બોલિવૂડ કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 જુલાઈના રોજ મુંબઈમાં 71 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું. સરોજ ખાને એકવાર જણાવ્યું હતું કે, સ્ટ્રગલ દરમ્યાન સલમાન ખાને તેમની મદદ કરી હતી અને તેમને ફિલ્મ્સ આપવાનું વચન આપ્યું હતું. હવે તેમના ગયા બાદ સરોજ ખાનની દીકરી સુકૈના નાગપાલે સલમાન ખાન વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, સલમાન ખાન અને તેનો પરિવાર પછી તે અલવીરા હોય કે અલિઝે, હંમેશાં અમારી સાથે પરિવારની જેમ ઊભા રહ્યા છે. મુશ્કેલીની ઘડીમાં તેઓ આગળ આવીને અમારી સાથે રહ્યા છે.
સુકૈનાએ એક ઘટના જણાવી કે, મારા દીકરાને હાર્ટ ઇસ્યુ હતો જેને કારણે તેની તાત્કાલિક સર્જરી કરવાની હતી. સલમાનની ભાણી અલિઝેએ સલમાનને આ વિશે જણાવ્યું ત્યારબાદ સલમાન તરત જ મદદ માટે આગળ આવ્યા હતા. સલમાન સરે મારી માતાને ફોન કર્યો અને કહ્યું, તમે કહો છો કે હું તમારો દીકરો છું અને તમે મને શું થયું તેની જાણ પણ નથી કરતા. ત્યારબાદ માતાએ તેમને આખી પરિસ્થિતિ જણાવી. સલમાને કહ્યું કે, તમે ચિંતા ન કરો, હું મારાથી થઇ શકે એટલું બધું કરું છું.
સલમાન ખાનની ભાણી અલિઝે સરોજ ખાન પાસે ડાન્સની એક વર્ષથી ટ્રેનિંગ લઇ રહી હતી. અલિઝે સલમાન ખાનની બહેન અલવીરા અને ફિલ્મ પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીની દીકરી છે. સલમાન તેની ભાણીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોન્ચ કરવાનો છે અને તેના માટે જ અલિઝે ડાન્સની ટ્રેનિંગ લઇ રહી હતી.
View this post on InstagramA true Master 🙏🏻 Irreplaceable loss. Rest in peace Masterji #SarojKhan.
A post shared by Atul Agnihotri (@atulreellife) on Jul 3, 2020 at 2:57am PDT
સરોજ ખાને ગયા વર્ષે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું યંગ એક્ટ્રેસના ડાન્સ ક્લાસ લઉં છું અને અલિઝે પણ તેમાં સામેલ છે. તે ટૂંક સમયમાં હિરોઈન બનશે. સલમાન ખાન અલિઝેને રોમ-કોમ ફિલ્મથી લોન્ચ કરવા ઈચ્છે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31KiKel
https://ift.tt/2VQwIYy