Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/26/vlcsnap-2020-06-26-14h44m54s5091593162998_1593171392.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/26/vlcsnap-2020-06-26-14h44m54s5091593162998_1593171392.jpg. Show all posts

Friday, June 26, 2020

પોલીસે પ્રોડક્શન હાઉસના મેનેજર તથા જૂના મિત્રની પૂછપરછ કરી, અત્યાર સુધી 25 લોકોના નિવેદન લીધા

એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં બાંદ્રા પોલીસ સ્ટેશને એક પ્રોડક્શન હાઉસના મેનેજર આશીષ સિંહની પૂછપરછ કરી હતી. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે, વર્ષ 2012માં આશીષે સુશાંત સિંહ રાજપૂતનો એક જાણીતા પ્રોડક્શન હાઉસ સાથે કોન્ટેક્ટ કરાવ્યો હતો. પોલીસે સુશાંત સિંહ રાજપૂત તથા અંકિતા લોખંડેના કોમન મિત્ર સંદીપ એસ સિંહને પણ પૂછપરછ માટે બોલાવ્યો હતો. બંને પૂછપરછ બાદ બહાર આવ્યા ત્યારે મીડિયાકર્મીઓ સાથે વાત કર્યાં વગર સીધા જતા રહ્યાં હતાં.

સુશાંતની છેલ્લી ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે
સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. જોકે, સુશાંતની આ ફિલ્મ થિયેટરને બદલે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થતાં પરિવારના સભ્યો પણ નારાજ છે. ચાહકો પણ આ વાતથી રોષમાં છે.

સુશાંતનો કાકાનો દીકરો મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને મળે તેવી શક્યતા
પરિવાર માને છે કે સુશાંતની છેલ્લી ફિલ્મ બિગ સ્ક્રિન પર રિલીઝ થવી જોઈએ. સુશાંત સિંહ રાજપૂતના કાકાના દીકરા તથા ભાજપના નીરજ સિંહ બબલુએ કહ્યું હતું કે સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ડિજિટલ પ્લેટફોર્મ પર નહીં પરંતુ થિયેટરમાં રિલીઝ થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે તેઓ ડિરેક્ટર મુકેશ છાબરા સાથે વાત કરશે અને જો કંઈ પરિણામ ના આવ્યું તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ આ અંગે કાયદાકીય સલાહ પણ લેશે.

અત્યાર સુધી 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા
સુશાંતની આત્મહત્યાને લઈને પોલીસે પરિવાર, મિત્ર, જૂના મેનેજર, ટીમ મેમ્બર્સ, હાઉસ સ્ટાફ, રિયા ચક્રવર્તી, ચાર્ટર્ડઅકાઉન્ટન્ટ સહિત 25થી વધુ લોકોના નિવેદન લીધા હતાં. યશરાજ બેનરે કોન્ટ્રાક્ટ કોપી પણ આપી હતી. સુશાંતે વર્ષ 2012માં આ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. હજી સુધી સુશાંતના ડોક્ટરનું નિવેદન લેવામાં આવ્યું નથી. માનવામાં આવે છે કે હજી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રોડક્શન હાઉસના મેનેજર આશીષ સિંહની શુક્રવાર (26 જૂન)ના રોજ એક કલાક પૂછપરછ કરવામાં આવી હતી


from Divya Bhaskar https://ift.tt/2B2gapj
https://ift.tt/2BcuZFM

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...