કોરોના વાઈરસ સંક્રમિત બિગ બી હાલ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અમિતાભ બચ્ચને કોરોના પોઝિટિવ હોવાની વાત ટ્વીટ કરીને જણાવી છે. નાણાવટી હોસ્પિટલમાં તેઓ ઓક્ટોબર મહિનામાં પણ દાખલ થયા હતા. જો કે, મીડિયામાં આ સમાચાર વાઈરલ થઇ જતા તેઓ દુઃખી થઇ ગયા હતા.
તે વાતને લઈને અમિતાભ બચ્ચને પોતના બ્લોગમાં લખ્યું હતું કે, કૃપા કરીને વ્યવસાયિક દસ્તાવેજોના નિયમોને તોડશો નહીં. બીમાર થવું અને સારવાર કરાવી તે વ્યક્તિનો ગુપ્ત અધિકાર છે. આ એક શોષણ છે, તેનો વ્યવસાયિક ઉપયોગ કરવો સામાજીક રીતે ખોટી વાત છે. સન્માન કરો અને વાતને સમજો. દુનિયામાં બધી વસ્તુઓ વેચવા માટે હોતી નથી.
તેમના માટે પ્રાર્થના કરતા લોકોનો આભાર માન્યો હતો
બિગ બીએ તેમના બ્લોગમાં આભાર પણ માન્યો હતો, જે લોકો તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને તેઓ જલ્દી સાજા થઇ જાય તેની પ્રાર્થના પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે, જે લોકોએ મારા માટે પ્રાર્થના કરી તે બધાનો આભાર. તેમણે 77મા જન્મદિવસ પર જલસાની બહાર આવેલા ચાહકોના ફોટોઝ પણ શેર કર્યા હતા. ઘણા ફોટોમાં તેઓ પૌત્રી આરાધ્યા સાથે પણ દેખાયા હતા.
લિવરની તકલીફ હોવાની વાત વાઈરલ થઇ હતી
ઓક્ટોબર મહિનામાં અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાઈરલ થયા હતા કે તેઓ લિવરની સમસ્યાથી પીડિત છે. ત્રણ દિવસ પછી હોસ્પિટલથી પરત આવ્યાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં કારમાં તેઓ અભિષેક બચ્ચન સાથે દેખાયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38RGFKC
https://ift.tt/2ZWEXU2