સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં નવો દાવો સામે આવ્યો છે. શરૂઆતથી આ વાત તો સ્પષ્ટ છે કે સુશાંત ડિપ્રેશનમાં હતો. તેણે મૃત્યુના થોડા દિવસ પહેલાંથી દવા લેવાની પણ બંધ કરી દીધી હતી. હવે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સુશાંતની હાલત સેલિબ્રિટી મેનેજર દિશા સલિયનની આત્મહત્યા બાદ વધુ ખરાબ થઇ ગઈ હતી.
દિશાના મૃત્યુ બાદ સુશાંત વધારે ચિંતિત રહેવા લાગ્યો હતો
ઇન્ડિયા ટુડેએ પોલીસના સૂત્રોના હવાલે લખ્યું કે, દિશા સલિયનના મૃત્યુના સમાચાર આવ્યા બાદ સુશાંત વધારે ચિંતિત રહેવા લાગ્યો હતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દિશા સાથે સુશાંતના એસોશિએશનને લઈને સવાલ ઊઠાવવામાં આવ્યા હતા.
9 જૂને દિશાએ ફ્લેટના 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારપછી મીડિયા રિપોર્ટ્સમાં તેને સુશાંતની એક્સ મેનેજર કહેવામાં આવી. પહેલેથી જ ડિપ્રેશન સામે લડી રહેલ સુશાંતે જ્યારે આ બધું જોયું તો તેની હાલત વધુ ખરાબ થઇ ગઈ અને તેને દવા લેવાની બંધ કરી દીધી.
દિશા ઉદય સિંહ ગૌરીના ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મની કર્મચારી હતી અને સુશાંતનું કામ જોતી હતી. પોલીસે ઉદયનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લીધું છે. તેણે જણાવ્યું કે સુશાંત સાથે માત્ર બે વખત જ મુલાકાત થઇ હતી.
પોલીસ નેગેટિવ સ્ટોરીના એન્ગલથી તપાસ કરી રહી છે
સુશાંતના સ્ટાફ અને નજીકના મિત્રોના સ્ટેટમેન્ટ મુજબ, જ્યારે તેના વિરુદ્ધ કોઈ નેગેટિવ સ્ટોરી આવતી હતી ત્યારે સુશાંત પર તેની ખરાબ અસર થતી હતી. પોલીસ હવે નેગેટિવ સ્ટોરીના એન્ગલથી જ તપાસ કરી રહી છે. જેથી ખબર પડે કે સુશાંતને કોઈ ખાસ કેમ્પ અથવા કંપની નિશાન બનાવી રહ્યા હતા કે નહીં. આ બાબતે PR (પબ્લિક રિલેશન) પ્રોફેશનલ્સ અને બોલિવૂડના સમાચાર માટે કામ કરનાર રિપોર્ટ્સની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
રેશ્મા શેટ્ટી અને શાનુ શર્મા સહિત બોલિવૂડના ઘણા મોટા ટેલેન્ટ અને કાસ્ટિંગ મેનેજર્સની પૂછપરછ થઇ ચૂકી છે. મંગળવારે ફિલ્મ ક્રિટિક રાજીવ મસંદને પણ પોલીસ સ્ટેશન પૂછરપછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેના પર આરોપ છે કે તેમણે સુશાંતનું નામ લીધા વગર તેના વિરુદ્ધ નેગેટિવ આર્ટિકલ લખ્યા હતા. ઉપરાંત તેની ફિલ્મના ખરાબ રિવ્યૂ પણ આપ્યા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BkVkS9
https://ift.tt/2CuvU5c