Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/01/shekhar1593525969_1593582259.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/01/shekhar1593525969_1593582259.jpg. Show all posts

Wednesday, July 1, 2020

હવે મુંબઈ પોલીસ શેખર કપૂરની પણ પૂછપરછ કરશે, સુશાંત સાથે પાની ફિલ્મ બનાવવાના હતા

સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસે અત્યારસુધી અંદાજે 30 લોકોની પૂછપરછ કરી લીધી છે. તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની એક્ટ્રેસ સંજના સાંઘીની મંગળવારે પૂછપરછ થઇ. હવે મુંબઈ પોલીસ ડિરેક્ટર શેખર કપૂરની પણ આ કેસમાં પૂછપરછ કરશે. આ માટે તેમને સમન મોકલવામાં આવ્યું છે.

14 જૂને સુશાંતની આત્મહત્યા પછી શેખરે એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, હું જાણું છું કે તું ક્યાં દુઃખમાંથી પસાર થઇ રહ્યો હતો. તું મારા ખભે માથું રાખીને રડ્યો છે. કાશ છેલ્લા 6 મહિના દરમ્યાન હું તારી આસપાસ રહ્યો હોત. તારી સાથે જે થયું તે તેમના કર્મોના ફળ છે, તારા નહીં.

પાની ફિલ્મની સ્ટોરી શેખર કપૂરે 20 વર્ષ પહેલાં લખી હતી જે 2040ની દુનિયામાં પાણીની અછત પર આધારિત ફિલ્મ હતી પણ ફિલ્મ બની શકી નહીં.

4 કારણોસર તપાસમાં શેખરનું નામ આવ્યું

1. આદિત્ય ચોપરાના યશરાજ ફિલ્મ્સે સુશાંત સિંહ રાજપૂત સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ ફિલ્મ બ્યોમકેશ બક્ષી, શુદ્ધ દેસી રોમાન્સ અને શેખર કપૂરની પાની હતી. સાચી તકલીફ શેખર કપૂરની ફિલ્મ પછી શરૂ થઇ.
2. યશરાજ ફિલ્મ્સ દ્વારા સુશાંત સાથેના કોન્ટ્રાક્ટની કોપી પોલીસને આપી દેવાઈ છે. આ કોપીમાં સુશાંત સાથેની ત્રણ ફિલ્મનો ઉલ્લેખ છે જેમાંની શુદ્ધ દેસી રોમાન્સ અને બ્યોમકેશ બક્ષી બની ચુકી હતી. ત્રીજી ફિલ્મ પાની હતી જે માળીયા પર ચડાવી દેવાઈ.
3. શેખર કપૂર પહેલાં પાની હોલિવૂડ માટે બનાવવાના હતા પરંતુ પછી આને ઇન્ડિયા માટે બનાવવાનું નક્કી થયું પણ ફિલ્મનું બજેટ વધતું ગયું તો યશરાજે હાથ ઉપર કરી દીધા. એવી ચર્ચા છે કે ત્યારપછીથી જ સુશાંત અને યશરાજ ફિલ્મ્સના સંબંધોમાં તિરાડ પડી અને હવે પોલીસ પણ આ એન્ગલથી તપાસ કરી શકે છે.
4. ઇન્ડસ્ટ્રીના સૂત્ર જણાવે છે કે પાની ફિલ્મ માટે સુશાંતે ઘણી ફિલ્મ્સ છોડી હતી પણ પાની ન બની એટલે તેણે બીજા બેનરની ફિલ્મ કરવાની શરૂ કરી. તેણે રામલીલા અને બાજીરાવ મસ્તાની માટે સંજય લીલા ભણસાલી સાથે પણ કોન્ટ્રાક્ટ કર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant singh Rajput suicide case |Now director Shekhar Kapur will also be interrogated, Mumbai Police sending summons


from Divya Bhaskar https://ift.tt/2VzsgwY
https://ift.tt/31yq4cQ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...