Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/new-project_1593070840.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/new-project_1593070840.jpg. Show all posts

Thursday, June 25, 2020

મુંબઈ પોલીસને શંકા કે એક્ટરની કેટલીક ટ્વીટ ડિલીટ કરવામાં આવી, ટ્વિટર પાસેથી છ મહિનાનો રેકોર્ડ માગ્યો

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે. શરૂઆતની તપાસમાં સ્પષ્ટ થયુંકે સુશાંત ડિપ્રેશન સામે ઝઝૂમી રહ્યો હતો. જોકે, હજી સુધી પોલીસને આ અંગે કંઈ જ મળ્યું નથી અને હજી સુધી આત્મહત્યાને લઈસાચું કારણ શોધી શકી નથી.. રિપોર્ટ્સના મતે, હવે પોલીસની નજરસુશાંતના ટ્વિટર હેન્ડલ પર છે.

પોલીસને શંકાઃ સુશાંતે ટ્વીટ ડિલીટ કરી
પોલીસને શંકા છે કે સુશાંતે પોતાના ટ્વિટરમાંથી કેટલીક ટ્વીટ ડિલીટ કરી હતી. સુશાંતના ટ્વિટર હેન્ડલથી છેલ્લે 27 ડિસેમ્બર, 2019ના રોજ છેલ્લે ટ્વીટ કરવામાં આવીહતી. આ ટ્વીટ માસ્ટરકાર્ડ ઈન્ડિયાની જાહેરાત હતી. ત્યારબાદ તેણે એક પણ ટ્વીટ કરી નહોતી. 27 ડિસેમ્બર, 2019 પહેલાં આવું ક્યારેય નહોતું બન્યું કે સુશાંત આટલાં લાંબા સમય સુધી માઈક્રોબ્લોગિંગ સાઈટથી દૂર રહ્યો હોય.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે ટ્વિટરને લેટર મોકલીને સુશાંત સિંહ રાજપૂતના છેલ્લાં છ મહિનાનો રેકોર્ડ માગ્યો હતો. આનાથી ખ્યાલ આવશે કે કોઈ ટ્વીટ થઈ હતી કે નહીં? અથવા છ મહિનામાં તેણે કોઈ ટ્વીટ ડિલીટ કરી હતી કે નહીં. જો તેણે ટ્વીટ ડિલીટ કરી તો તેણે આવું શા માટે કર્યું? તેણે પછી કેમ કોઈ ટ્વીટ ના કરી?

ફેસબુક પર છેલ્લી પોસ્ટ 27 ડિસેમ્બરની હતી
સુશાંતે ફેસબુક પર પણ 27 ડિસેમ્બર, 2019ના રોજ છેલ્લી પોસ્ટ કરી હતી. ટ્વિટરની જેમ જ તે પણ માસ્ટરકાર્ડના પ્રમોશન અંગેની હતી. જોકે, તેના નિધન બાદ ટીમે કેટલીક પોસ્ટ કરી છે.

નિધનના 11 દિવસ પહેલાં ઈન્સ્ટાગ્રામમાં છેલ્લી પોસ્ટ શૅર કરી હતી
સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર નિધનના 11 દિવસ પહેલાં એક્ટિવ હતો. સુશાંતે પોતાની સ્વર્ગીય માતાને નામ એક પોસ્ટ શૅર કરી હતી.

અત્યાર સુધી 23 લોકોના નિવેદન લેવામાં આવ્યા
સુશાંતના નિધન બાદથી પોલીસે પરિવાર, મિત્ર, જૂના મેનેજર, ટીમ મેમ્બર્સ, હાઉસ સ્ટાફ, મિત્ર રિયા ચક્રવર્તી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સહિત 23 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. યશરાજ ફિલ્મ્સ તરફથી તે કોન્ટ્રેક્ટની કોપી પણ લીધી છે. સુશાંતે વર્ષ 2012માં આ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. હજી સુધી સુશાંતના ડોક્ટરનું નિવેદન લેવામાં આવ્યું નથી.

સુશાંતના નિધન પહેલાની છેલ્લી વાતચીતમાં એ વાત જાણવા મળી કે સુશાંતે મેનેજર ઉદય સિંહ ગૌરી સાથે ફિલ્મને લઈ વાત કરી હતી. પોલીસે સુશાંતની પૂર્વ મેનેજર રોહિણી અય્યરનું પણ નિવેદન લીધું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mumbai police suspect sushant singh rajput's tweets deleted, ask for six-month record from Twitter


from Divya Bhaskar https://ift.tt/3hXY5sZ
https://ift.tt/2Zbpuzf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...