Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/30/78eb8e75-06f4-4640-86c9-c85b77ffa020_1593488537.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/30/78eb8e75-06f4-4640-86c9-c85b77ffa020_1593488537.jpg. Show all posts

Tuesday, June 30, 2020

સુશાંતના પિતાને મળ્યા બાદ શેખર સુમને કહ્યું, કેકે સિંહ હજી પણ ઘેરા આઘાતમાં, અમારી વચ્ચે કોઈ વાતચીત ના થઈ

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. બોલિવૂડ સેલેબ્સ સુશાંતના પટનામાં રહેતા પરિવારને મળીને સાંત્વના પાઠવે છે. હાલમાં જ શેખર સુમન તથા સુશાંતનો ખાસ ફ્રેન્ડ તથા પ્રોડ્યૂસર સંદીપ સિંહ પટના ગયા હતાં અને સુશાંતના પિતાને મળ્યાં હતાં. શેખર સુમને ઓનલાઈન ‘JusticeForSushantForum’ શરૂ કર્યું છે અને સરકાર પાસે CBI તપાસની માગણી કરી છે. શેખરના મતે, સુશાંતે આત્મહત્યા કરી નથી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે. સુશાંતના પિતાને મળ્યાં બાદ શેખરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને CBI તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. શેખરે સોશિયલ મીડિયામાં સુશાંતના પિતા કેકે સિંહ સાથેની મુલાકાતની તસવીર શૅર કરી હતી.

તસવીર શૅર કરીને આ વાત કહી
તસવીરમાં શેખર સુમન, પ્રોડ્યૂસર સંદીપ સિંહ તથાસુશાંતના પિતા કેકે સિંહ અને પરિવારના અન્ય સભ્યો જોવા મળે છે. શેખરે ટ્વીટ કરીને કહ્યું હતું કે સુશાંતના પિતા અને તેની વચ્ચે એક પણ શબ્દની વાતચીત થઈ નહોતી પરંતુ તેમનું મૌન ઘણું જ કહી જતું હતું. શેખરના મતે, ‘સુશાંતના પિતાને મળ્યો અને સાંત્વના પાઠવી. અમે થોડીક ક્ષણો સાથે બેઠાં પરંતુ એક પણ શબ્દની આપલે થઈ નહોતી. તેઓ હજી પણ આઘાતમાં છે. મને લાગે છે કે ચૂપ રહીને સાંત્વના આપવી સૌથી સારો રસ્તો છે.’

વીડિયો શૅર કર્યો
શેખર સુમને જર્નલિસ્ટ સાથેનો એક વીડિયો પણ શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે એમ કહેતો સાંભળવા મળે છે કે જ્યાં સુધી નક્કર પરિણામ ના આવે ત્યાં સુધી તે સતત પ્રયાસો કરશે.

સંદીપે સુશાંતના શ્રદ્ધાંજલિ પાઠવી
સંદીપ તથા સુશાંત ખાસ મિત્રો છે. સંદીપ પણ બિહારનો છે. બંનેએ સાથે મળીને ફિલ્મ ‘વંદે ભારતમ’ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ પૂરી થાય તે પહેલાં જ સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતની આત્મહત્યા બાદ સંદીપે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. સંદીપે સુશાંતના ઘરે આવીને સૌ પહેલાં તેનીતસવીર પર ફૂલો ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પોલીસે સંદીપ સિંહની પૂછપરછ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After meeting Sushant's father, Shekhar told "KK Singh is deeply shocked by his son's departure, there was no conversation between us.


from Divya Bhaskar https://ift.tt/2VwKPlA
https://ift.tt/2BQSmVr

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...