સુશાંત સિંહે 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. સુશાંતે આત્મહત્યા કેમ કરી તે હજી સુધી પોલીસ જાણી શકી નથી. પોલીસે અત્યાર સુધીમાં 35થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી છે. આ દરમિયાન સુશાંતની પ્રેમિકા રિયાએ સોશિયલ મીડિયામાં ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કેસની તપાસ CBI કરે તેવી વિનંતી કરી હતી.
શું કહ્યું રિયાએ?
રિયાએ સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, ‘આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. સુશાંતના અવસાનને એક મહિનો થઈ ગયો છે. મને સરકારમાં પૂરો વિશ્વાસ છે. જોકે, ન્યાયના હિતમાં હું હાથ જોડીને CBI તપાસની માગણી કરું છું. હું માત્ર એ જાણવા માગું છું કે સુશાંત પર એવું કયુંદબાણ હતું કે તેણે આવું પગલું ભર્યું.’
View this post on InstagramA post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on Jul 16, 2020 at 2:32am PDT
કરન જોહરની પૂછપરછ નહીં થાય
સુશાંત આત્મહત્યા કેસની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. છેલ્લાં એક મહિનામાં 35થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હોવા છતાંય હજી સુધી પોલીસને સાચા કારણની ખબર પડી શકી નથી. કેટલાંક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તીના ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહી છે. આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે કરન જોહરની પૂછપરછ થાય તેવી કોઈ શક્યતા નથી.
સુશાંતે કેટલા પૈસા ખર્ચ્યા તે હજી ખ્યાલ નથી
રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસને પુરાવા મળ્યાં છે કે રિયા, સુશાંતના પૈસા જ ખર્ચ કરતી હતી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે અત્યાર સુધી કેટલાં પૈસા ખર્ચ કર્યાં છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે અત્યાર સુધી જેટલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે, તેમાંથી કોઈએ પણ કરન વિરુદ્ધ નિવેદન આપ્યું નથી. સુશાંતના અવસાન બાદથી સોશિયલ મીડિયા યુઝર્સ કરન જોહરને ટ્રોલ કરી રહ્યાં છે. તેની પર નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવ્યા છે.
સુશાંતની બહેનની પૂછપરછ થશે
ટાઉમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે, સુશાંતની બહેન મીતુને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. પોલીસ મીતુને સુશાંતના અંગત જીવન, ખાસ કરીને રિયા સાથેના સંબંધો અંગે જાણવા માગે છે. સુશાંતની ડિપ્રેશનની સારવાર કરતાં ડોક્ટરને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેતેમ માનવામાં આવે છે.
સુશાંતના કુક સાથે બીજીવાર સવાલ-જવાબ
પોલીસે કુક નીરજની બીજીવાર પૂછપરછ કરી હતી. પોલીસ જાણવા માગે છે કે સુશાંતે આત્મહત્યા કરતાં પહેલાં શું કર્યું હતું.
CBI તપાસની માગણી ઉગ્ર
સુશાંતના ચાહકો, મિત્રો તથા ભાજપ સાંસદ રૂપા ગાંગુલી તથા એક્ટર શેખર સુમન બાદ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ CBI તપાસની માગણી કરી છે. તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને દરમિયાનગીરી કરવાની માગણી કરી છે. સ્વામીએ કહ્યું હતું કે ઈન્ડસ્ટ્રીના અનેક મોટા લોકો આ કેસમાં પ્રેશર બનાવવા માટે દુબઈના ડોનના સંપર્કમાં છે.
14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી
પોસ્ટમોર્ટમ તથા વિસેરા રિપોર્ટથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સુશાંતે ગળેફાંસો ખાધો હતો અને શ્વાસ રુંધાવાને કારણે તેનું અવસાન થયું છે. કહેવાય છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો પરંતુ તે શા માટે ડિપ્રેશનમાં હતો, તેને લઈ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/30hLfxO
https://ift.tt/3euJ92t