Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/23/2_1595486358.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/23/2_1595486358.gif. Show all posts

Thursday, July 23, 2020

અમિતાભ-અભિષેકનો કોવિડ 19નો ટેસ્ટ નેગેટિવ, અભિષેકને આજે અને બિગ બીને એક-બે દિવસમાં રજા મળશે

અમિતાભ બચ્ચનનો સ્વેબ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ છેલ્લાં 12 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. જોકે, હજી પણ બિગ બી એકાદ-બે દિવસ હોસ્પિટલમાં જ રહેશે. હોસ્પિટલના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, અભિષેક બચ્ચનના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને તેને સાંજ સુધી રજા આપી દેવામાં આવે તેવી શક્યતા છે.

બુધવારે ફરી વાર કોવિડ ટેસ્ટ થયો હતો
22 જુલાઈના રોજ અમિતાભ, અભિષેક, ઐશ્વર્યા તથા આરાધ્યાનો કોવિડ 19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અમિતાભ-અભિષેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.

ચિંતાઓ તથા મુશ્કેલીનેલઈ વાત કરી હતી
હાલમાં જ અમિતાભે ચિંતા તથા મુશ્કેલીને લઈ પોતાના વિચારો શૅર કર્યા હતા. તેમણે પોતાની સ્કેચ્ડ તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘ખામોશી કી તહ મેં છુપા લો સારી ઉલઝનોં કો, શોર કભી મુશ્કિલોં કો આસાન નહીં કરતા.’ અર્થાત્ બધી જ મુસીબતોને ખામોશીના તળમાં છુપાવી લો અને અવાજ ક્યારેય મુશ્કેલીઓને સરળ બનાવી શકે નહીં.

અમિતાભ-અભિષેકને ટૂંક સમયમાં રજા મળે તેવી શક્યતા
77 વર્ષીય અમિતાભની સાથે તેમનો 44 વર્ષીય દીકરો અભિષેક પણ 12 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે. આ બંને ઉપરાંત ઐશ્વર્યા તથા આરાધ્યા પણ હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર હેઠળ છે. તેઓ 17 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ છે.

પરિવારમાંથી માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ હતો
11 જુલાઈના રોજ બચ્ચન પરિવારનો એન્ટિજન ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં અમિતાભમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતા અને તેમનું ઓક્સિજન લેવલ પણ ઓછું હતું. અમિતાભની સાથે અભિષેકનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ઐશ્વર્યા તથા આરાધ્યાનો પહેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયા બચ્ચનનો પહેલો તથા બીજો એમ બંને રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતાં. અમિતાભના ચારેય બંગલા (પ્રતિક્ષા, જલસા, વત્સ તથા જનક)ને સીલ કરવામાં આવ્યા છે. જયા બચ્ચન ઘરમાં જ આઈસોલેશનમાં છે. શરૂઆતમાં ઐશ્વર્યા તથા આરાધ્યામાં કોરોનાના કોઈ પણ લક્ષણો નહોતાં અને તેથી જ તેઓ ઘરમાં હતાં પરંતુ 17 જુલાઈના રોજ બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળતાં નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
covid 19 Amitabh bachchan spoke of anxiety and trouble


from Divya Bhaskar https://ift.tt/2WMBkiQ
https://ift.tt/2EbZLjf

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...