Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/26/shatru-kangana1595680784_1595748047.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/26/shatru-kangana1595680784_1595748047.jpg. Show all posts

Sunday, July 26, 2020

કંગના રનૌતને સપોર્ટ કરી શત્રુઘ્ન સિન્હા બોલ્યા, તેની વિરુદ્ધ તે લોકો જ બોલી રહ્યા છે જે તેની સફળતાની ઈર્ષા કરી રહ્યા છે

સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે લડી રહેલ કંગના રનૌતના સપોર્ટમાં હવે શોટગન એટલે કે શત્રુઘ્ન સિન્હા આવ્યા છે. તેમનું કહેવું છે કે જે લોકો કંગનાની વિરુદ્ધ બોલી રહ્યા છે તેમને ખરેખર તેની સફળતાની ઈર્ષા આવી રહી છે. એક ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં તેમણે આ દાવો કર્યો છે. તેમણે એવું પણ કહ્યું કે, બોલિવૂડનું એક સેક્શન ટેલેન્ટેડ આઉટસાઇડર્સ વિરુદ્ધ ગૃપીઝમ કરે છે.

કંગનાની લોકોને કેમ ઈર્ષા?
રિપબ્લિક ટીવી સાથેની વાતચીતમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, મેં જોયું છે કે મોટાભાગના લોકો કંગનાની વિરુદ્ધ બોલે છે. કારણકે તેઓને કંગનાની ઈર્ષા છે. આપણી દયા વગર, આપણી મરજી વગર, આપણા ગ્રુપ્સમાં સામેલ થયા વગર અને કોઈપણના આશીર્વાદ કે સહારા વગર આ છોકરીએ એટલું બધું અચીવ કરી લીધું છે કે લોકો તેની બહાદુરી અને સફળતાની ઈર્ષા કરવા લાગ્યા છે.

કોફી વિથ કરણ પર નિશાન સાધ્યું
શત્રુઘ્ન સિન્હાએ આ ઇન્ટરવ્યૂમાં કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, અમારા સમયમાં કોફી વિથ અર્જુન જેવું કઈ ન હતું. આ જ પ્લાન્ડ ઈવેન્ટ્સને કારણે વિવાદ ઊભો થાય છે. અત્યારે જે લોકોની વાત થઇ રહી છે તે આપણા સમાજના જ સભ્ય છે. પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ એક માણસની નથી જે એમ કહી શકે કે આને બોયકોટ કરીએ કે આને ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી નાખીએ. તમે આવું કહેનાર કોણ છો? તમે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આવ્યા અને તમે તમારી લાઈફમાં શું કર્યું?

કંગનાના વિરોધીઓમાં શત્રુઘ્ન સિન્હાની દીકરી પણ સામેલ
શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા કંગનાની વિરુદ્ધ બોલનાર લોકોને સતત સપોર્ટ કરી રહી છે. 14 જૂને સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે કંગનાએ આના માટે બોલિવૂડમાં ફેલાયેલ નેપોટિઝ્મને જવાબદાર ગણાવ્યું અને કરણ જોહર પર નિશાન સાધ્યું તો સોનાક્ષીએ નામ લીધા વગર તેને ટાર્ગેટ કરી હતી.

સોનાક્ષીએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે, આવા લોકો પોતાના જ લોકોના મૃત્યુની આડમાં ખુદનો પ્રચાર કરે છે, હવે આ બધું બંધ કરો. તમારી નકારાત્મકતા, ઘૃણા અને ઝેરની અત્યારે કોઈ જરૂર નથી. જે દુનિયાને અલવિદા કહી ગયા તેનું સમ્માન કરો. ત્યારબાદ લોકોએ તેને ઘણી ટ્રોલ કરી અને તેણે ટ્વિટરને જ અલવિદા કહી દીધું.

થોડા દિવસ પહેલાં તાપસી પન્નુએ કંગના પર આરોપ લગાવ્યો હતો કે તે સુશાંતના મૃત્યુનો ઉપયોગ અંગત વેર વાળવા માટે કરી રહી છે. ત્યારે સોનાક્ષીએ તાપસીના વખાણ કર્યા હતા. કંગનાએ એક ઇન્ટરવ્યૂમાં તાપસી પન્નુ અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ એક્ટ્રેસ કહી હતી. ત્યારબાદથી આ વિવાદ શરૂ થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide Case: Shatrughan Sinha Supports Kangana Ranaut For Her Fight For Outsiders


from Divya Bhaskar https://ift.tt/3jJphfR
https://ift.tt/39sZh3L

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...