Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/09/5_1594286265.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/09/5_1594286265.gif. Show all posts

Thursday, July 9, 2020

નેપોટિઝ્મની ચર્ચા વચ્ચે કરન જોહર પાર્ટીમાં જોવા મળ્યો, સો.મીડિયા યુઝર્સે કહ્યું- સાંભળ્યું હતું કે તે ભાંગી પડ્યો હતો?

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદથી કરન જોહર પર નેપોટિઝ્મને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં જ કરનના એક નિકટના મિત્રે કહ્યું હતું કે કરનની સ્થિતિ બિલકુલ સારી નથી અને તે બોલી શકવાની સ્થિતિમાં નથી. જોકે, મિત્રનો આ દાવો ખોટો સાબિત થયો છે. કરન જોહર બોલિવૂડ એક્ટ્રેસ નીતુ સિંહની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. કરન જોહરને પાર્ટીમાં જોતા જ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

નીતુ સિંહે પાર્ટીની તસવીર શૅર કરી
આઠ જુલાઈના રોજ નીતુ સિંહનો જન્મદિવસ હતો. નીતુ સિંહે સાત જુલાઈના રોજ બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરન જોહર ઉપરાંત રણબીર કપૂર, દીકરી રિદ્ધિમા સહિત ફેમિલી મેમ્બર્સ જોવા મળ્યાં હતાં. નીતુ સિંહે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘જેની પાસે સૌથી સારા સંબંધો હોય તે અમીર હોય છે. તમામને નિકટના લોકોનો પ્રેમ, સપોર્ટ, શક્તિની જરૂર રહેતી હોય છે. આજે હું મારી જાતને સૌથી અમીર માનું છું.’ 30 એપ્રિલ, 2020ના રોજ નીતુ સિંહના પતિ રિશી કપૂરનું નિધન થયું હતું. પતિના નિધન બાદ નીતુનો આ પહેલો જન્મદિવસ હતો.

સુશાંતના અવસાન બાદ કરન જોહર પહેલી વાર જોવા મળ્યો
સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ કરન જોહર પહેલી વાર જોવા મળ્યો હતો. કરન જોહર સોશિયલ મીડિયામાં પણ છેલ્લાં ઘણાં સમયથી એક્ટિવ નથી. તેને છેલ્લી પોસ્ટ સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપતી કરી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સે કરનને આડે હાથ લીધો
નીતુ કપૂરની બર્થડે પાર્ટીમાં કરનની તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરે કહ્યું હતું, ‘મેં ક્યાંક વાંચ્યું હતું કે કરન જોહર ભાંગી પડ્યો છે પરંતુ આ તો બિલકુલ ઠીક લાગે છે.’ અન્ય એકે કરનને કેજોમિતની ઉપમા આપી હતી અને કહ્યું હતું, ‘ડ્રામા ક્વીનમાં એવા કોઈ લક્ષણ જોવા મળ્યાં નથી.’ તો અન્ય એક કમેન્ટ કરી હતી, ‘અમે સાંભળ્યું હતું કે કરન જોહર બિલાડી-કૂતરાની જેમ રડી રહ્યો છે પરંતુ દેખાડો અને બનાવટીનું આ કેવું લેવલ છે.’

મિત્રે આ દાવો કર્યો હતો
કરનના મિત્રે વેબ પોર્ટલ બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સુશાંતના અવસાન બાદ પોતાના તરફની નફરત જોઈને કરન એકદમ ભાંગી પડ્યો હતો. કરનને જ્યારે પણ ફોન કરવામાં આવે ત્યારે તે રડી પડે છે. તે સતત રડી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amidst the discussion of nepotism, Karan Johar was seen at the neetu singh birthday party.


from Divya Bhaskar https://ift.tt/3eeKhXS
https://ift.tt/3ffCj25

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...