Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/02/sonu111593677844_1593684430.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/02/sonu111593677844_1593684430.jpg. Show all posts

Thursday, July 2, 2020

સંગીતકાર-ગાયકોએ ‘ક્રેડિટ ટૂ ક્રિએટર્સ’ કેમ્પેન શરૂ કર્યું, સોનુ નિગમે વીડિયો શૅર કરીને રામલાલ અંગેની માહિતી આપી

બોલિવૂડમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હસ્તીઓએ એક નવું કેમ્પેન શરૂ કર્યું છે. આ કેમ્પેનને ‘ક્રેડિટ ટૂ ક્રિએટર્સ’ નામ આપવામાં આવ્યું છે. આ કેમ્પેન હેઠળ દુનિયાને જે કલાકારો અંગેની માહિતી નથી તેની વાત કરવામાં આવશે. સોનુ નિગમે હાલમાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સોનુએ 1963માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સેહરા’ના સંગીતકાર રામલાલ અંગે વાત કરી હતી.

રાજુ સિંહે સોનુ નિગમને આ કેમ્પેન માટે ટેગ કર્યો હતો. કેમ્પેન સોનુએ વીડિયોમાં હસરત જયપુરીની વાત કરતાં એમ કહ્યું હતું કે તે અનુ મલિકના મામા છે. આ વીડિયો પોસ્ટમાં સોનુએ શાંતનુ મોઈત્રા તથા સંદીપ ચૌટાને પણ ટેગ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ મ્યૂઝિક ડે પર IPRS (ધ ઈન્ડિયન પર્ફોર્મિંગ સોસાયટી લિમિટેડ)એ ‘ક્રેડિટ ટૂ ક્રિએટર્સ’ કેમ્પેન શરૂ કર્યું છે.

View this post on Instagram

@rajupsingh @moitrashantanu @sandychow44

A post shared by Sonu Nigam (@sonunigamofficial) on Jul 1, 2020 at 5:46am PDT

રામલાલને અનસંગ જીનિયસ કહેવામાં આવે છે
રામલાલ ચૌધરી 1944માં મુંબઈ આવ્યા હતાં. ત્યારબાદ તેમણે પૃથ્વી થિયેટરમાં સંગીતકાર રામ ગાંગુલીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. 1948માં રાજ કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘આગ’માં વાંસળી તથા શરણાઈ વગાડી હતી. ડિરેક્ટર રાજ કુમાર સંતોષીના પિતા પી એલ સંતોષીની ફિલ્મ ‘ટાંગાવાલા’માં રામલાલને સંગીતકાર તરીકે બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં રાજ કપૂર તથા વૈજયંતીમાલા હતાં. જોકે, કેટલાંક કારણોસર આ ફિલ્મ પૂર્ણ થઈ શકી નહીં. આથી રામલાલ ફિલ્મમાં શરણાઈ તથા વાંસળી વગાડતા હતાં. ત્યારબાદ 1952માં ‘હુશ્નબાનો’માં સંગીતકાર તરીકે તક મળી હતી. જોકે, તેમણે વી.શાંતારામ સાથે બે ફિલ્મ કરી હતી અને આ બંને ફિલ્મના ગીતો ઘણાં જ લોકપ્રિય થયા હતાં. સૌ પહેલાં રામલાલે વી. શાંતરામની સાથે ‘સેહરા’ કરી હતી. ત્યારબાદ 1965માં ‘ગીત ગાયા પથ્થરો’માં સંગીત આપ્યું હતું. આ ફિલ્મમાં જીતેન્દ્ર તથા રાજશ્રી (વી. શાંતારામની દીકરી) હતાં. બે હિટ ફિલ્મમાં સંગીત આપવા છતાંય રામલાલને બોલિવૂડમાં કામ મળ્યુ નહીં. ત્યારબાદ તેમણે ‘નકાબ-પોશ’ તથા ‘નાગલોક’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. જોકે, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ રામલાલે ફિલ્મમેકિંગમાં નસીબ અજમાવ્યું હતું પરંતુ તેમની ફિલ્મ પૂરી બની શકી નહોતી. વર્ષ 2007માં ચાર જુલાઈના રોજ રામલાલનું નિધન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Musicians-singers launch 'Credit to Creators' campaign, Sonu Nigam shares video about Ramlal


from Divya Bhaskar https://ift.tt/3gkC45U
https://ift.tt/2ZweXPe

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...