Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/new-project_1592826160.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/22/new-project_1592826160.jpg. Show all posts

Monday, June 22, 2020

સોના મહાપાત્રાએ સલમાન ખાનની ચાહકોને શાંત રહેવાની અપીલ કરતી ટ્વીટને PR સ્ટન્ટ ગણાવ્યું

બોલિવૂડ સિંગર સોના મહાપાત્રાએ ફરી એકવાર સલમાન ખાનને આડેહાથ લીધો છે. સોનાએ ટ્વિટર પર સલમાન ખાનની ઝાટકણી કાઢી નાખી હતી. સલમાન ખાને હાલમાં જ ચાહકોને અપીલ કરી હતી કે તેઓ સુશાંત સિંહ રાજપૂતના ચાહકો તથા પરિવારને આ મુશ્કેલ ઘડીમાં સાથ આપે. જોકે, સોનાએ સલમાનની આ ટ્વીટને PR સ્ટન્ટ કહ્યો હતો.

સોનાએ શું ટ્વીટ કરી?
સોનાએ ટ્વીટ કરી હતી, ‘ઝેરી મર્દાનગી ધરાવતા એક માત્ર પોસ્ટર બોયનું ‘મોટા દિલનું’ PR પગલું તેમની ડિજિટલ આર્મી આ પહેલાં ભૂતકાળમાં અન્ય લોકોને ડરાવવા તથા ધમકાવવા માટે પોસ્ટ કરતી હતી. હવે તેમણે સાચે જ આ ધમકીઓ માટે માફી માગવાની જરૂર નહોતી. જ્યારે પણ તે ખરાબ રીતે ફસાય જાય છે ત્યારે પિતાને આગળ કરી દે છે.’

સલમાને શું ટ્વીટ કરી હતી?
સલમાન ખાને ટ્વીટ કરી હતી, ‘મારા તમામ ચાહકોને વિનંતી કરું છું કે સુશાંતના ચાહકોની સાથે રહો અને કોઈ પણ પ્રકારના અપશબ્દો કે બદદુઆને ધ્યાનમાં લેશો નહીં પણ તેની પાછળ છુપાયેલા દુઃખને અનુભવો. પ્લીઝ તેના ચાહકો અને પરિવારની સાથે રહી તેને સપોર્ટ કરો, કારણ કે ગમતા વ્યક્તિને ખોઈ બેસવાનું દુઃખ ઘણું પીડાદાયક હોય છે.’

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સુશાંતના નિધન બાદથી જ ચાહકોએ નેપોટિઝ્મને મુદ્દો બનાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના મોટા પ્રોડ્યૂસર્સે સુશાંત પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ફિલ્મમાં લેતા નહોતા. આ બધાથી હતાશ થઈને તેણે આત્મહત્યા કરી છે. આ જ કારણથી સોશિયલ મીડિયામાં કરન જોહર, સલમાન ખાન, આલિયા ભટ્ટને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. તો સામે સલમાન તથા આલિયાના ચાહકો પણ વળતો જવાબ આપી રહ્યાં છે.આ બાબતને ધ્યાનમાં લઈનેસલમાન ખાને ચાહકોને શાંત રહેવાની અપીલ કરતી ટ્વીટ કરી હતી. બિહારના મુઝફ્ફરનગરમાં સલમાન ખાન, કરન જોહર, એકતા કપૂર સહિત આઠ લોકો પર કેસ કરવામાં આવ્યો છે. આ તમામ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે ઈન્ડસ્ટ્રીએ સુશાંત પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને ફિલ્મમાંથી હાંકી કાઢ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સોના મહાપાત્રા અવારનવાર સલમાન તથા તેના ચાહકોને સોશિયલ મીડિયામાં આડેહાથ લેતી હોય છે. પ્રિયંકા ચોપરાએ જ્યારે ફિલ્મ ‘ભારત’ છોડી ત્યારે સોનાએ એક્ટ્રેસને સપોર્ટ કર્યો હતો. આ કારણે સોશિયલ મીડિયામાં સોનાને દુષ્કર્મની તથા મોતની ધમકી મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sona Mohapatra on Salman Khan’s request to fans, is a PR stunt


from Divya Bhaskar https://ift.tt/2YWasx9
https://ift.tt/2B0ZxtT

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...