Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/1_1595136462.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/19/1_1595136462.gif. Show all posts

Sunday, July 19, 2020

બિગ બીએ પરિવારની તસવીર શૅર કરીને ચાહકોનો આભાર વ્યક્ત માન્યો, કહ્યું- ‘અમે તમારો પ્રેમ જોઈ શકીએ છીએ’

અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોરોનાની સારવાર કરાવી રહ્યા છે. આઈસોલેશન વોર્ડમાંથી બિગ બી નિયમિત રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરતા રહે છે. હાલમાં જ ઐશ્વર્યા તથા આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભે સોશિયલ મીડિયામાં પરિવારની તસવીર શૅર કરીને ચાહકોનો આભાર માન્યો હતો.

જૂની તસવીર શૅર કરી
અમિતાભે સન્ડે દર્શનની એક તસવીર શૅર કરી હતી, જેમાં તે દીકરા અભિષેક, પૌત્રી આરાધ્યા તથા પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથે જોવા મળે છે. આ તસવીર શૅર કરીને બિગ બીએ કહ્યું હતું, ‘અમે તમારો પ્રેમ જોઈ શકીએ છીએ, અમે તમારી પ્રાર્થના સાંભળીએ છીએ, અમે હાથ જોડીને તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.’

બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું, ‘સંબંધોની મૂલ્ય સર્વોચ્ચ છે. તમારી હાજરી સૌથી સર્વોત્તમ છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારામાં થતી પ્રાર્થના તથા દુઆ મૂલ્યવાન છે. તમારી આ પ્રાર્થના તથા દુઆ અમારી સુધી સતત પહોંચી રહી છે અને અમે તમારો પ્રેમ તથા કાળજી જોઈને કૃતજ્ઞ થઈ ગયા. અમે ઘણાં જ ભાગ્યશાળી છીએ કે તમે અમારા જીવનમાં છે. તમે અમને આ ક્ષણે હિંમત આપી અને એ વાતનો અહેસાસ કરાવ્યો કે અમે એકલા નથી. આભાર શબ્દ બહુ નાનો છે, તે માત્ર શબ્દોમાં વ્યક્ત થાય છે, તેના કરતાં પણ વધારે મહત્ત્વ પ્રેમનું છે.’

ઐશ્વર્યા-આરાધ્યાની તબિયતમાં સુધારો
ઐશ્વર્યા તથા આરાધ્યાને શુક્રવાર (17 જુલાઈ)ની સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. સૂત્રોના મતે, હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ઐશ્વર્યાનો તાવ ઓછો થયો અને ગળાના ઇન્ફેક્શનમાંથી પણ રાહત છે. તેની તબિયત સ્થિર છે. આરાધ્યાને હવે તાવ નથી. બંનેને આઇસોલેશન વોર્ડમાં ડો. બર્વે અને ડો. અંસારીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ બંને ડોક્ટર્સ જ ઘણા સમયથી બચ્ચન પરિવારના મેડિકલ કન્સલ્ટન્ટ છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ 12 જુલાઈ, રવિવારે પોઝિટિવ આવ્યો હતો. તે સમયે બંનેમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યાં નહોતાં અને તેથી જ બંને ઘરમાં ક્વૉરન્ટીન હતાં. 17 જુલાઈ, શુક્રવારે અચાનક બંનેની તબિયત બગડતા પરિવાર ચિંતિત થઇ ગયો અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌ પહેલાં સાંજે 6 વાગ્યાની આસપાસ પહેલાં આરાધ્યાને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારબાદ 8:30 વાગ્યે ઐશ્વર્યાને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેનો સિટી સ્કેન કરવામાં આવ્યો હતો.

11 જુલાઈએ અમિતાભ-અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
11 જુલાઈ, શનિવારે અમિતાભનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને કોરોનાના હળવા લક્ષણ હતા. તેમને તાવ હતો અને ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. અભિષેક બચ્ચન એકદમ એસિમ્પ્ટોમેટિક હતો અને કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. તેમ છતાં સાવચેતી માટે તે હોસ્પિટલમાં એડમિટ થઇ ગયો. બચ્ચન પરિવારમાં માત્ર જયા બચ્ચનનો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આજે હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેકનો નવમો દિવસ
અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં એડમિટ થયાને આઠ દિવસ પસાર થઇ ગયા છે. ગયા શનિવારે હળવા લક્ષણો દેખાયા બાદ 44 વર્ષીય અભિષેક જાતે ગાડી ચલાવીને પિતા સાથે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. બંનેએ કોવિડ પોઝિટિવ હોવાની વાત ટ્વિટર પર શૅર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Big B thanked the fans by sharing a picture of the family, saying- 'We see your love'


from Divya Bhaskar https://ift.tt/2Cu0qMr
https://ift.tt/2Cp8YUE

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...