Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/shekhar-sushant-front-pic1593409973_1593414907.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/shekhar-sushant-front-pic1593409973_1593414907.jpg. Show all posts

Monday, June 29, 2020

CBI તપાસની માગ સાથે શેખર સુમન બિહારના મુખ્યમંત્રીને મળશે, લોકો પાસેથી સમર્થન માગ્યું

એક્ટર સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ CBIને સોંપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. એક્ટર શેખર સુમને ઓનલાઈન ફોરમ બનાવ્યું છે અને હવે તે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને મળીને આ અંગે વાત કરશે.

ટ્વીટ કરી
રવિવાર, 28 જૂનના રોજ શેખર સુમને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘હું મારા હોમટાઉન પટના જઈ રહ્યો છું. ત્યાં સુશાંતના પિતાને મળીને સાંત્વના આપીશ. આ સાથે જ હું મુખ્યમંત્રી શ્રીનીતીશ કુમાર તથા સુશાંતના ચાહકોને પણ મળીશ. આ કેસમાં CBI તપાસની માગણીને સમર્થન આપવા માટે અપીલ કરીશ.’

ન્યાય અપાવીને રહીશું
શેખર સુમન છેલ્લાં ઘણાં સમયથી ટ્વિટર પર એક્ટિવ છે. શેખરે JusticeforSushantForum હેશટેગ સાથે CBI તપાસની માગણી કરી છે. શેખરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘પ્રિયસુશાંત, દેશ તમારી સાથે છે. લોકો તમારી સાથે છે. અમે લોકો તમને ન્યાય અપાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યાં છીએ. ન્યાય જરૂર મળશે. અમે તમને અનંતકાળ સુધી યાદ રાખીશું.’

બીજીવાર તપાસ માટે અવાજ બુલંદ કરીશું
25 જૂનના રોજ શેખર સુમને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘તો આ જાહેર કરી દેવામાં આવ્યું કે સુશાંતનું અવસાન સાધારણ આત્મહત્યા જ હતી. આનાથી નિરાશ ના થાવ, મને શંકા હતી કે આવું જ થશે. આ પહેલેથી જ નક્કી હતું. આથી જ આ ફોરમ બધા માટે છે અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. મહેરબાની કરીને બીજીવાર તપાસ માટે અવાજ બુલંદ કરો.’

આ જ દિવસે અન્ય એક ટ્વીટમાં શેખર સુમને કહ્યું હતું, ‘JusticeforSushantForum’ને જબરજસ્ત પ્રતિક્રિયા આપવા માટે તમારો આભાર. હું આ પદ્ધિતિને યોગ્ય રૂપરેખા તૈયાર કરવામાં તથા તેને ચોક્કસ આકાર આપવાની પ્રક્રિયામાં છું. મહેરબાની કરીને આશાના છોડશે અને ધીરજ રાખો. હું તમને વિશ્વાસ અપાવું છું કે આ કેસના અંત સુધી પહોંચવા માટે આપણે પૂરો પ્રયાસ કરીશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુશાંતે 14 જૂનના રોજ આ્ત્મહત્યા કરી હતી


from Divya Bhaskar https://ift.tt/3eJVSiH
https://ift.tt/3eI9laX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...