સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને આજે 14 જુલાઈએ એક મહિનો થઇ ગયો. 14 જૂને મુંબઈમાં બાંદ્રામાં તેના ઘરે ફાંસી લગાવીને સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. આટલા સમયમાં મુંબઈ પોલીસ એક્ટરની આત્મહત્યા પાછળનું કારણ શોધી શકી નથી.
6 કલાકની પૂછપરછ થઇ
સોમવારે મુંબઈ પોલીસે સુશાંતના કુક નીરજની ફરી 6 કલાક કડક પૂછપરછ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ, કુક પાસેથી પોલીસે સુશાંતની આત્મહત્યાના ત્રણ દિવસ અગાઉની બધી વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો. 11 જૂનથી 14 જૂન વચ્ચે સુશાંતે શું જમ્યું, શું પીધું અને કોણ-કોણ તેને મળવા આવ્યું હતું જેવી દરેક નાની-નાની માહિતી પોલીસે કુક પાસેથી મેળવી છે.
સુશાંતની બહેનને પણ ફરીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવી
સુશાંત સિંહની બહેન મિતુને મંગળવારે પોલીસે ફરીવાર પૂછપરછ માટે બોલાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસ મિતુને તેમના ત્રણ મહિના પહેલાંના સંબંધ, ભાઈ-બહેને કરેલ વાતચીત અને તેની ફ્રેન્ડ રિયા ચક્રવર્તીને લઈને પૂછપરછ કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WkL1Vv
https://ift.tt/3epNLXB