નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તેની પત્ની આલિયાએ તેને ડિવોર્સની નોટિસ આપી છે. આજકાલ નવાઝ પોતાના પૈતૃક ગામ બુઢાનામાં છે. નવાઝની પત્ની આલિયાએ પતિ પર ઘરેલુ હિંસાના આક્ષેપો મૂક્યા છે. હવે, આખો પરિવાર સાથે આવ્યો છે અને આલિયા વિરુદ્ધ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે. નવાઝના ચાર ભાઈ તથા તેમની પત્નીઓ સબા સિદ્દિકી, ગુલનાઝ, આફરીન તથા શાઈસ્તા અલમાસે આલિયા વિરુદ્ધ માનહાનિ, છેતરપિંડીનીનોટિસ પોતાના વકીલ મારફતે મોકલાવી છે. જોકે, નવાઝ પરિવારના આ મુદ્દે હજી સુધી કંઈ જ બોલ્યો નથી.
માતાની તબિયત સારી ના હોવાને કારણે નવાઝ ગામડે છે
કોરોના સંકટમાં માતાની તબિયત સારી ના હોવાને કારણે નવાઝ પોતાના નાના ભાઈ ફૈઝુદ્દીનની સાથે મુઝફ્ફરનગર સ્થિત પૈતૃક ગામ બુઢાના આવી ગયો હતો. આલિયા હાલમાં મધ્યપ્રદેશમાં પોતાના બાળકો સાથે છે. બુઢાનામાં નવાઝ પોતાના ચાર ભાઈ તથા ભાભી અને તેમના બાળકો સાથે રહે છે. આલિયાએ નવાઝના ભાઈ પર પણ ગંભીર આક્ષેપ કર્યાં છે.
પરિવારના મતે, નવાઝે 2013માં આલિયા સાથે નિકાહ કર્યાં હતાં પરંતુ થોડો સમય બાદ અંદરોઅંદર ઝઘડાને કારણે બંનેએ ડિવોર્સ લઈ લીધા હતાં. જોકે, ડિવોર્સ બાદ પણ બંને લિવઈનમાં રહેતા હતાં. પરિવારે આગળ કહ્યું હતું કે આલિયા જ્યારે પણ ઘરે આવતી તો પરિવારમાં ઝઘડા કરાવવાનું કામ કરતી હતી. નવાઝે તેને મુંબઈમાં ફ્લેટ તથા ગાડી આપી હોવા છતાંય તે નવાઝ પાસેથી 30 કરોડ રૂપિયાની માગણી કરી રહી છે.
વકીલે કહ્યું, બે-ચાર દિવસમાં આલિયા પર કેસ દાખલ કરવામાં આવશે
નવાઝના પરિવારના વકીલ નદીમ ઝફરે ઝૈદીએ કહ્યું હતું, ‘આલિયા સિદ્દીકીએ પહેલાં પણ ઘણાં લગ્ન કર્યાં છે અને વર્ષ 2013માં નવાઝ સાથે નિકાહ કર્યાં હતાં. લગ્નના એક વર્ષ બાદ જ બંને પરિવાર વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો હતો. થોડાં સમય બાદ બંનેએ પરસ્પર સહમતિથી ડિવોર્સ લઈ લીધા હતાં. જોકે, ડિવોર્સ બાદ પણ બંને સાથે રહેતા હતાં અને પછી લૉકડાઉન દરમિયાન આલિયાએ નોટિસ મોકલી હતી. અમે પણ જવાબમાં એક નોટિસ મોકલી હતી. આલિયાએ નવાઝના ભાઈ ફૈઝુદ્દીન સિદ્દીકી પર પણ આક્ષેપો કર્યાં છે કે તે તેની જાસૂસી કરતો હતો અને તેનો પીછો કરતો હતો. આક્ષેપ તો એવો પણ મૂક્યો છે કે નવાઝ તથા તેના ભાઈઓ તેમની પત્નીઓ સાથે મારપીટ કરે છે. બે-બે લગ્ન કર્યાં છે. જોકે, આવું કંઈ જ નથી. આલિયાએ પૈસાના ચક્કરમાં નવાઝ સાથે લગ્ન કર્યાં અને હવે પૈસાની ડિમાન્ડ કરે છે. આથી જ તમામ ભાઈઓ તથા તેમની પત્નીઓએ આલિયા વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે અને તે બે-ચાર દિવસમાં દાખલ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CFpOyq
https://ift.tt/3900dMG