સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મંગળવાર, 30 જૂનના રોજ તેની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘી બાંદ્રા પોલીસ સ્ટેશન આવી છે. સંજનાને પોલીસે પૂછપરછ માટે સોમવારે બોલાવી હતી પરંતુ તે દિલ્હીમાં હોવાથી 29 જૂને આવી શકી નહોતી.
ચર્ચા એ પણ છે કે થોડાં સમય પહેલાં ‘MeeToo’ કેમ્પેન હેઠળ સુશાંત સિંહ રાજપૂત પર છેડતીનો આક્ષેપ કર્યો હતો. સંજનાની પૂછપરછ આ જ કારણથી વધુ મહત્ત્વની છે. કહેવાય છે કે સુશાંત આ આક્ષેપ બાદથી ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો.
તો બીજી બાજુ પોલીસે ટ્વિટર ઈન્ડિયા પાસેથી સુશાંતે છેલ્લા છ મહિનામાં કઈ કઈ ટ્વિટ કરી તેને લઈ રિપોર્ટ માગ્યો છે. પોલીસ જાણવા માગે છે કે સુશાંતે ટ્વિટર પર કોઈ ટ્વીટ કરી હતી કે નહીં અને જો કરી હતી તો તેને ડિલીટ કરી નાખી હતી? નોંધનીય છે કે સુશાંતે છેલ્લી ટ્વીટ ડિસેમ્બર, 2019માં કરી હતી અને ત્યારબાદ તેણે એક પણ ટ્વીટ કરી નહોતી.
સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ 24 જુલાઈએ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38bplQa
https://ift.tt/2BOXeu3