અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં 15 દિવસ પસાર કરી ચૂક્યા છે. તેમણે તેના લેટેસ્ટ બ્લોગમાં આ વોર્ડ વિશે લખ્યું છે. શરૂઆતમાં પોતાની સ્થિતિ જણાવતા લખ્યું, રાત્રીના અંધારામાં અને કોલ્ડ રૂમની ધ્રુજારીમાં હું ગીત ગાતો હોઉં છું. ઊંઘવા માટે આંખ બંધ કરવાની ટ્રાય કરું છું. આજુબાજુ કોઈ નથી હોતું. તેની આગળ બિગ બીએ આઇસોલેશન વોર્ડનો અનુભવ શેર કર્યો અને જણાવ્યું કે દર્દી પર તેની માનસિક અસર થાય છે.
ડોક્ટર્સ અને નર્સની હાજરી રોબોટિક હોય છે
અમિતાભે લખ્યું કે કોરોનાની સારવાર દરમ્યાન અઠવાડિયાઓ સુધી દર્દીને કોઈ બીજો માણસ જોવા મળતો નથી. તે લખે છે, અહીંયા મેડિસિન કેર માટે નર્સ અને ડોક્ટર્સ આવે છે પરંતુ PPE કિટ પહેરીને આવે છે. તમને ક્યારેય ખબર નથી પડતી કે તે કોણ છે.
તમે તેમની વિશેષતા કે હાવભાવ ક્યારેય જાણી નથી શકતા, કારણકે તે સુરક્ષા માટે તે કિટ પહેરીને આવ્યા હોય છે. તેમની હાજરી રોબોટિક હોય છે. તેમને જે આદેશ આપવામાં આવે છે, તે તેઓ કરે છે અને જતા રહે છે. જતા એટલા માટે રહે છે કારણકે વધારે સમય સુધી રહેવામાં તેમને ઇન્ફેક્શનનો ડર રહે છે.
સારવાર કરનાર ડોક્ટર ક્યારેય પાસે નથી આવતા
અમિતાભના જણાવ્યા મુજબ,જે ડોક્ટરની દેખરેખ હેઠળ કોરોના દર્દીની સારવાર થઇ રહી છે, તે ક્યારેય તેમની પાસે નથી આવતા અને કોઈ દિલાસો પણ નથી આપતા. તેમણે લખ્યું, ડોક્ટર્સ ફેસટાઈમથી દર્દીઓને મળે છે.
હાલના સમય મુજબ તે પણ યોગ્ય છે. પરંતુ શું આની માનસિક અસર થાય છે? મનોવૈજ્ઞાનિક કહે છે કે હા થાય છે. ડિસ્ચાર્જ કર્યા બાદ દર્દીઓને ગુસ્સો આવે છે. તેમને પ્રોફેશનલ માઈન્ડ ટોકર્સની સલાહ મળે છે.
તેઓ બહાર જતા ડરે છે કારણકે તેમને આશંકા હોય છે કે તેમની સાથે અલગ વ્યવહાર કરવામાં આવશે. તેમને ડર હોય છે કે તેમની સાથે એવો વ્યવહાર થશે જાણે કે તેઓ બીમારી લઈને ચાલી રહ્યા છે. આ એક પેરિયા (છૂતઅછૂત) સિન્ડ્રોમ છે, જે તેમને ડિપ્રેશન અને એકલાપણામાં લઇ જાય છે જેમાંથી તેઓ હમણાં જ બહાર નીકળ્યા હોય છે.
મેડિકલ ક્ષેત્ર આટલું વિકલાંગ ક્યારેય ન હતું
બિગ બીના જણાવ્યા મુજબ બીમારી ભલે તમારા શરીરમાંથી જતી રહે પણ 3-4 અઠવાડિયા સુધી હળવો તાવ રહે છે. આ બીમારીની દુનિયામાં કોઈ ફુલપ્રૂફ પદ્ધતિ મળી નથી. દરેક કેસ અલગ છે. દરેક દિવસ એક નવું લક્ષણ અને રિચર્સ મળે છે. આ પહેલાં મેડિકલ ક્ષેત્ર ક્યારેય આટલું વિકલાંગ ન હતું. ટ્રાયલ અને એરર પહેલાં ક્યારેય આટલા ડિમાન્ડમાં ન હતા.
11 જુલાઈએ એડમિટ થયા
77 વર્ષીય અમિતાભ અને તેમના દીકરા 44 વર્ષીય અભિષેક 11 જુલાઈથી હોસ્પિટલમાં એડમિટ છે. ઐશ્વર્યા રાય અને આરાધ્યા પણ કોરોના પોઝિટિવ છે. તેઓ 17 જુલાઈથી હોસ્પિટલમાં એડમિટ છે. હજુ તેઓ કેટલા દિવસ હોસ્પિટલ રહેશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eZ15CQ
https://ift.tt/3hBMYVz