સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને ગ્રુપિઝ્મના વિવાદ દરમિયાન એ આર રહેમાને પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો અને પોતાને ચોક્કસ ગેંગને કારણે બોલિવૂડમાં વધુ કામ મળતું ના હોવાની ફરિયાદ કરી હતી.ઓસ્કાર વિનર મ્યૂઝિક ડિરેક્ટર એ આર રહેમાને હાલમાં જ કહ્યું હતું કે હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારી વિરુદ્ધ અફવા ફેલાવવામાં આવે છે. આ જ કારણે મને અહીંયા કામ મળતું નથી. રહેમાનની આ વાત પર કંગના રનૌતે પણ અભિપ્રાય આપ્યો છે.
Everyone experiences harassment and bullying in this industry especially when you act autonomous and become totally independenthttps://t.co/izNxflans2
— Team Kangana Ranaut (@KanganaTeam) July 25, 2020
કંગનાએ કહ્યું-‘આવું બધા સાથે થાય છે’
એ આર રહેમાનના ઇન્ટરવ્યૂને શેર કરીને ટીમ કંગનાએ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. કંગના તરફથી લખ્યું કે, દરેક લોકો આ ઇન્ડસ્ટ્રીમાં પજવણી અને ગુંડાગીરીનો અનુભવ કરે છે. ખાસ કરીને જ્યારે કોઈ પોતાનું કામ જાતે અને સ્વતંત્ર રીતે કરવા માગે છે.
ઇન્ટરવ્યૂમાં રહેમાને ગેંગ વિશેની વાત કહી
રેડિયો મિર્ચી સાથેની વાતચીતમાં રહેમાનને પૂછવામાં આવ્યું હતું કે તેઓ તમિળ સિનેમાની તુલનાએ હિંદી ફિલ્મમાં શા માટે કામ ઓછું કરે છે? જેના જવાબમાં સંગીતકારે કહ્યું કે, હું ક્યારેય સારી ફિલ્મને ના પાળતો નથી પરંતુ હું માને છે કે અહીંયા એક ગેંગ છે અને આ ગેંગ મારા વિશે ખોટી વાતો તથા અફવાઓ ફેલાવે છે.
મુકેશ છાબરાને બે દિવસમાં ચાર ગીતો આપ્યા
એ આર રહેમાને કહ્યું હતું કે, મુકેશ છાબરા જ્યારે મને મળવા આવ્યા ત્યારે મેં માત્ર બે દિવસમાં ચાર ગીતો આપ્યા હતા. મુકેશ છાબરાએ મને કહ્યું કે, ઘણાં લોકોએ મને તમને મળવાની ના પાડી હતી અને એક પછી એક ઘણી વાતો કહી હતી. જોકે, હવે મને એ વાત સમજાઈ ગઈ કે શા માટે મને હિંદી ફિલ્મમાં ઓછું કામ મળે છે અને શા માટે સારી ફિલ્મ તેમની પાસે આવતી નથી. આખી ગેંગ મારી વિરુદ્ધમાં છે અને તેઓ જાણ બહાર મને નુકસાન પહોંચાડી રહ્યા છે.
‘હું નસીબમાં માનું છું’
રહેમાને વધુમાં જણાવ્યું કે, લોકો મારી પાસે સારા કામની અપેક્ષા રાખતા હોય છે પરંતુ એક બીજી ગેંગ મને કામ આપતા અટકાવે છે. ઠીક છે, કારણ કે હું નસીબમાં માનું છું અને હું એવું માનું છું. દરેક વસ્તુઓ મને ભગવાનથી મળે છે. મારી પાસે આવનારા દરેક લોકોનું હું સ્વાગત કરું છું. સુંદર ફિલ્મો બનાવો અને મારી પાસે આવતા દરેક લોકોનું સ્વાગત છે.
એ આર રહેમાને સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં સંગીત આપ્યું હતું. આ ફિલ્મ 24 જુલાઈના રોજ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થઈ હતી
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hGRZMN
https://ift.tt/39vtW0n