ઈશ્કબાઝ ફેમ ટીવી એક્ટ્રેસ શ્રેણુ પરીખનો બુધવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ વડોદરાની હોસ્પિટલમાં તેને એડમિટ કરવામાં આવી હતી. હવે તેને સારી રિકવરી બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાઈ છે અને હાલ તે ઘરે જ આઇસોલેશનમાં છે. તેણે આ માહિતી ઘરે આવીને સોશિયલ મીડિયા પર શેર કરી અને સાથે તેણે કોરોના વોરિયર્સ, મેડિકલ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો છે.
શ્રેણુ ચાર દિવસ બાદ હોસ્પિટલથી ઘરે આવી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, મારા પ્રિય પરિવાર, મિત્રો અને શુભચિંતકો. મને નથી ખબર કે આટલો બધો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ હું તમારો આભાર કઈ રીતે વ્યક્ત કરું. ભગવાનની દયા અને તમારી પ્રાર્થનાથી હું જલ્દી સાજી થઇ રહી છું અને મને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.
View this post on InstagramA post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on Jul 18, 2020 at 9:10am PDT
હાલ હું ઘરે સંપૂર્ણપણે આઇસોલેશનમાં છું. કાશ હું તમને બધાને પર્સનલી જવાબ આપી શકી હોત. ઘણું બધું શેર કરવાનું છે. ભગવાન તમને બધાને સુરક્ષિત રાખે. મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલના કોરોના વોરિયર્સનો આભાર જેમણે મારી કાળજી રાખી.
કોરોનાને અદ્રશ્ય રાક્ષસ કહ્યો હતો
શ્રેણુએ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, સાવધાની રાખવા છતાં હું આની ઝપેટમાં આવી ગઈ. આ અદ્રશ્ય રાક્ષસની શક્તિ કેટલી હશે કે આટલી તકેદારી રાખવા છતાં તે આપણા સુધી પહોંચી શકે છે. મહેરબાની કરીને સાવધાન રહો.
View this post on InstagramA post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) on Jul 14, 2020 at 9:37pm PDT
શ્રેણુ હાલ કોઈ સિરિયલમાં કામ કરી રહી નથી. છેલ્લે તે ભ્રમ સર્વગુણ સમ્પન્નમાં નેગેટિવ રોલમાં જોવા મળી હતી. તે પહેલાં તે ઇસ પ્યાર કો ક્યા નામ દૂં, દિલ બોલે ઓબેરોય, ઈશ્કબાઝ અને બ્યાહ હમારી બહુ કા જેવી સિરિયલ્સમાં દેખાઈ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZFp3OV
https://ift.tt/398k38I