Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/16-7-8_1594964726.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/17/16-7-8_1594964726.jpg. Show all posts

Friday, July 17, 2020

રિયા ચક્રવર્તીએ CBI તપાસની માગ કર્યા બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ કહ્યું, મુંબઈ પોલીસ આ કેસ સારી રીતે હેન્ડલ કરી રહી છે, CBI તપાસની કોઈ જરૂર નથી

સુશાંત સિંહની આત્મહત્યાનો કેસ મુંબઈ પોલીસ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી હેન્ડલ કરી રહી છે. સામાન્ય નાગરિક, અમુક રાજકારણીઓ અને સેલેબ્સ આ કેસ માટે CBI તપાસની માગ કરી રહ્યા છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને હાથ જોડીને CBI તપાસ માટે વિનંતી કરી હતી. આ બાબતે હવે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમનું નિવેદન આપ્યું છે કે CBI તપાસની કોઈ આવશ્યકતા નથી.

મિડ ડે સાથેની વાતચીતમાં મંત્રીએ કહ્યું કે, મુંબઈ પોલીસ આ કેસને સારી રીતે હેન્ડલ કરી રહી છે અને પ્રોફેશનલ રાઈવલરી સહિતના દરેક પાસાને ધ્યાનમાં રાખીને તપાસ થઇ રહી છે. તેમણે ઉમેર્યું કે, મારી પાસે ટ્વીટ્સ અને કેમ્પેઈન છે. પણ મને નથી લાગતું કે CBI તપાસની જરૂર છે. મુંબઈ પોલીસ આ પ્રકારના કેસ કરવા માટે પૂરતી કેપેબલ છે અને તેઓ કેસના દરેક પહેલુંને તપાસી રહ્યા છે. અત્યાર સુધી અમને તેમાં કોઈ ફાઉલ પ્લે જોવા મળ્યો નથી. જ્યારે કેસની તપાસ પૂરી થઇ જશે ત્યારે તપાસની માહિતી બધા સાથે શેર કરવામાં આવશે જ.

બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદીને પત્ર લખ્યો
બીજેપી સાંસદ ડો. સુબ્રમણ્ય સ્વામીએ વકીલ ઇશકરણને આ કેસમાં તથ્યો તપાસવા માટે કહ્યું હતું. ત્યારબાદ સ્વામીએ વડાપ્રધાન મોદીને લેટર લખીને CBI તપાસની અપીલ કરી હતી. તેમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બોલિવૂડના અમુક માથા જેનું દુબઈના ડોન સાથે કનેક્શન છે તેઓ આ કેસને કવર કરવા માગે છે જેથી સુશાંતનું મૃત્યુ આત્મહત્યાથી જ થયું છે એવું સાબિત થાય.

બિહારના રાજકારણીને અમિત શાહે કહ્યું હતું, સંબંધિત ડિપાર્ટમેન્ટ સાથે વાત કરવામાં આવશે
બિહારના રાજકારણી પપ્પુ યાદવના CBI તપાસની અરજીના લેટરના જવાબમાં ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું હતું કે, તમારો પત્ર મળ્યો, અમે આ બાબતે સંબંધિત ડિપાર્ટમેન્ટને આગળ વાત કરશું.

એક્ટર શેખર સુમને સુશાંતના મૃત્યુ બાદ આ કેસમાં CBI તપાસની ઝુંબેશ ઉઠાવી છે. જોકે, તેમણે વચ્ચે આ મુવમેન્ટમાંથી ખસી જવાનો સંકેત આપી કહ્યું હતું કે, તેનો પરિવાર ચૂપ છે તો મારા માટે આમાં આગળ વધવું થોડું અસહજ છે. પણ ત્યારબાદ ફરી તે આ ઝુંબેશમાં અગ્રેસર થઇ ગયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Maharashtra Home Minister Anil Deshmukh: I don't think that a CBI probe is required


from Divya Bhaskar https://ift.tt/2ZG3jCN
https://ift.tt/32xXZmq

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...