સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ તેની ફિલ્મ ‘પાની’ને લઈ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મને શેખર કપૂર ડિરેક્ટ કરવાના હતા અને યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરવાની હતી. જોકે, આ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. સુશાંતના અવસાન બાદ શેખર કપૂર તથા આદિત્ય ચોપરા એકબીજાને ફિલ્મ ના બનવા માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ પ્રમાણે, શેખર કપૂરે પ્રોડ્યૂસર આદિત્ય ચોપરાને કારણે ફિલ્મ ના બની હોવાની વાત કરી હતી અને હવે યશરાજ કેમ્પે ડિરેક્ટરને વળતો જવાબ આપ્યો છે.
આદિત્યના નિકટના સાથીઓએ કહ્યું, શેખરને કારણે ‘પાની’ ના બની શકી
રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે, પ્લીઝ તેમને (શેખરને) જ પૂછો, આદિત્ય ચોપરાને કેમ સવાલ કરવામાં આવે? ‘પાની’ સુશાંતની સાથે નહીં બને, આ નિવેદનમાં એક્ટર વિરુદ્ધ કંઈ પણ કહેવામાં આવ્યું નહોતું. સાચી વાત એ છે કે એક વર્ષ પછી પણ શેખરે આદિત્યને સ્ક્રિપ્ટનો એક શબ્દ બતાવ્યો નહોતો. આના પર માત્ર વાતો જ કરવામાં આવતી હતી.
આ દરમિયાન શેખર કપૂરે ફિલ્મને લઈ જે બજેટ કહ્યું, તે બહુ વધારે હતું અને તેની પર પણ ચર્ચા થઈ હતી. આદિત્ય ચોપરાએ કહ્યું હતું, ‘તમે જે બજેટ આપ્યું છે, તેમાં સુશાંતની સાથે આ ફિલ્મ બની શકે નહીં. આ પ્રકારના બજેટમાં અમને શાહરુખ ખાનની જરૂર પડે છે.’ એનો અર્થ ક્યારેય એવો નહોતો થતો કે યશરાજ બેનર સુશાંત સાથે કામ કરવા માગતું નથી. જોકે, શેખર કપૂરે જે બજેટ આપ્યું હતું, તે સુશાંતની ફિલ્મ માટે યોગ્ય નહોતું.
આદિત્યે પોલીસ નિવેદનમાં આ વાત કહી હતી
18 જુલાઈના રોજ વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્યની સાડા ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં ‘પાની’ને લઈ સવાલ કરવામાં આવ્યા હતા. આદિત્યે કહ્યું હતું, ‘સુશાંત સાથે મારે ‘પાની’ને લઈ અનેકવાર વાત થઈ હતી પરંતુ શેખર તથા મારી વચ્ચે આ ફિલ્મને લઈ વિચારો મળ્યા નહોતા. અમારી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હોવાને કારણે ફિલ્મ બની શકી નહીં. આ ફિલ્મ માટે સુશાંતે ઘણી જ મહેનત કરી હતી. આ ફિલ્મ માટે તેણે અન્ય ફિલ્મ્સની ઓફર ઠુકરાવી દીધી હતી.’
શેખર કપૂરે ‘પાની’ને લઈ શું દાવો કર્યો હતો?
શેખર કપૂરે થોડાં દિવસો પહેલાં એક લાઈવ ચેટ શોમાં ‘પાની’ બંધ થવા માટે આદિત્ય ચોપરાને જવાબદાર ઠેરવ્યો હતો. શેખરે દાવો કર્યો હતો કે પ્રોડ્યૂસરે એમ કહ્યું હતું કે તેઓ સુશાંત સાથે ‘પાની’ નહીં બનાવે. ‘પાની’ બનશે નહીં.
શેખરે સુશાંત કેસમાં મુંબઈ પોલીસને પોતાનું નિવેદન મેલ કર્યું હતું. સૂત્રોના મતે, મેલમાં લખવામાં આવ્યું હતું કે આ ફિલ્મ બંધ થવાને કારણે સુશાંત ભાંગી પડ્યો હતો અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. આ ફિલ્મ માટે સુશાંતે ઘણાં વર્ષો સુધી મહેનત કરી હતી અને અનેક મોટી ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે 14 જૂનના રોજ સુશાંતનના અવસાન બાદ શેખરે ટ્વીટમાં એ સંકેત આપ્યો હતો કે ફિલ્મ બંધ થવાને કારણે એક્ટર નિરાશ થઈ ગયો હતો. શેખરે ટ્વીટમાં કહ્યું હતું, ‘મને ખ્યાલ છે કે તું કયા દર્દમાંથી પસાર થયો હતો. મને ખ્યાલ છે કે એ લોકોથી નિરાશ થયા બાદ તું મારા ખભે માથું રાખીને રડ્યો હતો. કાશ, હું છેલ્લાં છ મહિના તારી આસપાસ હોત. કાશ, તું મારી સુધી આવી શક્યો હોત. તારી સાથે જે પણ થયું તે તારા નહીં પરંતુ તે લોકોના કર્મોનું ફળ છે.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OKARJz
https://ift.tt/30AhDf2