Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/3_1594783954.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/3_1594783954.gif. Show all posts

Wednesday, July 15, 2020

બિગ બીએ કવિતા શૅર કરીને ડોક્ટર્સની તુલના દેવતા સાથે કરી

અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તેમનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈરહ્યો છે. અમિતાભ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી રહ્યાં છે. હાલમાં જ અમિતાભે ડોક્ટર્સ, નર્સ તથા સ્ટાફનો આભાર માનતી પોસ્ટ શૅર કરી હતી.

અમિતાભે કવિતા લખી હતી અને તેમાં ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફનીદેવતા સાથે તુલના કરી હતી. અમિતાભે કહ્યું હતું,

શ્વેત વર્ણ આભૂષણ
સેવાભાવ સમર્પણ
ઈશ્વરરૂપી દેવતા યે
પીડિતોં કે સંબલ યે
સ્વયં કો મિટા દિયા
ગલે હમેં લગા દિયા
પૂજા દર્શન કે સ્થાન યે
પરચમ ઈન્સાનિયત કે
- અમિતાભ બચ્ચન

અમિતાભ-અભિષેક હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે
ન્યૂઝ એજન્સી PTI સાથેની વાતચીતમાં હોસ્પિટલના સૂત્રોએ કહ્યું હતું, અમિતાભ તથા અભિષેકની તબિયત સ્થિર છે. બંનેને હજી સાત દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેનો કોરોના ટેસ્ટ હવે પાંચ-છ દિવસ પછી કરવામાં આવશે. 12 જુલાઈના રોજ નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કૅર સર્વિસના હેડના ડૉ. અબ્દુલ સમદ અંસારીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, ‘જ્યારે અમિતાભમાં કોવિડ 19ના લક્ષણો જોવા મળ્યાં તે કદાચ પાંચમો દિવસ હતો. દર્દીઓ પર કોરોનાની અસર 10 કે 12 દિવસે વધુ થાય છે. ’ આ જ કારણ છે કે અમિતાભ તથા અભિષેકને ઓછામાં ઓછા સાત દિવસ હોસ્પિટલમાં રાખવાની વાત થઈ રહી છે. જોકે, અંસારીએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ કરી હતી કે 10 કે 12 દિવસે કોરોનાના લક્ષણો વધુ જોવા મળે આવી પરિસ્થિતિ દરેક દર્દીઓ સાથે થતી નથી. ઘણાં દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળે છે.

શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો
અમિતાભ તથા અભિષેકનો રિપોર્ટ 11 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યા ઘરે જ રહીને સારવાર કરાવી રહ્યાં છે. જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જનક, જલસા તથા વત્સ)ને સીલ કરી દેવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan in hospital Big B shared a poem comparing doctors to gods


from Divya Bhaskar https://ift.tt/3h62FEt
https://ift.tt/3h63q0h

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...