એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. એક્ટર શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું છે અને હવે તે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને મળીને આ અંગે વાત કરશે.
ટ્વીટ કરી
રવિવાર, 28 જૂનના રોજ શેખર સુમને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘હું મારા હોમટાઉન પટના જઈ રહ્યો છું. ત્યાં સુશાંતના પિતાને મળીને સાંત્વના આપીશ. આ સાથે જ હું મુખ્યમંત્રી શ્રીનીતીશ કુમાર તથા સુશાંતના ચાહકોને પણ મળીશ. આ કેસમાં CBI તપાસની માગણીને સમર્થન આપવા માટે અપીલ કરીશ.’
Im going to my hometown Patna to meet Sushant's father and pay my respect to him and the CM Shri Nitish Kumar and all the admirers and fans of Sushant to press upon #CBIEnquiryForSushant#justiceforSushantforum@NitishKumar
— Shekhar Suman (@shekharsuman7) June 28, 2020
ન્યાય અપાવીને રહીશું
શેખર સુમન છેલ્લાં ઘણાં સમયથી ટ્વિટર પર એક્ટિવ છે. શેખરે JusticeforSushantForum હેશટેગ સાથે CBI તપાસની માગણી કરી છે. શેખરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘પ્રિયસુશાંત, દેશ તમારી સાથે છે. લોકો તમારી સાથે છે. અમે લોકો તમને ન્યાય અપાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યાં છીએ. ન્યાય જરૂર મળશે. અમે તમને અનંતકાળ સુધી યાદ રાખીશું.’
#justiceforSushantforum Dearest Sushant,the country is with you,the ppl are with you.we are all seeking justice for you and justice will be done.we will miss you till eternity.#CBIEnquiryForSushantpic.twitter.com/IuPw3wP3kl
— Shekhar Suman (@shekharsuman7) June 26, 2020
બીજીવાર તપાસ માટે અવાજ બુલંદ કરીશું
25 જૂનના રોજ શેખર સુમને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તો આ જાહેર કરી દેવામાં આવ્યું કે સુશાંતનું અવસાન સાધારણ આત્મહત્યા જ હતી. આનાથી નિરાશ ના થાવ, મને શંકા હતી કે આવું જ થશે. આ પહેલેથી જ નક્કી હતું. આથી જ આ ફોરમ બધા માટે છે અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. મહેરબાની કરીને બીજીવાર તપાસ માટે અવાજ બુલંદ કરો.’
So it has been declared that Sushant Singh's was plain and simple suicide.Dont fall for that.I suspected this wd happen.The narrative was set from before.Thar's why the forum has become all the more imp.plz raise your voices for a reinvestigation.
— Shekhar Suman (@shekharsuman7) June 25, 2020
આ જ દિવસે અન્ય એક ટ્વીટમાં શેખર સુમને કહ્યું હતું, ‘JusticeforSushantForum’ને જબરજસ્ત પ્રતિક્રિયા આપવા માટે તમારો આભાર. હું આ પદ્ધિતિને યોગ્ય રૂપરેખા તૈયાર કરવામાં તથા તેને ચોક્કસ આકાર આપવાની પ્રક્રિયામાં છું. મહેરબાની કરીને આશાના છોડશે અને ધીરજ રાખો. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ કેસના અંત સુધી પહોંચવા માટે આપણે પૂરો પ્રયાસ કરીશું.
We all will have to take a more belligerent stand and not be cowered down by the suicide narrative and whitewashed slanted theories.This time we won't listen.This time we won't be convinced.#justiceforSushantforum
— Shekhar Suman (@shekharsuman7) June 25, 2020
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eJVSiH
https://ift.tt/3eI9laX