Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/8_1594805837.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/15/8_1594805837.jpg. Show all posts

Wednesday, July 15, 2020

પોલીસ સલમાન ખાન તથા આદિત્ય ચોપરાની પૂછપરછ કરશે નહીં

સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે. જોકે, પોલીસને હજી પણ એ વાત સમજમાં નથી આવી કે એક્ટરે શા માટે આત્મહત્યા કરી હતી. અત્યાર સુધી પોલીસે 35થી વધુ વ્યક્તિના નિવેદનો લીધા છે. છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા થઈ રહી હતી કે પોલીસ હવે સુશાંત આત્મહત્યા કેસમાં સલમાન ખાનને સમન્સ પાઠવશે અને તેની પૂછપરછ કરશે. જોકે, divyabhaskar.com સાથેની વાતચીતમાં DCP અભિષેક ત્રિમુખે આ વાતનો ઈનકાર કર્યો હતો.

શું કહ્યું DCPએ?
DCP અભિષેક ત્રિમુખે સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધીની તપાસમાં સલમાન ખાન તથા આદિત્ય ચોપરાની સીધી કે આડકતરી કોઈ સંડોવણી મળી નથી. અભિષેકે સ્પષ્ટતા કરી હતી કે પોલીસ તપાસ હજી ચાલુ છે. જો આ અંગેની કોઈ પણ લીડ મળશે તો પોલીસ આ બંનેની (સલમાન તથા આદિત્ય) પૂછપરછ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં ચાલતા સમાચારના આધારે પોલીસ તપાસ થતી હોતી નથી અને તેના આધારે લોકોની પૂછપરછ કરવામાં આવતી નથી. અત્યાર સુધીની તપાસમાં પોલીસને સલમાન તથા આદિત્ય કોઈ પણ રીતે સંડોવાયેલા હોય તેવી કોઈ લીડ મળી નથી અને આથી તેમને બોલાવવામાં આવ્યા નથી.

ગયા અઠવાડિયે સલમાનની પૂર્વ મેનેજરની પૂછપરછ થઈ હતી
પોલીસે ગયા અઠવાડિયે સલમાન ખાનની પૂર્વ મેનેજર રેશ્મા શેટ્ટીની પૂછપરછ કરી હતી. રેશ્માએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે માત્ર બે વાર જ સુશાંતને મળી હતી.

સલમાને ચાહકોને અપીલ કરી હતી
સુશાંતે આત્મહત્યા કરી લેતા ચાહકોએ સલમાન ખાન સહિત બોલિવૂડ સેલેબ્સ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આથી જ સલમાને પોતાના ચાહકોને શાંતિ રાખવાની અપીલ કરતી ટ્વીટ કરી હતી. સલમાને કહ્યું હતું, હું મારા ચાહકોને વિનંતી કરું છું કે સુશાંતના ચાહકોની લાગણીને સમજવામાં આવે. હાલના મુશ્કેલ સમયમાં સુશાંતના પરિવાર તથા ચાહકોને સપોર્ટ કરવામાં આવે.

સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. કહેવામાં આવે છે કે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર કરાવતો હતો. જોકે, ફિલ્મમેકર શેખર કપૂર, કંગના રનૌતે સુશાંતની આત્મહત્યા પાછળ નેપોટિઝ્મ જવાબદાર હોવાનો આક્ષેપ મૂક્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Police will not question Salman Khan and Aditya Chopra in Sushant Singh Rajput suicide case


from Divya Bhaskar https://ift.tt/3gYGGiz
https://ift.tt/2OsFF6c

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...