Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/sandhya1594051575_1594100622.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/sandhya1594051575_1594100622.jpg. Show all posts

Tuesday, July 7, 2020

ટિક્ટોક બેન થયા બાદ 18 વર્ષની સંધ્યા ચૌહાણે આત્મહત્યા કરી, સુશાંતની 45 વર્ષની ફેને પણ દુનિયાને અલવિદા કહ્યું

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ આત્મહત્યાના બે કેસ સામે આવ્યા છે. એક તરફ 18 વર્ષની ટિક્ટોકર સંધ્યા ચૌહાણે આત્મહત્યા કરી લીધી તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતની 45 વર્ષની એક ફેને ડિપ્રેશનમાં આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંધ્યા ચૌહાણ દિલ્હી યુનિવર્સિટીની સ્ટુડન્ટ હતી અને તેની ઘણી ફેન ફોલોઇંગ હતી. રવિવારે તેના રૂમમાં તે મૃત હાલતમાં મળી હતી.

ટિક્ટોક બેન થયા બાદ ડિપ્રેશનમાં હતી
મીડિયા રિપોર્ટ મુજબ, સંધ્યાના રૂમમાં સુસાઇડ નોટ મળી નથી. પરંતુ એવા સમાચાર છે કે ટિક્ટોક બેન થયા બાદ તે ડિપ્રેશનમાં હતી અને તેણે આવું ગંભીર પગલું ભર્યું.

સંધ્યાની કઝીને તેને રૂમમાં મૃત હાલતમાં જોઈ. ત્યારબાદ ઓથોરિટીઝને સૂચના આપી. પરિવારના નજીકના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું હતું કે સંધ્યા છેલ્લા બે-ત્રણ મહિનાથી ડિપ્રેશનમાં હતી.

25 જૂને સિયા કક્કડે આત્મહત્યા કરી હતી
ટિક્ટોક પર બેન લાગ્યા પહેલાં 25 જૂને 16 વર્ષની ટિક્ટોક સ્ટાર સિયા કક્ક્ડે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલાં તેણે તેનો એક ડાન્સ વીડિયો પણ અપલોડ કર્યો હતો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. સિયા દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં રહેતી હતી. સિયાના ટિક્ટોક પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 લાખ જેટલા ફોલોઅર્સ છે.

ટિક્ટોક સ્ટાર સિયા કક્ક્ડ

સુશાંત સિંહ રાજપૂતના ફેને આત્મહત્યા કરી
સુસાઇડનો એક અન્ય કેસ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલ છે. એક્ટરની એક ફેને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ બનાવ તો 1 જુલાઈનું છે પણ મીડિયામાં આ સમાચાર હવે આવ્યા છે. મુંબઈની 45 વર્ષીય રચના શેઠ પીએમસી બેન્કના ગોટાળા બાદ ડિપ્રેશનમાં હતી એવું કહેવામાં આવી રહ્યું છે.

રચનાએ પીએમસીમાં તેનું ખાતું ખોલાવ્યું હતું જેમાં પરિવારે લગભગ 15 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. ડિપ્રેશન સામેની લડત દરમ્યાન તે હંમેશાં તેની સાથે એક દુપટ્ટો રાખતી હતી. તેના પરિવારને હંમેશાં એવો ડર હતો કે તે કોઈ ઘાતક કદમ ન લે.

મુંબઈ મિરર સાથેની વાતચીતમાં રચનાના પતિ વિશાલ શેઠે જણાવ્યું કે, પીએમસી બેન્ક ગોટાળા બાદ તે ચિંતામાં રહેતી હતી. ગયા મહિને જ્યારે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના ન્યૂઝ આવ્યા તો તેની માનસિક હાલત વધારે ખરાબ થઇ ગઈ. છેલ્લા અમુક અઠવાડિયાથી તે તેની સાથે એક દુપટ્ટો રાખી રહી હતી. અમને ચિંતા હતી કે તે કોઈ ખોટું પગલું ન ભરી લે. 1 જુલાઈના રાત્રે અંદાજે 8 વાગ્યે રચના પંખા સાથે લટકાયેલી મળી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટિક્ટોક સ્ટાર સંધ્યા ચૌહાણનો આ ફોટો ટ્વિટર પર વાઇરલ થઇ રહ્યો છે


from Divya Bhaskar https://ift.tt/2AGfIgg
https://ift.tt/3eakBLX

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...