબલ પ્રોફિટનું ગણિત
ટી-સીરિઝ એક્ટર્સને પૂલ બનાવીને નથી રાખતા, પરંતુ તેમનું માર્કેટિંગ જોરદાર હોય છે. કોઈ પણ સ્થાપિત અથવા ઉભરતો સ્ટાર તેમના બેનરનું નામ સાંભળવા પર કોઈપણ ડાયરેક્ટરની સાથે ફિલ્મ સાઈન કરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આવી સ્થિતિમાં, ફિલ્મ રિલીઝ થતાં પહેલાં જ તેમાંથી કોઈ મોટા પ્રોડ્યુસરને પ્રોફિટ ચૂકવવામાં આવે છે. તેને ટેક્નિકિ ભાષામાં ટેબલ પ્રોફિટ કહેવામાં આવે છે.
આ પ્રોડક્શન હાઉસની તરફથી કોઈ પણ ડાયરેક્ટ અથવા રાઈટકને સીધો સંકેત છે કે તમે તમારી વાર્તા પર કોઈ પણ સ્ટારનું કન્સેંટ લેટર લઈને આવો અને અમે ફિલ્મ પ્રોડ્યુસ કરીશું.
એક મોટા એક્સપર્ટે નામ ન છાપવાની શરતે કહ્યું- ‘ભણસાલી તાજેતરના વર્ષોમાં સ્ટુડિયોને પણ ચેલેન્જ કરવાનું શરૂ કર્યું છે. ગત વર્ષે સલમાન ખાનની સાથે મોટી ફિલ્મ ઈંશાઅલ્લાહ એટલા માટે ન બની શકી કેમ કે, સ્ટુડિટો કરતા વધારે કમાણીના શેર તેઓ ખુદ માગતા હતા. પરંતુ સલમાને આવું ન થવા દીધું.
દુર્ભાગ્યની વાત એ હતી કે ફિલ્મ બનાવતા પહેલા પણ કમાણીની વહેંચણી એકબીજા વચ્ચે થઈ રહી હતી. સ્ટુડિટોએ અમુદ હદ સુધી ભણસાલીની માંગ માની લીધી પરંતુ જ્યારે પાણી માથાની ઉપર જતુ રહ્યું તો ઈન્શાલ્લાહથી હાથ પાછો ખેંચી લીધો.
ટ્રેડ સાથે જોડાયેલા 3 એક્સપર્ટ્સની નજરમાં બોલીવુડના ખેલાડીઓ
• નેપોટિઝમનું વર્ચસ્વ, બધું 5 - 6 બેનરોમાં સમેટાઈ ગયું છે: નરેન્દ્ર ગુપ્તા, ફિલ્મ ક્રિટિક
છેલ્લા ઘણા વર્ષોમાં નપોટિઝમ બહુ હાવી થઈ ગયું છે, જે લગભગ 5-6 બેનરોમાં સમેટાઈ ગયું છે. જો તમે આ બેનરો સાથે સંકળાયેલા લોકોની ચમચાગીરી ન કરો, તેમના હામાં હા ન પાડો તો પછી આ લોકો તમને ઇન્ડસ્ટ્રીમાંરહેવા દેતા નથી. આ આ ઇન્ડસ્ટ્રીનું સત્ય છે.
તેમાં કોઈ શંકા નથી કે સુશાંત ડિપ્રેશનમાં હતો. તેના ડિપ્રેશનનું કારણ એ હતું કે તે ફિલ્મો મેળવી શક્યો નહીં. એક આર્ટિસ્ટ જેણે MS Dhoni અને છિછોરે જેવી બે મોટી ફિલ્મો આપી હોય અને ત્યારબાદ તેની પાસે એક પણ ફિલ્મ ન હોય એ આશ્ચર્યજનક છે. છિછોરે પછી તેણે જે ફિલ્મો સાઇન કરી હતી એ તેના હાથમાં કેમ નીકળી ગઈ? તેનો જવાબ કોઇની પાસે નથી.
- કરણ જોહર જે કરી રહ્યા છે તે છે 'ફેવરિટિઝમ': અમોદ મહેરા, ક્રિટિક અને પત્રકાર
મારા પ્રમાણે 'નેપોટિઝમ' ના નામે કોઈ ડિબેટ થવી જ ન જોઇએ. સુશાંતના મૃત્યુ પછી ડિબેટ નહીં પણ એક કેમ્પેન ચાલી રહ્યું છે. પોતે જ પોતાના બાળકોને પ્રમોટ કરે તેને નેપોટિઝમ કહેવાય છે. કરણ જોહર તેના બાળકનું પ્રમોશન નથી કરી રહ્યો. તે તો બીજાના બાળકોને પ્રમોટ કરી રહ્યો છે. જેનો અર્થ છે કે તે એક યોગ્ય બિઝનેસમેન છે. તે જાણે છે કે તેણે તેનું કાર્ય કેવી રીતે કરવું. તેને 'નેપોટિઝમ' નહીં પણ 'ફેવરિટિઝમ' કહેવામાં આવે છે.
આ સમગ્ર વિશ્વમાં ચાલતું આવે છે. જો કોઈ તેના પરિવારના સભ્યો અથવા તેના ફેટરનિટી લોકો સાથે કામ કરવા માગે તો એ ખોટું નથી. આપણી ઇન્ડસ્ટ્રીમાં આવા ઘણા લોકો છે. માત્ર એક્ટર્સ જ નહીં પરંતુ વિવિધ વિભાગો ડિપાર્ટમેન્ટમાંથી જ્યાં તેમણે તેમના બાળકોને લોન્ચ કર્યાં. પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં.
- સ્ટાર કિડ્સ હોય તો સક્સેટ રેટ વધી જાય છેઃ અતુલ મોહન, ટ્રેડ એનાલિસ્ટ
ઈન્ડસ્ટ્રીમાં 'નેપોટિઝ્મ' અત્યારથી નથી પણ દાયકાઓથી છે. કોઈ જાણતું નથી અને અને કોઈ જાણી પણ ના શક્યું કે સુશાંતના મગજમાં શું હતું. તે તેની કારકિર્દીમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. જુઓ, આ જનરેશનને સમજવું પડશે કે હિંમતથી કામ કરવું જોઈએ.
એ વાતની પણ ના નથી કે સ્ટાર કિડ્સનું કોઈ પ્રોજેક્ટમાં હોવું તેમનો સક્સેટ રેટ વધારે છે. લોકોની વચ્ચે એક્સાઈટમેન્ટ વધી જાય છે. માર્કેટિંગ સારું થાય છે અને જો તમારી ફિલ્મનો કોન્સેપ્ટ સારો હોય તો ફિલ્મ હિટ થઈ જાય છે, તેમજ લોકોને આ ફિલ્મ સુધી ખેંચી લાવવા માટે આ સ્ટાર કિડ્સ ફાયદાકારક હોય છે.
- અંતમાં, રામગોપાલ વર્માની રસપ્રદ ટ્વીટ જે બોલિવૂ઼ડની વાસ્તવિકતાને ઉજાગર કરે છે
સુંશાતના ફેન્સની મનની વાતઃ સ્વીકાર્યું કે, નેપોટિઝ્મ ઈન્ડસ્ટ્રી, રાજકારણ, સમાજ અને પરિવારમાં પહેલાથી જ છે, પરંતુ શું તેના કારણે આપણે એટલા સ્વાર્થી બની જવાનું કે કોઈ ઈમોશનલ કલાકારને દુઃખ પહોંચાડીને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવો. જો કેટલાક લોકો જાણી જોઈને પ્રતિભાને આગળ નથી આવવા દેતા તો એક ક્રિએટિવ ઈન્ડસ્ટ્રી માટે આ શરમની વાત છે, તેમ કે, અહીં જો સુશાંત સિંહ રાજપૂત જેવા ' છિછોરે લૂઝર' છે, તો કંગના રણોતજેવી 'મણિકર્ણિકાઓ' પણ ઓછી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fEbrIM
https://ift.tt/2V3Bpxs