પ્રોડ્યુસર સંદીપ સિંહ સુશાંત સિંહ રાજપૂતના નજીકના લોકોમાંનો એક હતો. સુશાંતના મૃત્યુથી તેનો આઘાત લાગ્યો છે. તે સોશિયલ મીડિયા પર સુશાંત સાથે જોડાયેલી યાદો શેર કરતો રહે છે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં સુશાંતને લઈને ઘણી વાતો શેર કરી છે.
સંદીપેબોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, લોકોએ સુશાંતના મોતને એક તમાશો બનાવી દીધો છે, મને આ જરા પણ પસંદ નથી. સુશાંતના અંતિમ સંસ્કાર પછી હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મને અમુક લોકોના ફોન અને મેસેજ આવ્યા. તેઓ પૂછતા હતા કે મેં તેમને અંતિમ સંસ્કારમાં ‘ઇનવાઈટ’ કેમ ના કર્યા ? કેટલાકે મેસેજમાં લખ્યું હતું, અમે બહુ શક્તિશાળી લોકો છીએ. તે અમને કેમ ના બોલાવ્યા ? ત્યારે મેં વિચાર્યું કે, આવા લોકોના મગજમાં શું ચાલે છે ? શોકિંગ !
અંતિમ સંસ્કારમાં આવેલા લોકો વરસાદમાં ઊભા રહીને રડતા હતા
સંદીપે આગળ કહ્યું કે, એકતા કપૂરને વિવાદમાં સામેલ કરવામાં આવી પરંતુ તે પોતાની રીતે જ અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવી હતી. શ્રદ્ધા કપૂર અને રણદીપ હૂડા, આ બધા લોકો વરસાદમાં ઊભા હતા અને રડી રહ્યા હતા. સુશાંતના મૃત્યુ પછી લોકો જે કામ કરી રહ્યા છે, તેનાથી મને વધારે દુઃખ થઇ રહ્યું છે.
પરિવારને એકલો મૂકી દો
હાલ ઘણા લોકો બ્લેમ ગેમ રમી રહ્યા છે, પરંતુ કોઈને સુશાંતના પરિવારની ચિંતા નથી. તેના પરિવારને થોડા સમય માટે એકલો મૂકી દો. તેમની ફેમિલીની સમજો. એવું તો શું દર્દ હશે કે તેના જેવા સફળ વ્યક્તિએ આ પગલું ભર્યું. લોકો કહી રહ્યા છે કે, સુશાંતને 7 ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કોઈ તેના રિલેશનશિપ સ્ટેટસ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે,તેની પાસે રૂપિયા નહોતા પરંતુ આ બધી અટકળો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eDg7yx
https://ift.tt/3g9sAut