Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/30/3_1596093144.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/30/3_1596093144.gif. Show all posts

Thursday, July 30, 2020

બિગ બીએ હેલ્થ વર્કર્સના વખાણ કર્યા, ભગવાનના દૂત સાથે તુલના કરી

અમિતાભ બચ્ચન છેલ્લાં 20 દિવસથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કોવિડ 19ની સારવાર કરાવી રહ્યા છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયામાં મેડિકલ પ્રોફેશનલના વખાણ કર્યા હતા. અમિતાભે તેમને PPE કિટ્સ પહેરેલા ભગવાનના દૂત કહ્યા હતા. બિગ બીના મતે આ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ માત્ર દવાથી જ દર્દીઓની સારવાર કરતા નથી પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરે છે. અમિતાભના મતે હેલ્થ વર્કર્સે આ પ્રાર્થના તેમની સાથે શૅર કરી હતી.

અમિતાભે ટ્વીટ કરીને કહ્યું હતું, આપણે સલામત રહી શકીએ તે માટે તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરે છે. સફેદ PPE કિટ પહેરેલા ડોક્ટર્સ, નર્સ, સપોર્ટ સ્ટાફ ભગવાનના દૂત છે. વ્યસ્ત હોવા છતાંય પોતાના દર્દી માટે પ્રાર્થના કરે છે.

બિગ બીએ બ્લોગમાં કહ્યું હતું, ‘આ વોરિયર્સ તરીકે કોવિડ 19 સામે લડાઈ લડતા લોકોને આ જોખમી વાઈરસ સામે રાહત તથા સાજા કરવા માટે નિઃસ્વાર્થ રીતે પોતાનો સમય તથા એનર્જી આપે છે. તેઓ હાથ જોડીને સર્વશક્તિમાન પાસે આ દર્દીઓ માટે પ્રાર્થના પણ કરે છે. હું નાણાવટી હોસ્પિટલમાં તેમની દેખરેખ હેઠળ સારવાર કરાવી રહ્યો છું. તેમણે આ પ્રાર્થના મારી સાથે શૅર કરી હતી. આ પ્રાર્થના તેઓ રોજ કરે છે. ’

પ્રાર્થનાનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો
‘હે ભગવાન, જીવનની ભેટ તથા આ સુંદર દિવસ માટે આભાર. અમે અમારા દર્દીને તમારી દેખરેખમાં સમર્પિત કરીએ છીએ. મને આશીર્વાદ આપો કે હું મારા દર્દીની જરૂરિયાત સમજી શકું અને તેમના માટે સારું કરી શકું.

મને એટલી પ્રામાણિક તથા સચ્ચાઈ આપો કે જ્યારે મારા કામને કોઈ જોતું ના હોય તો પણ હું તમારી ઈચ્છા પ્રમાણે યોગ્ય રીતે કામ કરું. તમામને આશીર્વાદ આપો કે બધા એકબીજાના લાભ માટે કામ કરે અને આપણે એક પરિવારની જેમ એકબીજાની કાળજી લઈ શકીએ.

મહિનાઓથી પરિવારજનોને મળ્યા નથી
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું કે મેડિકલ પ્રોફેશનલ્સ મહિનાઓથી પોતાના પરિવારને મળ્યા નથી.

11 જુલાઈથી અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં
અમિતાભ બચ્ચનનો 11 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અભિષેકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને એ જ દિવસે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. બીજા દિવસે એટલે કે 12 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 17 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યા નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આ બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 27 જુલાઈના રોજ રજા આપી દેવામાં આવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Big B praised the health workers, comparing them to angels of God


from Divya Bhaskar https://ift.tt/2Dj4OOt
https://ift.tt/3hHKi94

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...